SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૮] સુપાત્રદાનનું માહાભ્ય ૩૫ આપીને ફરીથી તેમને સુખી કર્યા. કેટલોક કાળ ગયા પછી ઘનાના મોટા ત્રણ ભાઈઓએ એક દિવસ પોતાના પિતાને કહ્યું કે–“હે પિતા!ઘરનું સમગ્ર દ્રવ્ય આજ ને આજ વહેંચીને અમારો ભાગ અમને આપો.” પિતાએ કહ્યું કે-“હે મૂખ! હાલ તો તમે બધું ઘનાનું મેળવેલું દ્રવ્ય જ ભગવો છો તેમાં મારું શું છે કે હું તમને વહેંચી આપું?” ત્યારે તેઓ બોલ્યા કે-“જ્યારે ઘનો ઘરથી નાસી ગયો હતો, ત્યારે ચોરની જેમ ઘરમાંથી રત્નાદિક સારભૂત વસ્તુઓ લઈ ગયો હતો, તેથી ઘનાના પુત્રો ભલે રાજ્ય ભોગવે, પણ અમે તો અમારો દ્રવ્યનો ભાગ લીધા વિના આવતી કાલે જમવાના નથી.” આ પ્રમાણે કુટુંબમાં ક્લેશ થતો જાણીને ઘનો તે જ રાત્રીએ એકલો ઘર છોડીને ચાલતો થયો. ચાલતાં ચાલતાં ઘનો કૌશાંબી નગરીએ પહોંચ્યો. ત્યાં મૃગાવતી રાણીના પતિ શતાનિક રાજા રાજ્ય કરતા હતા. ઘનો નગરીના ચૌટામાં ગયો, ત્યાં તેણે રાજાએ કરાવેલી આઘોષણા સાંભળી કે“રાજાના ભંડારમાં એક અમૂલ્ય રત્ન છે, તેની જે કોઈ પરીક્ષા કરશે તેને રાજા આ પ્રમાણેની વસ્તુઓ આપશે हस्तिनां शतमेकं च, वाजिनां शतपंचकम् । सौभाग्यमंजरी पुत्री, ग्रामपंचशतीयुताम् ॥१॥ ભાવાર્થ-એકસો હાથી, પાંચસો ઘોડા અને પાંચસો ગામ સહિત સૌભાગ્યમંજરી નામની પુત્રી" આવી ઉદ્ઘોષણા સાંભળીને ઘનો તેનું નિવારણ કરીને રાજસભામાં ગયો; અને રત્નની પરીક્ષામાં નિપુણ હોવાથી તેણે તે રત્નની પરીક્ષા કરી. તેથી વિસ્મય પામેલા રાજાએ ઘણા દ્રવ્ય સહિત પોતાની પુત્રી તેને પરણાવી. ત્યાં સુખમાં નિમગ્ન થયેલો ઘનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસે પોતાની કીર્તિને માટે લોકરીતિને અનુસરીને ઘનાએ નગરીના સમીપ ભાગમાં એક તળાવ ખોદાવવા માંડ્યું. અહીં ઘનસાર શ્રેષ્ઠીના ઘરમાંથી ઘનો ગયો ત્યારથી તેની સ્થિતિ નબળી થવા લાગી. છેવટે એવી સ્થિતિ થઈ કે घृतं नास्ति तैलं नास्ति, नास्ति मुद्गो युगंधरी । वल्लार्थं लवणं नास्ति, तत्रास्ति यत्प्रभुज्यते ॥१॥ ભાવાર્થ-“ઘી નથી, તેલ નથી, મગ કે જુવાર પણ નથી, વાલમાં નાખવા લૂણ પણ નથી અર્થાતું એવું કાંઈ પણ નથી કે જે ખાઈ શકાય.” આવી સ્થિતિ થવાથી ઘનસાર શેઠે ઘનાની બે પત્નીઓને તો તેમને પિયર મોકલી, પણ શાલિભદ્રની બહેને પિયર જવાની ના પાડી અને કહ્યું કે सुखे च विभवोल्लासे, सेव्यं स्त्रीभिः पितुर्गृहम् ।। श्वशुरस्य गृहं दुःखे, सुखे दौस्थ्येऽपि सर्वदा ॥१॥ ભાવાર્થ-“સુખના વખતમાં અને વૈભવના સમયમાં સ્ત્રીઓએ પિતાને ઘેર જવું, અને સસરાના ઘરમાં તો સુખમાં, દુઃખમાં અને ખરાબ સ્થિતિમાં પણ સર્વદા રહેવું.” આ પ્રમાણે તે વહુનું વચન સાંભળીને ઘનસાર હર્ષિત થયો. પછી પુત્રોને અને વહુઓને લઈને તે રાત્રીએ ગામમાંથી નીકળી ગયો. અનુક્રમે ફરતો ફરતો તે કૌશાંબી નગરીમાં આવ્યો. ત્યાં તેણે સાંભળ્યું કે–“અહીં એક તળાવ ખોદાય છે.” તે સાંભળી પોતાની આજીવિકા ચલાવવા માટે તે કુટુંબ સહિત ત્યાં ગયો. ત્યાં પુરુષોને હમેશાં બે દીનાર અને સ્ત્રીઓને એક દીનાર મળતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy