SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૫ અભયદાન ઉપર ધના માળીનું દ્રષ્ટાંત જયપુર નામના નગરમાં ઘના નામનો એક માળી રહેતો હતો. તેણે બેઇંદ્રિય એવા પાંચ પૂરાનું દયાથી રક્ષણ કર્યું. અનુક્રમે તે માળી મરીને કુલપુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તેના માબાપ મરી ગયા, તેથી તે પરદેશ જવા નીકળ્યો. રસ્તામાં રાત્રીનો સમય થવાથી તે કોઈ અરણ્યમાં એક વટવૃક્ષની નીચે રાત્રીવાસો રહ્યો. તે વૃક્ષ ઉપર પાંચ યક્ષો રહેતા હતા. તેઓએ તેને દીઠો, એટલે જ્ઞાન વડે “આ આપણો પૂર્વ ભવનો ઉપકારી છે” એમ ઓળખીને તેઓએ તેને કહ્યું કે “તને આજથી પાંચમે દિવસે રાજ્ય મળશે.” એવું સાંભળીને તે કુળપુત્ર ખુશી થયો. પ્રાતઃકાળે ત્યાંથી ચાલતાં તે પાંચમે દિવસે વારાણસી નગરીએ જઈ પહોંચ્યો. ત્યાંનો નરપાળ નામનો રાજા પુત્રરહિત મરણ પામ્યો હતો. તેનું રાજ્ય તેને મળ્યું. પછી તે પ્રઘાન ઉપર રાજ્યનો ભાર આરોપણ કરીને સુખમાં જ મગ્ન રહેવા લાગ્યો. અન્યદા સીમાડાના રાજાઓ તેનું રાજ્ય ઉચ્છેદન કરવા માટે ચડી આવ્યા, ત્યારે પ્રધાને આવીને તેને દ્યુતક્રીડા કરતાં અટકાવી તે વાત કરી અને દ્યુત તજી દઈ લડાઈ કરવા માટે આવવા કહ્યું, પણ તેણે માન્યું નહીં. પછી તેની સ્ત્રીએ પણ રમતમાં પાસા નાંખતાં અટકવાનું કહ્યું, ત્યારે તે બોલ્યો કે स वटः पंच ते यक्षाः, ददंति च हरंति च । अक्षान् पातय कल्याणि, यद्भाव्यं तद्भविष्यति ॥४॥ ભાવાર્થ-“હે કલ્યાણી! વટ વૃક્ષ પર રહેલા તે પાંચ યક્ષોએ રાજ્ય આપ્યું છે, અને તેને લેવું હશે તો લઈ લેશે, માટે હે સ્ત્રી! તું તારે પાસા નાંખ, જે થવાનું હશે તે થશે.” આ પ્રમાણે કહ્યું, એટલે તે યક્ષોએ તે શત્રુઓને બાંથી લાવીને તેને પગે લગાડ્યા. તે જોઈને લોકો ઘણું આશ્ચર્ય પામ્યા. એક દિવસ જ્ઞાની ગુરુનો સમાગમ થવાથી રાજાએ પોતાના પૂર્વ ભવ પૂછ્યો. તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું કે–“પૂર્વ ભવમાં તે પાંચ પૂરાનું રક્ષણ કર્યું હતું, તે પાંચે મરીને અનુક્રમે યક્ષો થયા છે; તેઓએ જ તારા રાજ્યનું રક્ષણ કર્યું છે.” તે સાંભળીને તે રાજાએ વાવ, કૂવા, તળાવ વગેરે જળાશયોમાં ગળણીઓ મુકાવી, અને સર્વત્ર અમારીઘોષણા કરાવી. હવે જે પાપી મનુષ્યો માંસ ખાય છે તેના પ્રત્યે ઉપદેશ કરે છે કે પ્રાણીકથા ઉપર શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત એકદા શ્રેણિકરાજાએ સભામાં પૂછ્યું કે-“હાલમાં આપણા નગરને વિષે કઈ વસ્તુ સૌથી સોંઘી છે?” ત્યારે નિર્દય એવા ક્ષત્રિયો બોલ્યા કે–“હે મહારાજ! હાલમાં માંસ સસ્તું છે.” આ પ્રમાણે સાંભળીને અભયકુમાર મંત્રીએ ચિંતવ્યું કે-“આજે હું આ લોકોની પરીક્ષા કરું કે જેથી કરીને તેઓ ફરી વાર આવું બોલે નહીં.” એમ વિચારી રાત્રિને વખતે અભયકુમાર તે સર્વ ક્ષત્રિયોને ઘેર પૃથક પૃથફ ગયો, અને તેમને કહ્યું કે-“હે રાજપુત્રો! આજે રાજાને મહા વ્યાધિ ઉત્પન્ન થયો છે; વૈદ્યોએ ઘણા પ્રકારની ઔષધિઓ આપી, પણ કાંઈ ફેર પડ્યો નથી, તેથી તેમણે કહ્યું છે કે “જો મનુષ્યના કલેજાનું માત્ર બે ટાંક જેટલું માંસ મળે તો રાજા જીવે તેમ છે, નહીં તો મરી જશે, માટે તમે તેના ગ્રાસમાંથી આજીવિકા કરનાર છો, તો શું એટલું કામ પણ નહીં કરો?” આ પ્રમાણે સાંભળી જેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy