SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ 216 શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ 4 સ્તિંભ 19 (1) દ્રવ્યાદિક અભિગ્રહ આ પ્રમાણે સમજવો–મુનિ ગોચરી જતી વખતે ચાર પ્રકારના અભિગ્રહ કરે, તેમાં દ્રવ્યથી એવો અભિગ્રહ કરે કે આજે મારે પાત્રમાં લેપ ન લાગે તેવી નિર્લેપ ભિક્ષા ગ્રહણ કરવી, અથવા ભાલાના અગ્ર ભાગ વડે આપેલ એક માંડો કે મોદક વગેરે લેવું ઇત્યાદિ. તે ઉપર ક્ષેમર્ષિ વગેરે મુનિનાં દ્રષ્ટાંત જાણવાં. (2) ક્ષેત્રથી એવો અભિગ્રહ કરે કે એક ઘરથી અથવા બે ઘરથી અથવા પોતાના ગામમાંથી જ જે મળે તે લેવું, અથવા ઘરની ડેલીમાં બે પગ વચ્ચે ઉંબરો રાખીને બેઠેલો ભિક્ષા આપે તો લેવી ઇત્યાદિ. (3) કાળથી એવો અભિગ્રહ કરે કે દિવસના પહેલા ભાગમાં અથવા સર્વ ભિક્ષુક ભિક્ષા લઈને નિવર્તી ગયા પછી હું આહાર લેવા નીકળીશ અને પર્યટન કરીશ ઇત્યાદિ. (4) ભાવથી એવો અભિગ્રહ કરે કે કોઈ હસતાં, ગાતાં કે રોતાં આહાર આપે તો લેવો, અથવા કોઈ બંઘનાદિવડે બંઘાયેલો ભિક્ષા આપે તો લેવી, નહીં તો ન લેવી ઇત્યાદિ. આ રીતે સાધુ હમેશાં અભિગ્રહ ન કરે તો તેને પ્રાયશ્ચિત્ત લાગે છે. શ્રાવકો પણ સચિત્તાદિકનો અભિગ્રહ કરે છે. આ તપ છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરતાં અતિ દુઃસાધ્ય છે, અને અધિક ફળદાયી છે. કેમકે છઠ્ઠ, અઠ્ઠમ વગેરે નિયત તપ છે, એટલે કે પ્રત્યાખ્યાન કાળ પૂર્ણ થતાં બહાર થઈ શકે છે, અને આ તો ક્યારે દ્રવ્યાદિક અભિગ્રહ પૂર્ણ થશે? તે કોઈ જાણતું નથી. માટે આ તપ અનિયત છે. વળી ભિક્ષાટન કરતી વખતે મનમાં એવું ધ્યાન કરવું કે મનની ઘારણા પ્રમાણે અગ્રિહ પૂર્ણ થાઓ કે ન થાઓ, એવી બુદ્ધિથી અટન કરવું, પણ આહાર ગ્રહણ કરવામાં અતિ પ્રીતિ રાખવી નહીં. આ તપ ઉપર શ્રી મહાવીરસ્વામી, ઢંઢણ મુનિ, દ્રઢપ્રહારી, શાલિભદ્ર, પાંડવ વગેરેનાં દ્રષ્ટાંતો છે. ભીમસેને પણ દીક્ષા લીઘા પછી “ભાલાને અગ્રભાગે આપેલી ભિક્ષા જ હું ગ્રહણ કરીશ, બીજી ગ્રહણ નહીં કરું” એવો અભિગ્રહ લીઘો હતો. તે પુણ્યશાળીને તે અભિગ્રહ પણ છ માસે પૂર્ણ થયો હતો. ધૈર્યવાનને કાંઈ પણ દુર્લભ નથી. આ વિષય ઉપર દૃઢપ્રહારીનું દ્રષ્ટાંત કહે છે દૃઢપ્રહારીનું દ્રષ્ટાંત શ્રી વસંતપુરમાં એક સાતે વ્યસન સેવવાવાળો દુર્ધર બ્રાહ્મણ રહેતો હતો. તેણે પોતાનું સર્વ ઘન વિષયાદિકમાં ગુમાવી દીધું. પછી તે ચોરી કરવા લાગ્યો. લોકોએ તેણે ઘણી શિખામણ આપી, પણ તે પાપકર્મથી પાછો ઓસર્યો નહીં, એટલે રાજાએ તેને ગામ બહાર કાઢી મૂક્યો, તેથી તે ચોરની પલ્લીમાં ગયો. ત્યાં પલ્લીપતિને પુત્ર નહીં હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. તે બ્રાહ્મણ જેને પ્રહાર કરતો તે અવશ્ય મરી જતો. એવો બળવાન હોવાથી લોકમાં તેનું દ્રઢપ્રહારી એવું નામ પ્રસિદ્ધ થયું. તે એકદા લૂંટારાના સૈન્ય સહિત કુશસ્થળ નામના ગામને લૂંટવા માટે ગયો. તે ગામમાં કોઈ એક દરિદ્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને ઘણાં છોકરાં હતાં. તેઓએ એક વખત તે બ્રાહ્મણ પાસે ખીર ખાવા માગી, ત્યારે તે બ્રાહ્મણ કોઈ ગૃહસ્થને ઘેરથી ચોખા દૂઘ વગેરે માગી લાવ્યો, અને તે સ્ત્રીને આપી તેની ખીર કરાવી. પછી “આજે ઉત્સવનો દિવસ છે, કારણ કે આજે ખીર ખાઈશું” એમ વિચારીને તે મધ્યાહ્ન વખતે સ્નાન કરવા માટે ગામ બહાર નદીએ ગયો. તેવામાં પેલા લૂંટારાઓ ગામમાં પેઠા. તેમાંના કેટલાક ચોરો તે જ બ્રાહ્મણના ઘરમાં પેઠા, પણ કાંઈ હાથ લાગ્યું નહીં. શોઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy