SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ યુધિષ્ઠિર અને ભીમના સંવાદમાં કહ્યું છે કે—હસ્તિનાપુર નગરને વિષે એકદા ધર્મપુત્ર (યુધિષ્ઠિર) સભામાં બેઠા હતા, તે વખતે દરવાજે ઊભેલા ભીમસેને સભામાં આવીને ધર્મરાજાને કહ્યું કે– मूर्खतपस्वी राजेन्द्र, विद्वांश्च वृषलीपतिः । उभौ तौ तिष्ठतो द्वारे, कस्य दानं प्रदीयते ॥ १ ॥ 30 ભાવાર્થ-“હે રાજન્! એક મૂર્ખ છે પણ તપસ્વી છે, અને બીજો વિદ્વાન છે પણ વૃષલીનો પતિ છે (ભ્રષ્ટ છે). તે બન્ને દ્વારમાં ઊભા છે, તેમાં કોને દાન આપવું?’’ ત્યારે યુઘિષ્ઠિરે કહ્યું કે– सुखसेव्यं तपो भीम ! विद्या कष्टदुराधरी । विद्यां संपूजयिष्यामि, तपोभिः किं प्रयोजनम् ||२|| ભાવાર્થ—“હે ભીમ! તપનું સેવન સુખેથી થઈ શકે છે, પણ વિદ્યા તો મહાકષ્ટથી ભણાય છે, માટે હું વિદ્યાનો સત્કાર કરીશ, માત્ર તપનું શું પ્રયોજન છે?’’ તે સાંભળી ભીમસેન બોલ્યો કે श्वानचर्मगता गंगा, क्षीरं मद्यघटस्थितम् । कुपात्रे पतिता विद्या, किं करोति युधिष्ठिर ॥३॥ ભાવાર્થ-“હે રાજા યુધિષ્ઠિર! જેમ કૂતરાના ચામડાની મસકમાં ભરેલું ગંગાજળ અને મદિરાના ઘડામાં ભરેલું દૂધ કામ આવતું નથી, તેમ કુપાત્રને વિષે રહેલી વિદ્યા પણ શું કામની છે?’’ ભીમસેનમાં આવાં વચન સાંભળી સભામાં બેઠેલા કૃષ્ણ દ્વીપાયન બોલ્યા કે न चैकविद्यया पात्रं, तपसाऽपि च पात्रता । यत्र विद्या चरित्रं च तद्धि पात्रं प्रचक्ष्यते ॥ ४ ॥ ભાવાર્થ-કેવળ વિદ્યા વડે પાત્ર કહેવાય નહીં, તેમજ કેવળ તપ વડે પણ પાત્રતા કહેવાય નહીં, પરંતુ જ્યાં વિદ્યા અને આચાર બન્ને રહ્યા હોય છે, તે જ પાત્ર કહેવાય છે.’’ આ પ્રમાણે હોવાથી પાત્રને દાન આપવું તે જ કલ્યાણકારી છે અને તે દાન ભાવપૂર્વક આપવું. હવે તે દાનના કોઈ અપેક્ષાએ ત્રણ પ્રકાર કહે છે સાત્ત્વિક, રાજસ અને તામસ. તે આ પ્રમાણે– दातव्यमिति યદ્દાનં, दीयतेऽनुपकारिणे । क्षेत्रे काले च भावे च तद्दानं सात्त्विकं स्मृतम् ॥५॥ ભાવાર્થ દેવા યોગ્ય એવું દાન પણ જે ‘અનુપકારીને દેવાય અને યથાયોગ્ય ક્ષેત્ર, કાળ અને ભાવનો વિચાર કરીને અપાય તે દાન સાત્ત્વિક કહેલું છે.” આવું સાત્ત્વિક દાન શાલિભદ્ર વગેરેએ આપ્યું છે. यस्तु प्रत्युपकाराय फलमुद्दिश्य वा पुनः । प्रदीयते परिक्लिष्टस्तद्दानं राजसं स्मृतम् ॥६॥ ભાવાર્થ-‘જે દાન ઉપકારના બદલામાં પ્રત્યુપકારને માટે દેવામાં આવે અથવા જે દાન કાંઈ ૧. અહીં અનુપકારીને દાન આપવું એમ કહ્યું છે, તેનો અર્થ એમ નથી કે જેણે ઉપકાર કર્યો હોય તેને દાન ન આપવું. પણ એનો આશય આમ છે કે માત્ર પાત્રતા જોઈને દાન આપવું, પછી ભલેને તેણે આપણા ઉપર ઉપકાર કર્યો ન હોય. કારણ કે ઉપકારીને દાન આપવામાં કાંઈ વિશેષતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy