SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ પાણિગ્રહણ થયું. પરંતુ શીળ પાળવાના ક્રમમાં જે દિવસ જિનદાસને છૂટો હતો તે દિવસે સૌભાગ્યદેવીને નિયમ હતો, અને જે દિવસે સૌભાગ્યદેવીને છૂટો હતો તે દિવસે જિનદાસને નિયમ હતો. આવી હકીકત બનવાથી સૌભાગ્યદેવીએ જિનદાસને કહ્યું કે-“હે સ્વામી! હું તો નિરંતર શીળ પાળીશ, તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરો.” તેણે કહ્યું કે–“મારે તો ફરી લગ્ન કરવા નથી, પરંતુ હું તો યોગ્ય અવસરે દીક્ષા લઈશ.” પછી તે દંપતીએ ગુરુ પાસે જઈને જીવન પર્યત હંમેશને માટે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું, અને પહેરામણી વગેરે કરીને શ્રી સંઘનો પણ સત્કાર કર્યો. માટે તે દંપતીના જેવા બાળબ્રહ્મચારી અમે તો કોઈ પણ સાંભળ્યા નથી.” આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવંકર તે જિનદાસની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પોતાને ગામ ગયો. આ પ્રમાણે દ્રૌપદી, કળાવતી, શીલવતી, સુભદ્રા, સુદર્શન શેઠ અને જંબૂસ્વામી વગેરેનાં સેંકડો દ્રષ્ટાંતો શીલોપદેશમાળા, શીળકુળક વગેરેથી શીળવ્રતના માહામ્ય વિષે જાણવાં. () તપ ધર્મનું વર્ણન તપના જેવું ભાવમંગળ બીજું એક પણ નથી. કેમકે તે જ ભવમાં નિયમથી મુક્તિ પામનારા તીર્થકરોએ પણ તપ કર્યું હતું. તે વિષે કહ્યું છે કે संवच्छरमुसभजिणो, छम्मासा वद्धमाणजिणचंदो । इअ विहरिआ निरसणा, जइज्जए उवमाणेणं ॥१॥ ભાવાર્થ-“ઋષભ સ્વામીએ એક વર્ષ સુધી અને જિનોને વિષે ચંદ્ર સમાન શ્રી વર્ધમાન સ્વામીએ છ માસ સુધી નિરશનપણે (ઉપવાસ કરીને) વિહાર કર્યો હતો, તેથી બીજાઓએ પણ યથાશક્તિ તપને વિષે પ્રયત્ન કરવો.” તપથી ઇષ્ટ મનોરથની આપોઆપ સિદ્ધિ થાય છે. ચક્રવર્તી રાજાઓ અઠ્ઠમ તપ કરીને જ માગઘ, વરદામ, ગંગા, સિંઘુ અને પ્રભાસ વગેરેના અધિષ્ઠાયક દેવોને જીતે છે. તથા હરિકેશી વગેરે મુનિની જેમ તપથી દેવ સાન્નિધ્ય થાય છે. શ્રી ઋષભદેવ સ્વામીની પુત્રી અને બાહુબળીની બહેન સુંદરીની જેવું તપ કરવું. તેનું તપ નીચેની ગાથાથી જાણવું. सद्धिं वाससहस्सा, अविलंबं अंबिलाइं विहिआइं । जीए निक्खमण कए, सा सुंदरी साविआ धन्ना ॥१॥ ભાવાર્થ-જેણે દીક્ષા લેવા માટે સાઠ હજાર વર્ષ સુધી નિરંતર આંબેલ કર્યા તે સુંદરી શ્રાવિકાને ઘન્ય છે.” વળી તપથી કોઢ વગેરે વ્યાધિઓ પણ નાશ પામે છે. કહ્યું છે કે छज्जइ सणंकुमारो, तवबल खेलाइलद्धिसंपन्नो । નિgવડિગંગુતિ, સુવસોહં પથાસંતો શી ભાવાર્થ-“છ ખંડને જીતનાર સનકુમાર ચક્રીને તપના પ્રભાવથી ખેલૌષધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તેથી પોતાની કોઢવાળી આંગળી ઉપર થૂક ચોપડીને તેમણે સુવર્ણ સમાન કાંતિવાળી કરી દેખાડી હતી. (સનસ્કુમારે દીક્ષા લીધા પછી તેમના શરીરની ચિકિત્સા કરવાના મિષથી વૈદ્યનું રૂપ ઘારણ કરીને બે મિથ્યાત્વી દેવો પરીક્ષા કરવા આવ્યા હતા, તે વખતની આ વાત છે.)” માટે તપ અવશ્ય કરવું. કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy