SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 39 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ ઉપરાંત રાંધેલું અન્ન ખાવા મળતું. તેથી તે સરોવરમાં બીજા મજૂરોની સાથે તે પણ કુટુંબ સહિત મજૂરી કરવા રહ્યો, અને પોતાનો નિર્વાહ કરવા લાગ્યો. એક દિવસ ઘનો ઘોડાપર ચડીને તે તળાવ જોવા આવ્યો. ત્યાં મજૂરોની સાથે કામ કરતું પોતાનું કુટુંબ અને પત્નીને જોઈને તે વિચાર કરવા લાગ્યો કે—“અહો! દૈવે આ શું કર્યું? गोभद्रो जनको यस्या, भद्रा यस्या जनन्यहो । शालिभद्रानुजा सेयं, शीर्षे वहति मृत्तिकाम् ॥ १॥ ભાવાર્થ-અહો! જેનો પિતા ગોભદ્ર છે, અને જેની માતા ભદ્રા છે, તે આ શાલિભદ્રની નાની બહેન મસ્તક ઉપર માટી વહન કરે છે.’’ આ પ્રમાણે વિચારીને ઘનાએ અજાણ્યા થઈને તેમને પૂછ્યું કે—‘તમે ક્યાં રહો છો? અને ક્યાંથી આવ્યા છો?’' ત્યારે શ્રેષ્ઠીએ લગ્ન સહિત પોતાના કુટુંબનો સર્વ વૃત્તાંત કહ્યો. પછી કહ્યું કે—‘હે જગતપાલક! મારા કુટુંબને છાશ વિના બહુ અડચણ પડે છે તેથી છાશ આપવાની કૃપા કરો.’ ત્યારે ઘનાએ કહ્યું કે-‘છાશ લેવા માટે ખુશીથી તમારી વહુઓને મારે ઘેર મોકલજો.'' પછી હમેશાં ચારે વહુઓ તેને ઘેર છાશ લેવા માટે વારાફરતી જવા લાગી. એક દિવસ સુભદ્રાનો વારો હોવાથી તે ગઈ, ત્યારે તેને ઘનાએ પૂછ્યું કે−‘‘હે ભદ્રે! તું કોણ છે?’’ તે લગ્નથી નીચું મુખ રાખીને બોલી કે—‘‘તમે મને વારંવાર પૂછશો નહીં. હું ગોભદ્રશેઠની પુત્રી અને શાલિભદ્રની બહેન છું. તમારા નામના એક શ્રેષ્ઠીના પુત્રને હું પરણી હતી, પરંતુ ઘરમાં ક્લેશ થવાથી તે મને તજીને કોઈક સ્થાને જતા રહ્યા છે.’” તે સાંભળી ઘનાએ કહ્યું કે—“હે ભદ્રે ! પતિના વિયોગે તું શી રીતે રહી શકે છે? માટે તું પતિવ્રત છોડીને મારી સાથે ભોગ ભોગવ.’’ તે સાંભળીને સુભદ્રા બોલી કે– गतियुगलकमेवोन्मत्तपुष्पोत्करस्य त्रिनयनतनुपूजां वाऽथवा भूमिपातः । विमलकुलभवानामंगनानां पतिकरफरसो वा सेवते शरीरं सप्तजह्वः ॥१॥ ભાવાર્થ-‘ખીલેલા પુષ્પોની બે જ ગતિ હોય છે, તે કાં તો મહાદેવના શરીરની પૂજાના ઉપયોગમાં આવે છે અથવા તો ખરીને ભૂમિ પર પડે છે; તેવી જ રીતે નિર્મળ કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓના શરીરને પણ પોતાના સ્વામીના હાથનો સ્પર્શ થાય છે અથવા તો અગ્નિ તેનું સેવન કરે છે.’’ આ પ્રમાણે ઘણી રીતે તેની પરીક્ષા કરતાં તેને દૃઢ શીળવાળી જાણીને ઘનાએ પૂર્વનો સર્વ વૃત્તાંત તેને જણાવ્યો, એટલે સુભદ્રા તેમને પોતાના ભત્તુર તરીકે ઓળખીને લક્ષ્મથી નીચું જોઈ રહી. પછી ઘનાએ તેને ઘરમાં મુખ્ય પદવી આપી સર્વની સ્વામિની કરી. આ વૃત્તાંત ઘનસારે સાંભળ્યું, તેથી લોકો પાસે ઘનાની નિંદા કરતા કરતા તે ઘનાને ઘેર ગયા. ઘનાએ પોતાની ઓળખાણ આપી નમસ્કાર કરીને તેમને ઘરમાં રાખ્યા. એવી જ રીતે અનુક્રમે પોતાની મા તથા મોટા ભાઈઓને પણ સત્કાર કરીને ઘરમાં રાખ્યા. પછી તે મોટા ભાઈઓની ત્રણ વહુઓ બાકી રહી. તેમણે વિચાર્યું કે—“આપણા સાસુસસરાને તથા સ્વામીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy