SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ 317 વ્યાખ્યાન 285] તપાચારનો બીજો અને ત્રીજો ભેદ કરતાં ખૂણામાં પડેલું ખીરનું વાસણ દીઠું, તે તેમણે લઈ લીધું, એટલે છોકરાઓ ઊંચે સ્વરે રુદન કરતાં તેમની પાછળ દોડ્યાં. તેવામાં પેલો બ્રાહ્મણ સ્નાન કરીને આવ્યો. તે સર્વ સ્વરૂપ જોઈને કોપાયમાન થયો, એટલે ઘરની અર્ગલા લઈને તે રાક્ષસની જેમ ચોરોની પાછળ દોડ્યો. તેના પ્રહારથી તેણે કેટલાક ચોરોને મારી નાખ્યા. તે વાતની ખબર પડતાં દ્રઢપ્રહારી તરત જ ત્યાં આવ્યો, અને “મારા ચોરોને આ મારી નાખે છે.” એમ જાણી ક્રોધથી તેણે ખગ્નવડે તેનું મસ્તક કાપી નાખ્યું. પછી બ્રાહ્મણના ઘરમાં પેસતાં ગાયે તેને રોક્યો, એટલે ગાયને પણ મારી નાંખી. તે જોઈને તે બ્રાહ્મણની સ્ત્રી પોકાર કરતી સતી તેને ગાળો દેવા લાગી કે “અરે ક્રૂર! પાપી! શું કરે છે?” તેની ગાળોથી અત્યંત કોપાયમાન થઈને દ્રઢપ્રહારીએ તે જ ખગથી તેનું પેટ ચીરી નાખ્યું, તેથી તેના ગર્ભમાં રહેલું બાળક પણ તરફડતું બે કકડા થઈને પૃથ્વી પર પડ્યું. આ પ્રમાણે બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા બાળક, ચારેયને પોતે તત્કાળ મારી નાખેલા જોઈને તથા “હે પિતા! હે માતા!” એમ બોલતાં છોકરાંઓને જોઈને દ્રઢપ્રહારી વિચાર કરવા લાગ્યો કે, “આવું દુષ્કર્મ કરનારા એવાં મને ધિક્કાર છે! આવાં પાપથી મને નરકમાં પણ સ્થાન મળવાનું નથી. હવે આ બાળકોનું કોણ રક્ષણ કરશે? હવે હું અગ્નિમાં પેસું કે ભૃગુપાત કરું? શાથી મારી શુદ્ધિ થાય? અહો! સદાચારનો ત્યાગ કરીને દુષ્કર્મરૂપી પાથેયવાળો પાથ થયો છું.” એ રીતે મહા વૈરાગ્યથી શુભ ધ્યાન કરતો તે ગામ બહાર નીકળ્યો. ગામની બહાર ઉદ્યાનમાં કોઈ મહામુનિને જોઈ તેમને નમીને તે બોલ્યો કે, “હે ભગવન્! આવા પાપથી હું શી રીતે મુકાઈશ?” મુનિ બોલ્યા કે “ચરિત્ર ગ્રહણ કર.” કહ્યું છે કે इगदिवसं पि जीवो, पवनमुवागओ अणूणमणो / जइवि न पावए मुक्खं, अवस्स वेमाणिओ होइ॥१॥ ભાવાર્થ-“જો કોઈ જીવ શુદ્ધ મનથી એક દિવસ પણ પ્રવ્રજ્યા અંગીકાર કરે તો તે કદાચિત્ મુક્તિ ન પામે, પણ વૈમાનિક તો અવશ્ય થાય જ.” આ પ્રમાણે તે દ્રઢપ્રહારીએ મુનિ પાસેથી પાપનો પ્રતિકાર સાંભળીને તરત જ દીક્ષા લીધી. પછી તેણે એક મોટો અભિગ્રહ લીધો કે “આક્રોશ પરિષહને સહન કરવા માટે મારે આ ગામમાં જ રહેવું, અને જ્યાં સુધી મારા પાપનું બીજાઓ સ્મરણ કરે ત્યાં સુધી મારે આહાર લેવો નહીં.” એવો દૃઢ અભિગ્રહ લઈને તે દ્રઢપ્રહારી મુનિ તે જ ગામમાં કર્મનો ક્ષય કરવા માટે વિચારવા લાગ્યા. લોકો તેને જોઈને આક્રોશ કરવા લાગ્યા કે, “આ પાપાત્મા સ્ત્રી, બ્રાહ્મણ, ગાય અને બાળ એ ચાર હત્યા કરનારો છે તથા ગામને લૂંટનારો છે.” એમ બોલીને તેઓ તે મુનિની તર્જના કરવા લાગ્યા; અને લાકડી તથા પાષાણાદિકથી તેમને નિરંતર મારવા લાગ્યા. તે સર્વ મુનિએ પૃથ્વીની જેમ સહન કર્યું, અને અત્યંત શાંત રસ ઘારણ કરી પોતાનું પાપ સંભારીને ભોજન લીધું નહીં. એ પ્રમાણે છે માસ વ્યતીત થયા ત્યારે સમતારૂપી સૂર્યનો ઉદય થવાથી તેમના પાપરૂપી અંધકાર સમૂહનો નાશ થયો. તે વખતે તે મુનિ એવી ભાવના ભાવવા લાગ્યા કે “હે આત્મા! જેવું બીજ વાવીએ તેવું જ ફળ પામીએ. તેમાં પૌરલોકોનો કાંઈ પણ દોષ નથી. આ લોકો તો મારાં દુષ્કર્મરૂપી ગ્રંથિને તોડવા માટે કઠોર ભાષણાદિરૂપ ક્ષાર વડે તેની ચિકિત્સા કરે છે, માટે તેઓ તો મારા ખરા મિત્રો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy