SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૭] દાન ધર્મની દેશના ૩૧ ,, પણ ફળની ઇચ્છાએ આપવામાં આવે તે દાન રાજસ કહેલું છે.'' આ બાબતમાં ચંદનબાળાની વૃદ્ધ પાડોશણનું દૃષ્ટાંત છે જે પૂર્વે કહેલું છે. क्रोधाद् बलाभियोगाद्वा, मनोभावं विनाऽपि वा । यद्दीयते हितं वस्तु, तद्दानं तामसं स्मृतम् ॥७॥ ભાવાર્થ-ક્રોધથી, બળાત્કારથી અથવા મનના ભાવ વિના જે સારી વસ્તુ પણ દાનમાં અપાય છે તે દાન તામસ કહેલું છે.’’ આ સંબંધમાં શ્રેણિક રાજાની કપિલા દાસીનું દૃષ્ટાંત જાણવું. હવે નિષ્કામભાવે દાન આપવા વિષે કહે છે– दुल्लहाओ मुधादाई, मुधाजीवीऽवि પુછુહા | मुहादायी ' मुहाजीवि, दोवि गच्छंति सुग्गई ॥८॥ ભાવાર્થ–કોઈ પ્રકારની ઇચ્છા વિના દાન કરનારા દુર્લભ છે, અને નિષ્કપટપણે આજીવિકા ચલાવનારા પણ દુર્લભ છે, બાકી એવા દાતાર અને એવા આજીવિકા કરનાર બન્ને સદ્ગતિને પામે છે. આ વિષય ઉપર ભાગવત નામના કણબીનું દૃષ્ટાંત છે તે નીચે પ્રમાણે કોઈ એક તાપસે કોઈક ભક્તિવાળા પુરુષને કહ્યું કે—“તારે ઘેર મને ચાતુર્માસ રહેવા દે.’’ તે પુરુષે કહ્યું કે—જો તમે પાછો મારો કાંઈ પણ પ્રત્યુપકાર ન કરો તો ખુશીથી રહો.'' તાપસે તે અંગીકાર કર્યું, એટલે પેલાએ તેને રહેવા માટે આવાસ આપ્યો, અને આહારાદિક વડે તેની ભક્તિ કરવા લાગ્યો. એકદા ચોરોએ આવીને તેનો ઘોડો હરણ કર્યો, પણ ગામની બહાર નીકળતાં પ્રાતઃકાળ થઈ જવાથી ચોરોએ વિચાર્યું કે—“હવે અત્યારે આ ઘોડો આપણાથી લઈ જવાશે નહીં.” એમ ઘારીને ઘણા વૃક્ષોની ઘટામાં તે ઘોડાને બાંઘી દઈને તેઓ જતા રહ્યા. પ્રાતઃકાળે પેલો તાપસ સ્નાન કરવા માટે તળાવ ઉપર ગયો, ત્યાં તળાવની સમીપે સાંકડી ગલીમાં પેલો ઘોડો બાંધેલો તેણે જોયો. એટલે ‘“મારા ઉપકારી ભાગવત પટેલનો ચોરોએ હરણ કરેલો આ ઘોડો છે.’' એમ તેણે ઓળખ્યો. તેથી તે પોતાનું ઘોયેલું વસ્ત્ર ત્યાં ભૂલી જવાને મિષે મૂકી દઈ ઘેર જઈને ભાગવત પટેલને કહ્યું કે—‘મારું ઘોયેલું વસ્ત્ર હું તળાવ ઉપર ભૂલી ગયો છું તે મંગાવી દો.’’ તેણે પોતાના ચાકરને તે લેવા મોકલ્યો. તેણે ત્યાં જઈને વસ્ત્ર લીધું, તો પાસે પોતાના શેઠનો ઘોડો બાંધેલો જોયો, એટલે તેને પણ લેતો આવ્યો, અને ઘરઘણીને તે વૃત્તાંત કહ્યો. ઘરઘણીએ મનમાં વિચાર્યું કે—“અહો! આ તપસ્વીએ બીજું મિષ કરીને પણ મારા પર ઉપકાર કર્યો.’ પછી તેણે તાપસને બોલાવીને કહ્યું કે—‘‘હે ભદ્ર! હવે તમે અહીંથી પધારો, કારણ કે ઉપકારીને આપેલું દાન નિષ્ફળ જાય છે.’' હવે મુધાજીવી (નિષ્કપટ જીવનાર) નું દૃષ્ટાંત કહે છે. કોઈ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તેથી તેણે ધર્મની પરીક્ષા કરવા માટે વિચાર કર્યો કે‘‘વાસ્તવિક રીતે દાન લઈને કોણ ભોજન કરે છે? તેની હું તપાસ કરું.” એમ વિચારી તેણે પોતાના સેવકને હુકમ કર્યો કે–‘રાજા લાડુ આપે છે તે આવીને લઈ જાઓ,' એવી સર્વત્ર આઘોષણા કરાવો.’’ તેણે તેમ કરવાથી ઘણા ભિક્ષુકો લાડુ લેવા માટે આવ્યા. તેમને રાજાએ પૂછ્યું કે–‘તમે શા વડે જીવો છો?'' ત્યારે તેમાંથી એક જણ બોલ્યો કે—‘હું મુખ વડે જીવું છું.'' બીજાએ ૧. મુધાવાથી = નિષ્કામભાવે દાન આપનાર ૨. મુધાનીવી = નિષ્કપટપણે જીવન જીવનાર – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy