SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૫ કારણથી કુષ્ઠનો વ્યાધિ થયો છે? અને શા કારણથી અભ્યાસ કર્યા છતાં તેને કાંઈ આવડતું નથી?” ગુરુએ કહ્યું કે–“તેનો પૂર્વ ભવ સાંભળો આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નામના નગરને વિષે વસુ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. તેને વસુસાર અને વસુદેવ નામના બે પુત્રો હતા. તેઓ એક દિવસ ક્રીડા કરવા માટે વનમાં ગયા. ત્યાં ગુરુના મુખથી ઘર્મદેશના સાંભળી તેઓ વૈરાગ્ય પામ્યા. પછી ઘેર આવીને પિતાની રજા લઈ તે બન્ને ભાઈઓએ ચારિત્ર ગ્રહણ કર્યું. તેમાં નાનો ભાઈ વસુદેવમુનિ સિદ્ધાંતરૂપી સમુદ્રનો પારગામી થયો, અને અનુક્રમે આચાર્યપદ પામ્યો. તે હમેશાં પાંચસો સાધુઓને વાચના આપતો હતો. એક દિવસ તે આચાર્ય સંથારામાં સૂતા હતા, તે વખતે કોઈ મુનિએ આગમનો અર્થ પૂછ્યો. તેના ગયા પછી બીજા મુનિ આવ્યા, તે પણ અર્થ પૂછીને ગયા. એમ એક પછી એક ઘણા સાઘુઓ આવી પૂછી પૂછીને ગયા. આચાર્યને કાંઈક નિદ્રા આવી, તેવામાં વળી બીજા કોઈ સાધુએ આવીને પૂછ્યું કે-“હે પૂજ્ય! આની આગળનું પદ, વાક્ય કહો અને તેનો અર્થ સમજાવો.” ત્યારે સૂરિએ મનમાં વિચાર કર્યો કે “અહો! મારો મોટો ભાઈ તો સુખે સૂએ છે, સ્વેચ્છાએ ભોજન કરે છે, અને સ્વેચ્છાએ બોલે છે. આવું સુખ કોઈ પણ પ્રકારે મને મળે તો સારું. કેમકે मूर्खत्वं हि सखे ममापि रुचितं तस्मिन् यदष्टौ गुणा निश्चिंतो बहुभोजनोऽत्रपमना नक्तंदिवाशायकः । कार्याकार्यविचारणांधबधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुर्मूर्खः सुखं जीवति ॥१॥ ભાવાર્થ-હે મિત્ર! મૂર્ણપણું મને પણ રુચે છે. કેમ કે તેમાં આઠ ગુણો રહ્યા છે. તે આ પ્રમાણે–૧. મૂર્ખને કાંઈ પણ ચિંતા હોતી નથી ૨. ઘણું ભોજન કરે છે. ૩. લm રહિત હોય છે. ૪. રાત્રિદિવસ સૂવાનો વખત મળે છે. ૫. કર્તવ્ય તથા અકર્તવ્યના વિચારમાં અંઘ તથા બધિર હોય છે, ૬. માન તથા અપમાનને વિષે સમાન હોય છે, ૭. ઘણું કરીને વ્યાધિ રહિત હોય છે, અને ૮. શરીરે પુષ્ટ હોય છે, માટે મૂર્ખ માણસ સુખે જીવે છે.” માટે મારે આજથી ભણવા ભણાવવાનું કામ જ કરવું નહીં. “આ પ્રમાણેનો વિચાર કરીને તે આચાર્યે પુણ્યરૂપી અમૃતનો ભરેલો ઘડો ભાંગી નાંખ્યો, અને પાપનો ઘડો ભરીને બાર દિવસ સુધી મૌન રહ્યા. પછી તે પાપની આલોચના કર્યા વિના રૌદ્રધ્યાન વડે મૃત્યુ પામ્યા. તે આ તારા પુત્રપણે ઉત્પન્ન થયેલા છે, અને પૂર્વે બાંધેલાં કર્મથી મૂર્ખ તથા કોઢી થયેલ છે. તે સૂરિનો મોટો ભાઈ મરણ પામીને માનસરોવરમાં હંસ થયો છે.” આ પ્રમાણે ગુરુ મહારાજે કહેલ પૂર્વ ભવ સાંભળીને વરદત્તને જાતિસ્મરણજ્ઞાન થયું. એટલે તે બોલ્યો કે-“અહો! ભગવંતનું વચન અક્ષરે અક્ષર સત્ય છે. અહો! કેવું જ્ઞાન!” પછી રાજાએ પૂછ્યું કે-“હે ભગવન્! આ મારા પુત્રના રોગો શી રીતે જશે?” ગુરુએ કહ્યું કે-“પૂર્વે કહેલી વિધિ પ્રમાણે યથાશક્તિ પંચમી તપ કરવાથી સર્વ સારું થશે.” પછી કુમારે પણ ગુણમંજરીની જેમ વિધિપૂર્વક તે તપ અંગીકાર કર્યું. તેના આરાઘનથી તે બન્નેની સર્વ વ્યાધિઓ નાશ પામી. પછી વરદત્ત કુમાર સ્વયંવરે આવેલી એક હજાર રાજકન્યાઓને પરણ્યો, અને અનુક્રમે રાજ્યસુખ ભોગવી પોતાના પુત્રને રાજ્ય સોંપીને તેણે દીક્ષા ગ્રહણ કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy