SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ | શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૫ અરણ્યમાં સૂતેલા પેલા તાપસ પાસે મૂકી અને તે વટવૃક્ષ ઉપર ચડી ગયો. સિપાઈઓ ત્યાં આવ્યા, તો તાપસ સૂતેલો હતો, અને પાસે પેટી પડેલી હતી. તેઓ પેટી સહિત તાપસને પકડીને રાજા પાસે લઈ ગયા. તાપસ વિભૃગજ્ઞાનથી સર્વ હકીકત જાણ્યા છતાં પોતાના પૂર્વકૃત કર્મને નિંદતો સતો મૌન જ રહ્યો. અન્યાયી રાજાએ તેને શૂળી પર ચડાવ્યો. સમતાભાવે વેદના સહન કરવાથી તેના પૂર્વ કર્મ ક્ષય થયા અને તે શુભ ધ્યાનમાં મરણ પામીને દેવતા થયો.” આ પ્રમાણે અભયકુમારનું વચન સાંભળી બઘા ક્ષત્રિયો દયાઘર્મમાં તત્પર થયા. ઇતિ અભયદાને દ્રષ્ટાંત આ જગતમાં દાનના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે अभयं सुपत्तदाणं, अणुकंपा उचिय कित्तिदाणं च । दोहिं पि मुक्खो भणिओ, तिन्नि भोगाइ दियंति ॥१॥ ભાવાર્થ-“અભય દાન, સુપાત્ર દાન, અનુકંપા દાન, ઉચિત દાન અને કીર્તિદાન એ પાંચ પ્રકારનાં દાન છે. તેમાં પહેલા બે પ્રકારનાં દાન મોક્ષને આપનાર છે, અને પાછલા ત્રણ પ્રકારનાં દાન સાંસારિક સુખભોગ આપનાર છે.” (૧) તેમાં પહેલું હનન બંઘન વગેરેના ભયથી ભયભીત થયેલા જંતુઓના પ્રાણનું રક્ષણ કરીને તેમને નિર્ભય કરવા તે અભયદાન કહેવાય છે. તેનું સ્વરૂપ ઉપર કહેવામાં આવ્યું છે. (૨) બીજું સુપાત્ર દાન તેમાં સુ એટલે સારું, અને પાત્ર એટલે જ્ઞાનાદિ ત્રણ રત્નનું સ્થાન. અથવા સુ એટલે અતિશયે કરીને અને પાત્ર એટલે પાપથી રક્ષણ કરનાર. આ પ્રમાણે અન્વર્થ સંજ્ઞાવાળું સુપાત્ર દાન દુર્લભ છે. (૩) ત્રીજું અનુકંપા દાન એટલે દીન અને દુઃખી લોકોને પાત્ર તથા અપાત્રનો વિચાર કર્યા વિના માત્ર દયા વડે અન્નાદિક આપવું તે. કહ્યું છે કે दानकाले महेभ्यानां, किं पात्रापात्रचिंतया । दीनाय देवदूष्यार्धं, यथादात् कृपया प्रभुः॥१॥ ભાવાર્થ-“દાતારે દાન દેતી વખતે પાત્ર તથા અપાત્રનો વિચાર શું કામ કરવો? જુઓ, મહાવીર ભગવાને કૃપાથી અર્થે દેવદૂષ્ય ગરીબ બ્રાહ્મણ) ને આપ્યું છે.” આ દુષમ કાલને વિષે જગડુશાહ નામના શ્રાવકે નીચેના શ્લોકમાં લખ્યા પ્રમાણે ઘાન્યના મુંડા માત્ર દયાવડે બીજા રાજાઓને આપ્યા હતા. __ अठ्ठ य मुंडसहस्स, विसलरायस्स बार हम्मीरे । इगवीसय सुरत्ताणे, दुब्भिरके जगडुसाहुणा दिन्ना ॥१॥ ભાવાર્થ-જગડુશાહ નામના શ્રાવકે દુકાળના વખતમાં વિસલરાજાને આઠ હજાર મુંડા, હમીરરાજાને બાર હજાર મુંડા અને દિલ્લીના સુલતાનને એકવીશ હજાર મુંડા ઘાન્ય આપ્યું હતું. ... नवकारवालि मणिअडा, ते पर अलगा चार । दानशाला जगडु तणी, दीसे पुढवी मझार ॥ અર્થા–તે દુકાળના વખતમાં જગડુશાહે ૧૧૨ દાનશાળાઓ સ્થાપી હતી. દરરોજ પ્રભાત ૧ ઘાન્યનું એક પ્રકારનું માપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy