SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૨૦] વિવેકીનું કર્તવ્ય ૪૩ ભાવ બે પ્રકારનો છે–પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં જિનાજ્ઞામાં તત્પરપણે, કાંઈ પણ નિયાણું કર્યા વિના, ઇચ્છારહિતપણે, માત્ર સંસારનો પાર પામવા માટે દાનાદિ ઘર્મનો વિસ્તાર કરવાથી પ્રશસ્ત ભાવ થાય છે, અને કાંઈ પણ આશંસાદિ દોષ સહિત દાનાદિક અનુષ્ઠાન કરવાથી અપ્રશસ્ત ભાવ થાય છે. ભાવથી ચિત્તની એકાગ્રતા રાખવા વડે ઘણા જીવો મોક્ષે ગયા છે. પરંતુ ભાવ રહિત અનેક પ્રકારના દાનાદિક કરવાથી એક પણ જીવ મોક્ષે ગયો નથી. સારાંશ એ છે કે चित्तसाध्यमिह दानमुत्तमं, शीलमप्यविकलं सुदुर्द्धरम् । दुष्कराणि च तपांसि भावना, स्वीयचित्तवशगेति भाव्यताम् ॥१॥ ભાવાર્થ-“મનના ભાવ સહિત ઉત્તમ દાન દેવું, દુઃખથી પાળી શકાય એવું નિર્મળ શીળ પાળવું, કષ્ટથી કરી શકાય એવું તપ કરવું, અને પોતાના ચિત્તને સ્થિર રાખીને ભાવના ભાવવી.” વ્યાખ્યાન ૨૨૦ વિવેકીનું કર્તવ્ય विवेकवान्नरः कश्चित्, स्वभावाद्धर्मतत्त्वताम् । शीघ्रं विज्ञाय गृह्णाति, कपिलाह्वगुरोरिव ॥१॥ ભાવાર્થ-“કોઈક વિવેકી પુરુષ સ્વભાવથી જ ઘર્મનું તત્ત્વ જાણીને કપિલ નામના ગુરુની જેમ તત્કાળ તેને ગ્રહણ કરે છે.” કપિલ મુનિની કથા કૌશાંબી નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને ચૌદ વિદ્યાનો પારગામી કાશ્યપ નામનો બ્રાહ્મણ પુરોહિત હતો. તેને યશા નામની પત્ની હતી, અને કપિલ નામે પુત્ર હતો. તે પુત્રની બાલ્યાવસ્થામાં જ તેનો પિતા મરણ પામ્યો. એટલે કપિલને બાળક તથા અજ્ઞાની જાણીને રાજાએ તેના બાપને સ્થાને બીજા કોઈ યોગ્ય બ્રાહ્મણને પુરોહિતપદે સ્થાપન કર્યો. તે હમેશાં ઘોડા પર બેસી માથે છત્ર ઘરાવી ઘણા સેવકો સહિત રાજદ્વારમાં જતો, ત્યારે તેને જોઈને કપિલની માતા રુદન કરતી હતી. એકદા પોતાની માતાને રડતી જોઈને કપિલે તેનું કારણ પૂછ્યું કે-“હે માતા! તું આ બ્રાહ્મણને જોઈને કેમ રડે છે? મારી પાસે તેનું ખરેખરું કારણ કહે.” ત્યારે તેની માતાએ કહ્યું કે“હે પુત્ર! તારા પિતાને સ્થાને રાજાએ આ બ્રાહ્મણને રાખ્યો છે. અત્યારે જેવો આ સંપત્તિવાળો દેખાય છે, તેવા જ તારા પિતા પ્રથમ હતા. તેથી આને જોઈ તારા પિતાનું સ્મરણ થવાથી ખેદ થવાને લીધે હું રડું . તું અભણ હોવાથી આ તારા પિતાની લક્ષ્મી પામ્યો છે.” કપિલ બોલ્યો કે-“હે માતા! મારા પિતાનું સ્થાન મને શી રીતે મળે?” તે બોલી કે–“તું વિદ્યાભ્યાસ કર, તો પછી રાજા તને તારા પિતાને સ્થાને સ્થાપન કરશે.” તે બોલ્યો કે-“હે માતા! હું કોની પાસે અભ્યાસ કરું?” ત્યારે તેણે કહ્યું કે “આ નગરીમાં તો સર્વ તારા દ્વેષી છે; તેથી તું શ્રાવસ્તી નગરીએ જી. ત્યાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત નામનો પંડિત બ્રાહ્મણ રહે છે તે તને સમગ્ર કળામાં નિપુણ કરશે.' તે સાંભળીને કપિલ શ્રાવસ્તી નગરીએ ગયો. ત્યાં ઇંદ્રદત્તના ચરણમાં નમીને તેણે નમ્રતાથી વિનંતી કરી કે “હે પૂજ્ય કાકા! મારી માતાએ મને તમારી પાસે મોકલ્યો છે, તેથી હું અભ્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy