SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૬] ૨૫ ત્યાં તે પ્રથમ ગયો હતો તે રાજકુમાર બોલ્યો કે—“આ હજાર મહોર લઈ લો, અને મારું નામ રાજા આગળ કહેશો નહીં, અને બીજેથી કલેજાનું માસ લઈ લેજો.’’ ત્યારે અભયકુમારે તેટલું દ્રવ્ય લીધું; અને બીજે સ્થળે જઈને ત્યાં પણ તે પ્રમાણે જ કહ્યું, ત્યારે તેણે પણ હજાર સોનામહોર આપી, પણ માંસ આપ્યું નહીં. એવી રીતે સર્વ સ્થળે ભમતાં ભમતાં આખી રાત્રી નિર્ગમન કરીને એક લાખ સોનામહોર એકઠી કરી. પછી પ્રાતઃકાળે સભામાં આવી સર્વ ક્ષત્રિયોને તે દ્રવ્ય દેખાડીને અભયકુમાર બોલ્યો કે—‘હે ક્ષત્રિયો! તમે બોલ્યા હતા કે હાલમાં માંસ સૌથી સસ્તું છે, પરંતુ મને તો આટલા બધા દ્રવ્યથી પણ બે ટાંક માંસ મળ્યું નહીં.’’ તે સાંભળીને સર્વે ક્ષત્રિયો લજ્જિત થઈને મૌન રહ્યા. ત્યારે અભયકુમાર બોલ્યો કે—“સર્વને પોતાનો આત્મા વહાલો હોય છે. તમે માત્ર પારકા માંસના લોલુપી થઈને એવું અન્યથા વાક્ય બોલ્યા છો. કહ્યું છે કે– अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । સમાના નીવિતાળાંક્ષા, સમં મૃત્યુમ ોઃ [[]] ભાવાર્થ-‘વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગમાં રહેલા સુરેન્દ્રને જીવવાની આકાંક્ષા સરખી જ છે; અને તે બન્નેને મૃત્યુનો ભય પણ સરખો જ છે.’ વળી दुर्योनिमपि संप्राप्तः, प्राणी मर्तुं न वांछति । स्वादुवन्तो भवन्ति स्वस्वाहाराः कुक्षितावपि ॥२॥|| ભાવાર્થ-‘દુષ્ટ યોનિમાં જન્મેલો જંતુ પણ મરવાને ઇચ્છતો નથી; કેમકે ખરાબ પૃથ્વીમાં પણ પ્રાણીઓને પોતપોતાના આહાર સ્વાદવાળા જ લાગે છે.’ વળી જે મનુષ્ય હિંસા કરે છે તે અતિ દુઃખી થાય છે. કહ્યું છે કે गोपो बब्बूलशूलाग्रे प्रोतयूकोत्थपातकात् । अष्टोत्तरशतं वारान्, शूलिकारोपणान्मृतः ॥ १ ॥ ભાવાર્થ−‘એક ગોવાળે બાવળની શૂળ ઉપર જૂ પરોવી હતી, તે પાપથી તે ગોવાળ એકસો ને આઠ વાર શૂળીએ ચડવાની શિક્ષાથી મરણ પામ્યો.’ તેનું દૃષ્ટાંત આ પ્રમાણે— નાગપુર નામના નગરમાં માધવ નામે એક ગોવાળ રહેતો હતો. તે એક દિવસ ગાયો ચારવા માટે મોટા અરણ્યમાં ગયો. ત્યાં સૂર્યનો પ્રચંડ તાપ લાગવાથી એક બાવળના ઝાડ નીચે બેઠો, તેવામાં તેના માથામાંથી એક જૂ તેના ખોળામાં પડી. તે જોઈને તે નિર્દય ગોવાળે તેને “આ જૂ મારા દેહનું સત્ત્વ (લોહી) પી જાય છે.’’ એમ વિચારીને બાવળની તીક્ષ્ણ શૂળ ઉપર તેને પરોવી મારી નાખી. તે પાપના ઉદયથી તે જ ભવમાં તે ગોવાળ ચોરીના ગુનામાં આવી શૂળીની શિક્ષા પામીને મરણ પામ્યો. ત્યાર પછી તે એ જ પ્રમાણે એકસો ને સાત વાર જુદા જુદા ભવોમાં ચોરી વગેરેના દોષથી શૂળીનું દુઃખ ભોગવીને મરણ પામ્યો. એકસો સાતમા ભવમાં તે પાપકર્મનો ઉદય થોડો રહ્યો, ત્યારે તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી; અને સદા વનમાં રહીને સૂકાં પાંદડાં, ફળ, ફૂલ વગેરેનું ભક્ષણ કરવા લાગ્યો. એ પ્રમાણે નિઃસંગપણે વ્રતનું પાલન કરતાં તેને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા તે અરણ્યની નજીકના નગરમાંથી રાજાના અલંકારોની પેટી કોઈ ચોરે ઉપાડી. તેને પકડવા માટે રાજાના સિપાઈઓ પાછળ દોડ્યા. તેઓને પાછળ આવતાં જોઈને તે ચોરે રત્નાલંકારની પેટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy