SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૧૫] જ્ઞાનની વિરાધના ત્યાજ્ય છે. તે દેવ તથા નારકીને ભવ પ્રત્યયે હોય છે, અને મનુષ્ય તથા તિર્યંચને ભાવથકી એટલે ગુણ-. પ્રત્યયે ઉત્પન્ન થાય છે. પ્રભુએ તેના છ ભેદ કહ્યા છે. એવા અવધિજ્ઞાનને હું નિરંતર ભજું છું.” પછી ચોથે ચૈત્યવંદન કરી “મન:પર્યવજ્ઞાનાર્ધનાર્થ કિ ઉસ' એમ બોલી બીજું બધું પૂર્વોક્ત પ્રકારે કહીને નીચેનું કાવ્ય ભણવું. साधूनामप्रमादतो गुणवतां तुर्यं मनःपर्यवं ज्ञानं तद्विविधं त्वनिद्रियभवत्तत्स्वात्मकं देहिनाम् । चेतोद्रव्यविशेषवस्तुविषयं द्वीपे च सार्धद्विके सकृज्ज्ञानगुणांचितान् व्रतधरान् वंदे सुयोगैर्मुदा ॥४॥ ભાવાર્થ-“અપ્રમત્ત ગુણસ્થાને રહેલા સાધુઓને ચોથું મન:પર્યવજ્ઞાન હોય છે, તેના બે ભેદ છે. તે ઇંદ્રિયના વિષયવાળું નથી પણ આત્મવિષયી છે. અઢીદ્વીપમાં રહેલા પ્રાણીઓનાં ચિત્ત દ્રવ્યમાં રહેલી સર્વ વસ્તુના વિષયને જાણે છે. તે જ્ઞાનને ઘારણ કરનારા ગુણી મુનિઓને હું હર્ષથી ભાવે કરીને વાંદું છું.” પછી પાંચમું ચૈત્યવંદન કરી “વજ્ઞાનાર ધનાર્થ રે િડસ્ટવગેરે સર્વ પૂર્વોક્ત રીતે કહી નીચેનું કાવ્ય ભણવું. निर्भेदं विशदं करामलकवज्ज्ञेयं परिच्छेदकं लोकालोकविभासकं चरमचिन्त्राप्तं व्रजेत्स्वात्मतः । निद्रास्वप्नसुजागरातिगदशं तुर्यां दशां संगतं वंदे कार्तिकपंचमीसितदिने सौभाग्यलक्ष्म्यास्पदम् ॥५॥ ભાવાર્થ-છેલ્લે (પાંચમું) કેવલજ્ઞાન છે, તે એક જ પ્રકારનું છે, કરામલકની જેમ નિર્મળ છે, સર્વ વસ્તુનો પરિચ્છેદ કરનારું છે લોક તથા અલોકને પ્રકાશ કરનારું છે, જ્ઞાનવાળાના આત્માથકી કોઈ વખત પણ પ્રાપ્ત થયા પછી જુદું પડતું જ નથી, અને જે જ્ઞાન નિદ્રા, સ્વપ્ન અને જાગૃત એ ત્રણ દશાને ઉલ્લંઘીને ચોથી ઉજાગર દશાને પામેલું છે, એવા સૌભાગ્ય લક્ષ્મીના સ્થાન રૂપ કેવલજ્ઞાનને હું કાર્તિક સુદી પંચમીને દિવસે વાંદું છું.” આ પ્રમાણે પાંચે જ્ઞાનની આરાઘનાની વિધિ જાણવી. હવે એ રીતે ૬૫ માસ સુધી આરાઘના કરવા વડે તપ પૂર્ણ થાય ત્યારે ચૈત્યનાં તથા જ્ઞાન દર્શન અને ચારિત્રનાં ઉપયોગી દરેક ઉપકરણો પાંચ પાંચ મેળવીને ઉદ્યાપન કરવું. કહ્યું છે કે उद्यापनं यत्तपसः समर्थने, तच्चैत्यमौलौ कलशाधिरोपणम् । फलोपरोपोऽक्षतपात्रमस्तके, तांबूलदानं कृतभोजनोपरि ॥४॥ ભાવાર્થ-તપના સમર્થન માટે ઉદ્યાપન કરવું તે ચૈત્યના શિખર પર કળશ ચડાવવા જેવું છે, અક્ષત પાત્ર ઉપર ફળ મૂકવા જેવું છે, અને ભોજન કરાવીને તાંબૂલ આપવા જેવું છે.” ઇત્યાદિ ગુરુનો ઉપદેશ સાંભળીને ગુણમંજરીએ વિધિપૂર્વક જ્ઞાનપંચમીનું તપ અંગીકાર કર્યું. ત્યાર પછી અજિતસેન રાજાએ સૂરિને પૂછ્યું કે “હે સ્વામી! મારા પુત્ર વરદત્તને કયા ૧. હાથમાં રહેલા આમળાની જેમ ૨. ઉજમણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy