SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી ઉપદેશપ્રાસદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૫ કહ્યું કે-“હું પગ વડે જીવું છું.” ત્રીજાએ કહ્યું કે-“હું હાથ વડે જીવું છું.” ચોથાએ કહ્યું કે-“હું લોકોની કૃપાથી જીવું છું.” અને પાંચમા જૈન સાધુએ કહ્યું કે-“હું મુઘા જીવું છું.” પછી રાજાએ ફરીથી તેમને પૂછ્યું કે-“શી રીતે?” ત્યારે પહેલાએ કહ્યું કે-“હું કથા કહેનાર છું, તેથી માણસોને રામાયણ વગેરેની કથા કહું છું, તેથી મારી આજીવિકા ચાલે છે, માટે મુખ વડે જીવું છું.” બીજાએ કહ્યું કે-“હું કાસદ છું, તેથી લોકોનું કાસદિયું કરીને આજીવિકા ચલાવું છું, તેથી પગ વડે જવું છું.” ત્રીજાએ કહ્યું કે-“હું લહિયો છું, તેથી લખવા વડે આજીવિકા ચલાવું છું; માટે હાથ વડે જીવું છું.” ચોથાએ કહ્યું કે-“હું ભિક્ષુક છું, તેથી લોકોની કૃપાથી ભીખ માંગીને આજીવિકા ચલાવું છું.” જૈન સાધુએ કહ્યું કે-“હું ગૃહસ્થનો પુત્ર છું, પણ સંસારની અસારતા જોઈને મેં વૈરાગ્ય વડે દીક્ષા ગ્રહણ કરી છે, તેથી યથાકાળે જેવો આહાર મળી જાય તેવા આહારથી ચલાવી લઉં છું, માટે મુઘા જીવું છું.” આ પ્રમાણે સાંભળીને રાજાએ વિચાર્યું કે “અહો! આ જ ઘર્મ સર્વ દુઃખનો નાશ કરનાર અને મોક્ષને સાઘનાર છે. આ પ્રમાણેનો નિશ્ચય કરીને તેણે જૈનઘર્મ અંગીકાર કર્યો. વળી દાનરૂપી અલંકાર વિનાની લક્ષ્મી પથ્થર અને મળરૂપ જ છે. જુઓ, નવનંદરાજાએ કૃપણતાદોષથી પાત્રદાન કર્યા વિના માત્ર પ્રજાને અત્યંત પીડા કરીને સુવર્ણની નવ ડુંગરીઓ કરી, તે દુર્ભાગ્ય યોગે કાળે કરીને પથ્થરરૂપ થઈ ગઈ. હજુ સુધી તે ડુંગરીઓ પાટલિપુર નગર પાસે ગંગાનદીને કાંઠે પીળા પથ્થરરૂપે દેખાય છે. રાજગૃહી નગરીમાં મમ્મણ શ્રેષ્ઠીએ મણિજડિત બે બળદ કર્યા હતા. તેમાં એક બળદનું શીંગડું અધૂરું હતું તે પૂરું કરવા માટે તે અનેક પ્રકારનાં કષ્ટ સહન કરતો હતો, પરંતુ પાત્રદાન નહીં કરવાથી તે બળદ પૃથ્વીમાં ને પૃથ્વીમાં જ વિનાશ પામી ગયા. તેથી મળેલા ઘનનું સુપાત્રમાં દાન કરવું જોઈએ. દાન શત્રુને આપ્યું હોય તો વૈરનો નાશ કરે છે, સેવકને આપવાથી તે વિશેષ ભક્તિમાન થાય છે, રાજાને આપવાથી ઉત્કૃષ્ટ સન્માન પામી શકાય છે, અને ભાટ, કવિ કે ચારણ વગેરેને આપવાથી સર્વત્ર યશ ફેલાય છે. દાન કોઈ પણ સ્થાને આપેલું નિષ્ફળ જતું નથી. તેમાં પણ સુપાત્રને દાન આપવાથી તો તે વિશેષ કલ્યાણકારી થાય છે. કહ્યું છે કે जले तैलं खले गुह्यं, पात्रे दानं मनागपि । प्राज्ञे शास्त्रं सतां प्रीतिर्विस्तारं यात्यनेकधा ॥४॥ ભાવાર્થ-જળમાં તેલ, ખળ પુરુષમાં છાની વાત, સુપાત્રમાં થોડું પણ દાન, ડાહ્યા પુરુષમાં વિદ્યા અને સન્મુરુષ સાથે પ્રીતિએ અલ્પ હોય તો પણ અનેક પ્રકારે વિસ્તાર પામે છે.” અહીં કોઈ શંકા કરે કે–પાત્ર અને અપાત્રનો વિચાર તો કૃપણ માણસ કરે છે, પણ ઉદાર માણસ કરતો નથી. તે વિષે કહ્યું છે કે पत्त परिक्खह किं करूं, दीजे मग्गंताहिं । किं वरिसंतो अंबुहर, जोवे सम विसमाइं॥४॥ ભાવાર્થ-“પાત્રની પરીક્ષા શા માટે કરવી? જે માગે તેને આપવું; કેમકે શું મેઘ સમ વિષમ પ્રદેશ જોઈને વૃષ્ટિ કરે છે? ના, ના, તે તો સર્વત્ર વૃષ્ટિ કરે છે.” આ શંકાનો ઉત્તર કહે છે वरिसो वरिसो अंबुहर, वरसीडां फळ जोइ । धंतुरे विष इक्खुरस, एवसो अंतर होइ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy