SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન 285]. તપાચારનો બીજો અને ત્રીજો ભેદ 315 અશનાદિકનો નિષેઘ કર્યો છે, પણ તે તપ કરનારે ભાવથી ક્રોધાદિકના ત્યાગરૂપ ઊનોદરી અવશ્ય કરવું જોઈએ, નહીં તો તે ઉપવાસાદિક કેવળ લાંઘણરૂપ જ ગણાય. કહ્યું છે કે कषायविषयाहार-त्यागो यत्र विधीयते / / उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः॥१॥ ભાવાર્થ-જે ઉપવાસાદિકમાં કષાય, વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે તેને જ ઉપવાસ જાણવો, તે સિવાય બીજાને લાંઘણ કહેલી છે.” દ્રવ્યથી ઊનોદરી તપનો વિધિ આ પ્રમાણે છે–(૧) એક કવળથી આરંભીને આઠ કવળ સુધી ખાવું, તે પૂર્ણ ઊનોદરી કહેવાય છે. તેમાં એક કવળનું માન જઘન્ય, આઠ કવળનું માન ઉત્કૃષ્ટ અને બેથી સાત કવળનું માન મધ્યમ છે. (2) નવ કવળથી આરંભીને બાર કવળ સુઘી ખાવું તે અપાર્થ ઊનોદરી કહેવાય છે. (3) તેર કવળથી આરંભીને સોળ કવળ સુઘી ખાવું તે વિભાગ ઊનોદરી કહેવાય છે. (4) સત્તરથી આરંભીને ચોવીશ કવળ સુઘી ખાવું તે પ્રાપ્ત ઊનોદરી કહેવાય છે. અને (5) પચીશથી આરંભીને એકત્રીશ કવળ સુઘી ખાવું તે કિંચિત્ ઊનોદરી કહેવાય છે. અહીં સર્વત્ર જઘન્ય વગેરે ત્રણ ભેદ પહેલા પૂર્ણ ઊનોકરીની જેમ જાણવા. આ જ પ્રમાણે જળ સંબંધી પણ ઊનોદરીની ભાવના કરવી. અહીં કવળનું માન આ પ્રમાણે કહ્યું છે– बत्तीसं कीर कवला, आहारो कुच्छिपूरओ भणिओ / पुरिसस्स महिलियाए, अठ्ठावीसं भवे कवला // 1 // कवलस्स य परिमाणं, कुक्कुडिअंडगपमाणमित्तं तु / जं वा अविगिअवयणो वयणमि छुभिज विसंतो // 2 // ભાવાર્થ-“પુરુષોને કુક્ષિ પૂર્ણ થાય તેટલો આહાર બત્રીશ કવલ પ્રમાણ કહેલો છે, અને સ્ત્રીઓને અઠ્ઠાવીશ કવળ પ્રમાણ કહેલો છે. કવળનું માન કૂકડીના ઈંડા જેવડું જાણવું, અથવા સહેજે મુખ ફાડીને શુઘિત મનુષ્ય મોઢામાં કોળીઓ મૂકી શકે તેવડું જાણવું.” વળી છઠ્ઠ અઠ્ઠમ વગેરે વિશેષ તપના પારણાને દિવસે પણ ઊનોકરી કરવાથી જ વિશેષ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જેમ નખ સુધીની એક મૂઠી જેટલા અડદ તથા એક ચળુ જળ નિત્ય છઠ્ઠને પારણે લેવાથી છ માસે તેજોલેશ્યા ઉત્પન્ન થાય છે એમ પાંચમા અંગમાં કહેલું છે. તે પ્રમાણે શ્રી મહાવીર સ્વામીના મુખથી સાંભળીને મેખલીપુત્રે તેમ કરવાથી તેને તે લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. આ પ્રમાણે ઊનોદરી તપ આહાર તથા અનાહારને દિવસે દ્રવ્યથી અને ભાવથી નિરંતર સેવવું. (3) હવે વૃત્તિ સંક્ષેપ નામનો ત્રીજો તપાચાર કહે છે वर्तते ह्यनया वृत्ति-भिक्षाशनजलादिका / तस्याः संक्षेपणं कार्य, द्रव्याधभिग्रहांचितैः॥१॥ ભાવાર્થ-“જેનાથી જીવતું રહેવાય તે વૃત્તિ કહેવાય છે. તેમાં ભિક્ષાથી મળતા અશન જળ વગેરેનો સમાવેશ થાય છે; તે વૃત્તિનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અભિગ્રહ લેવાવડે સંક્ષેપ કરવો, તે વૃત્તિસંક્ષેપ તપ કહેવાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy