SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી ઉપદેશપ્રાસાદે ભાષાંતર–ભાગ ૪ સ્તિંભ ૧૫ એકદા ચાર જ્ઞાનને ઘારણ કરનારા ઘર્મઘોષ નામના સૂરિ ત્યાં પઘાર્યા. ઘન પોતાના ભાઈઓ સહિત સૂરિને વાંદવા ગયો. સૂરિને વાંદી દેશના સાંભળીને ઘનાએ નમ્રતાપૂર્વક પૂછ્યું કે-“હે ભગવન્! મારા ત્રણે ભાઈઓ કયા કર્મથી નિર્ધન રહ્યા?” તે સાંભળી ગુરુએ તેમનો પૂર્વભવ આ પ્રમાણે કહ્યો કે “કોઈ એક ગામમાં ત્રણ ભાઈઓ કાષ્ઠના ભારા વેચીને આજીવિકા ચલાવતા હતા. એક દિવસ લાકડાં લેવા માટે તેઓ સાથે ખાવાનું ભાતું લઈને વનમાં ગયા. મધ્યાહ્નકાળે ખાવા બેઠા, તે વખતે કોઈ સાધુ માસક્ષપણને પારણે ત્યાં આવ્યા. તેમને જોઈને દાન આપવાની ઇચ્છા થવાથી તેમણે પોતાના ભાતામાંથી દાન દીધું. મુનિ ગયા પછી તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે “આપણે ભૂલ કરી, આ સાધુ ફોગટનું લઈને જતા રહ્યા અને આપણે ભૂખ્યા રહ્યા. એ સાધુ કાંઈ ઉત્તમ કુળના નહોતા; પણ એમાં તેનો દોષ નથી, આપણે જ મૂર્ખ કે ફોગટ ભૂખે મર્યા.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતા કરતા તેઓ પોતાને ઘેર ગયા. અનુક્રમે આયુષના ક્ષયે મરણ પામીને અલ્પદ્ધિવાન વ્યંતરપણું પામી ત્યાંથી અવીને તેઓ અહીં ઉત્પન્ન થયા છે. પૂર્વે મુનિરાજને દાન આપીને પશ્ચાત્તાપ કરવાથી આ ભવમાં વારંવાર નિર્ધનપણું પામ્યા છે. કહ્યું છે કે पश्चात्तापो न तत्कार्यो, दत्ते दाने मनीषिभिः । किं तु पुण्यद्रुमो भावजलेन परिषिच्यते ॥४॥ ભાવાર્થ-“દાન દઈને સુજ્ઞ પુરુષોએ પશ્ચાત્તાપ કરવો નહીં. પરંતુ ભાવરૂપી જળ વડે પુણ્યરૂપી વૃક્ષનું સિંચન કરવું.” પછી શાલિભદ્રની બહેન સુભદ્રાએ ગુરુને પૂછ્યું કે–“હે ગુરુ! કયા કર્મ કરીને મેં માટીનું વહન કર્યું?” ગુરુ બોલ્યા કે-“જ્યારે પૂર્વ ભવમાં ઘનો એક ડોશીનો પુત્ર હતો અને ગાયો ચારતો હતો, ત્યારે તમે પહેલી ચારે પ્રિયાઓ તેના પાડોશમાં રહેનારી પાડોશણો હતી. ઘનાએ ખીર માગી અને તેની માતા રોઈ, તે વખતે તમે ચારે દયાળુ પાડોશણો ભેગી થઈ અને તેને ખીર કરી આપવા માટે તમારામાંથી એકે દૂઘ, બીજીએ ચોખા, ત્રીજીએ ખાંડ અને ચોથીએ ઘી આપ્યું હતું. તે કાર્યથી તમે ચારેએ જે પુણ્ય ઉપાર્જન કર્યું હતું તેના પ્રભાવથી તમે આ ભવમાં રાજપુત્રી વગેરે થયાં છો. હવે હે સુભદ્રા! તેં માથે માટી વહન કરવાનું જે કર્મ બાંધ્યું હતું તેનું કારણ સાંભળ-પૂર્વે તારી દાસીએ માથે છાણ ઉપાડતાં વધારે ભાર લાગવા સંબંધી તને કાંઈક અરજ કરી, એટલે તેં તિરસ્કાર પૂર્વક તેને કહ્યું કે- તું તો મોટી શેઠાણી ખરીને!તારાથી કાંઈ ભાર ઊપડે?” આવા શબ્દો કહેવાથી તેને બહુ દુઃખ લાગ્યું. તે કર્મ વડે તું શાલિભદ્રની બહેન થઈ છતાં તારે માટી ઉપાડવી પડી.” આ પ્રમાણે સર્વના સંશય છેદીને ગુરુએ વિહાર કર્યો. પછી ઘનો સદા સુખમાં મગ્ન રહ્યો તો દિવસો નિર્ગમન કરવા લાગ્યો. છેવટે તેને વૈરાગ્ય પ્રાપ્ત થવાથી તેણે દીક્ષા ગ્રહણ કરી, તે વિષેનું સર્વ વૃત્તાંત શાલિભદ્રની કથામાંથી સુજ્ઞ પુરુષોએ જાણી લેવું. “જે નિર્ભાગી માણસો પ્રથમ મુનિને દાન દઈને પછી પશ્ચાત્તાપ કરે છે તે દૈવયોગે પામેલા શ્રેષ્ઠ વહાણનો ત્યાગ કરીને ઊંચેથી સમુદ્રમાં ઝંપાપાત કરવા જેવું કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy