SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ ગુણોની પરીક્ષા કરો.” પિતાએ પરીક્ષા કરવા માટે ચારે પુત્રોને બત્રીસ-બત્રીશ સોનામહોરો આપી, અને કહ્યું કે-“આટલા દ્રવ્ય વડે વેપાર કરીને નફો કરી લાવો.” ઘનાએ તે દિવસે પશવ્યાપારમાં લાભ થવો જાણીને તે દ્રવ્યનો એક બળવાન મેંઢો લીઘો. પછી રાજપુત્રના મેંઢા સાથે લડાવવા માટે હજાર સોનામહોરની શરત કરીને તેની સાથે લડાવ્યો. તેમાં રાજપુત્રનો મેંઢો હાર્યો, તેથી એક હજાર સોનામહોર મેળવીને તે પોતાને ઘેર ગયો. તેના મોટા ત્રણે ભાઈઓએ પોતપોતાને મળેલી બત્રીશ બત્રીશ સોનામહોર વડે જુદા જુદા વેપાર કર્યા, પણ તેમાંથી કાંઈ નફો મેળવ્યો નહીં. એ પ્રમાણે અનેક ઉપાયો ઘનાના સફળ થયા, અને મોટા ત્રણ ભાઈઓના નિષ્ફળ થયા. હવે તે ગામમાં એક ઘનાઢય શ્રેષ્ઠી રહેતો હતો. તે અતિ પણ હોવાથી તેણે ઘરમાં ખાડો ખોદીને તેમાં કેટલુંક ઘન દાઢ્યું હતું. બાકીના દ્રવ્યના અમૂલ્ય રત્નો લઈને પોતાના સૂવાના ખાટલાના પાયા વગેરેમાં ગુપ્ત રીતે છુપાવ્યા હતા, અને પેલા ખાડા ઉપર તે ખાટલો રાખી તેની ઉપર તે નિરંતર સૂઈ રહેતો હતો. પછી જ્યારે તે મરવા પડ્યો ત્યારે તેણે પોતાના પુત્રોને કહ્યું કે-“જ્યારે હું મરી જાઉં, ત્યારે આ ખાટલા સહિત મારો અગ્નિસંસ્કાર કરજો.” અનુક્રમે કાંઈ પણ દાન પુણ્ય કર્યા વિના તે વૃદ્ધ મૃત્યુ પામ્યો; એટલે તેને તેના પુત્રો ખાટલા સહિત સ્મશાનમાં લઈ ગયા. કેમકે તેઓ તે ખાટલામાં રત્નો છે એવું જાણતા નહોતા. સ્મશાનમાં ચાંડાલે પોતાનો હક્ક હોવાથી તે ખાટલો માગ્યો; તે આપવાની ના કહેવાથી તેની સાથે તેમને કજિયો થયો. છેવટે પોતાના સંબંધીઓના કહેવાથી તેઓએ તે ખાટલો ચાંડાલને આપ્યો, એટલે ચાંડાલ તે ખાટલો વેચવા માટે ચૌટામાં લઈ ગયો. તે વખતે લબ્ધલક્ષ ઘનાએ કેટલાક ચિહ્નોથી તે ખાટલાને દ્રવ્યસંયુક્ત જાણીને યોગ્ય મૂલ્ય આપીને તે ખાટલો ખરીદ કર્યો. ઘેર જઈને ખાટલો ભાંગ્યો, તો તેમાંથી અમૂલ્ય રત્નો નીકળ્યાં, તેથી ઘન મોટો ઘનાઢ્ય થયો. તેના ભાઈઓને આ જોઈને તેના પર ઘણી ઈર્ષા થઈ, તેથી તેઓ તેને મારી નાખવા સુઘીના ઉપાયો ચિંતવવા લાગ્યા. તે વૃત્તાંત તે ભાઈઓની વહુઓએ પુત્રના જેવી પ્રીતિથી ઘનાને એકાંતમાં કહ્યા. તે સાંભળી ઘનો ઘરમાંથી એકલો જ નીકળી ગયો; અને પૃથ્વી ઉપર ભમતો ભમતો રાજગૃહી નગરીની સમીપે પહોંચી તેની બહારના એક ઉદ્યાનમાં વિશ્રામ લેવા માટે બેઠો. તે ઉદ્યાન પ્રથમ દૈવયોગે કેવળ સુકાઈ ગયું હતું, તે ઘનાના પુણ્યપ્રભાવ પડે તત્કાળ નવપલ્લવિત અને પુષ્પફળવાળું થઈ ગયું, તે જોઈને ઉદ્યાનના રક્ષકે તે વૃત્તાંત તેના ઘણી કુસુમપાળ શ્રેષ્ઠીને કહ્યો. તે સાંભળી કુસુમપાળ શ્રેષ્ઠી વિસ્મય પામ્યો, અને ઘનાને પોતાને ઘેર તેડી લાવી પોતાની પુત્રી તેને આપી. તે વખતે તે નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા, તેમણે પણ હર્ષિત થઈને પોતાની પુત્રી ઘનાને આપી. રાજપુત્રીની સખી સુભદ્રા નામની શાલિભદ્રની બહેન હતી, તેને પણ તેના સ્વજનોએ ઘનાને આપી. તે ત્રણે કન્યાઓનાં લગ્ન મોટી સમૃદ્ધિપૂર્વક શ્રેણિક મહારાજાએ કર્યા. પછી રાજાએ તેને રહેવા માટે મોટો મહેલ આપ્યો, તેમાં રહીને ઘનો પૂર્વજન્મમાં આપેલા સુપાત્રદાનનું ફળ ભોગવવા લાગ્યો. શ્રેણિક રાજાએ કેટલાંક ગામો પણ તેને આપ્યાં. એક વખતે ઘનો પોતાના મહેલની બારીમાં બેઠો હતો, તે સમયે તેણે પોતાના કુટુંબને ગરીબ હાલતમાં તે શહેરમાં ફરતું જોયું. એટલે તેમનો સત્કાર કરી ઘેર લઈ આવી, કેટલાંક ગામ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy