SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૬] ઘર્મનો પહેલો પ્રકાર (૧) દાન ગુણમંજરી પણ ઉત્તમ સૌંદર્ય પામી. તેનું પાણિગ્રહણ જિનચંદ્ર નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થયું. તેણે ઘણા કાળ સુધી સંસારસુખ ભોગવી વિધિપૂર્વક તપનું ઉદ્યાપન કરીને દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે વરદત્ત અને ગુણમંજરી બન્ને કાળ કરીને વૈજયન્ત નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ દેવતા થયા. આયુષ્યના ક્ષયે વૈજયંતવિમાનમાંથી ચ્યવીને વરદત્તનો જીવ જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નગરીમાં અમરસેન રાજાની ભાર્યા ગુણવતીની કુક્ષિથી શૂરસેન નામે પુત્રપણે ઉત્પન્ન થયો. યુવાવસ્થા પાયે સતે તે સો રાજકન્યાઓને પરણ્યો. તેના પિતા તેને રાજ્ય સોંપીને પરલોકમાં ગયા. એકદા તે નગરીની સમીપના ઉદ્યાનમાં શ્રી સીમંઘર સ્વામી સમવસર્યા; તે વાત સાંભળીને શૂરસેન રાજા ત્યાં ગયા, અને વિધિપૂર્વક ભગવાનને વાંદીને દેશના સાંભળી. દેશનામાં ભગવાને કહ્યું કે-“હે ભવ્ય પ્રાણીઓ! સૌભાગ્ય પંચમી એટલે જ્ઞાનપંચમીનું તપ વરદત્તની જેમ કરવું.” તે સાંભળીને શૂરસેન રાજાએ પૂછ્યું કે–“હે ભગવન્! આપે જેની પ્રશંસા કરી તે વરદત્ત કોણ હતો?” ત્યારે ભગવાને તેનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજા હર્ષિત થયો. પછી તે ભવમાં પણ તેણે ઘણા પૌરજનો સહિત જ્ઞાનપંચમીનું વ્રત અંગીકાર કર્યું. દશ હજાર વર્ષ સુધી રાજ્યનું પ્રતિપાલન કર્યા પછી પોતાના પુત્રને રાજ્ય સોંપી પોતે સીમંઘરસ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. તે રાજર્ષિ એક હજાર વર્ષ સુધી વિધિપૂર્વક ચારિત્ર પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. હવે ગુણમંજરીનો જીવ વૈજયન્ત વિમાનમાંથી ચવીને જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણી નામના વિજયમાં અમરસિંહ રાજાની પત્ની અમરાવતીના ગર્ભમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પ્રસવ થયા બાદ પિતાએ તેનું સુગ્રીવ નામ પાડ્યું. તે વશ વર્ષનો થયો ત્યારે તેને રાજ્ય સોંપીને તેના પિતાએ દીક્ષા ગ્રહણ કરી. સુગ્રીવ રાજાએ ઘણી રાજકન્યાઓનું પાણિગ્રહણ કર્યું. તેને ચોરાશી હજાર પુત્રો થયા. કાળાન્તરે તેણે પુત્રને રાજ્ય આપીને દીક્ષા ગ્રહણ કરી. યથાવિધિ ચારિત્ર પાળવા વડે અને તપ વડે તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. દેશનામાં સર્વત્ર પોતાનું ચરિત્ર કહેવા લાગ્યા. આ પ્રમાણે તે રાજર્ષિ એક લાખ પૂર્વ સુધી ચારિત્રનું સેવન કરી પ્રાંતે પરમ જ્ઞાનમય, ચિતૂપ, ચિદાનંદ અને ચિધ્ધન એવા મોક્ષને પામ્યા. જે જ્ઞાનપંચમીનું આરાઘન કરવાથી વરદત્ત તથા ગુણમંજરીને બન્ને પ્રકારની સૌભાગ્ય લક્ષ્મી પ્રાપ્ત થઈ તે જ્ઞાનપંચમી જેવો બીજો કોઈ પણ દિવસ જ્ઞાનની વૃદ્ધિ કરવામાં શ્રેષ્ઠ નથી; માટે આત્માનું હિત ઇચ્છનાર પુરુષોએ વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું આરાઘન કરવું.” વ્યાખ્યાન ૨૧ ધર્મનો પહેલો પ્રકાર (૧) દાન અભયદાનનું માહાસ્ય अभयं सर्वसत्त्वेभ्यो, यो ददाति दयापरः । तस्य देहाद्विमुक्तस्य, भयं नास्ति कुतश्चन ॥१॥ ભાવાર્થ-જે દયાળુ મનુષ્ય સર્વ પ્રાણીઓને અભયદાન આપે છે તે મનુષ્ય દેહથી મુક્ત થાય, અર્થાત્ મૃત્યુ પામે ત્યારે પણ તેને કોઈથી ભય રહેતો નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy