SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ તપાચારના બાર ભેદ કહેલા છે. તે આ પ્રમાણે द्वादशधास्तपाचाराः तपोवद्भिर्निरूपिताः । अशनाद्याः षड् बाह्याः षट्, प्रायश्चित्तादयोऽन्तगाः ॥ १ ॥ ભાવાર્થ-‘તપસ્વી પરમાત્માએ બાર પ્રકારે તપાચાર કહેલો છે. તેમાં અશન (ત્યાગ) વગેરે છ પ્રકારનું બાહ્ય તપ છે અને પ્રાયશ્ચિત્ત વગેરે છ પ્રકારનું અંતરગ તપ છે.’’ બાહ્ય તપના છ ભેદ સૂત્રમાં કહ્યા છે તે આ પ્રમાણે– अणसण 'मुणोअरी, वित्तीसंखेवणं रसच्चाओ" । कायकिलेसो" संलीणयाय बज्झो तवो होइ ॥ १ ॥ ભાવાર્થ—“અનશન, ઊનોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા—એ છ પ્રકારનું બાહ્ય તપ છે.’ અત્યંત૨ તપના છ ભેદ આ પ્રમાણે છે— पायच्छित्तं विणओर वेयावच्च तहेव सज्झाओ । झाणं" उस्सग्गो वि अ, अब्भिंतरइ तवो होइ ॥ २॥ ભાવાર્થ “પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, તેમજ સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ–એ છ પ્રકારનું અત્યંતર તપ છે. ’’ આ સર્વનો કાંઈક વિસ્તાર આગળ યુક્તિથી આચારપ્રદીપાદિક ગ્રંથને આધારે કહેવામાં આવશે. હવે પહેલો તપાચાર કહે છે तत्राशनं द्विधा प्रोक्तं, यावज्जीविकमित्वरम् । द्विघटिकादिकं स्वल्पं, चोत्कृष्टं यावदात्मिकम् ॥१॥ ભાવાર્થ−યાવજ્જીવ અને ઇત્વર એ બે પ્રકારે અનશન તપ કહેલું છે, તેમાં બે ઘટિકાવાળું તે સ્વલ્પ અનશન તપ છે, અને જાવજીવ પર્યંતનું તે ઉત્કૃષ્ટ અનશન તપ છે.” ઇત્વર એટલે નમસ્કાર (નવકાર) સહિત બે ઘડીનું પચખાણ કરવું તે. તેનાથી નાનું પચખાણ શાસ્ત્રમાં કહેલું નથી. ત્યાર પછી વધતાં વધતાં ઉત્કૃષ્ટ તપ થાય છે. શ્રી વીરસ્વામીના તીર્થમાં છ માસ પર્યન્ત, શ્રી ઋષભદેવના તીર્થમાં બાર માસ પર્યંત અને બીજાથી ત્રેવીશમા તીર્થંકરના સમયમાં આઠ માસ સુધીનું ઉત્કૃષ્ટ અનશન તપ કહેલું છે. અહીં ઇંદ્રિયજય તપ, કષાયજય તપ, રત્નત્રયી તપ, સમવસરણ તપ, અશોકવૃક્ષ તપ, જિનકલ્યાણક તપ, ઇત્યાદિ તપના અનેક ભેદ છે, તે આચારદિનકર ગ્રંથના બીજા ખંડથી જાણી લેવા; તથા આચામ્ય વર્ધમાન તપ ચૌદ વર્ષ ત્રણ માસ અને વીશ દિવસે પૂર્ણ થાય છે તે શ્રીચંદ્ર કેવળીની જેમ કરવું. ઇત્યાદિ વિવિધ પ્રકારનાં તપનો ઇત્વર કાળના ભેદમાં સમાવેશ થાય છે. Jain Education International જાવજીવ અનશન તપ પાદપોપગમ, ઇંગિની અને ભક્તપરિજ્ઞા, એમ ત્રણ પ્રકારનું છે. તે ત્રણેનું સ્વરૂપ સત્તર પ્રકારના મૃત્યુનું સ્વરૂપ જાણ્યા વિના સુખેથી સમજી શકાય તેવું નથી, માટે પ્રથમ સત્તર પ્રકારના મરણનું સ્વરૂપ કહે છે– (૧) ‘ઝધિમરણં’ વીચિ એટલે વિચ્છેદ (અંતર) તેનો અભાવ તે અવીચિ. અર્થાત્ નારકી, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy