SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ અર્ધું રાજ્ય ગ્રહણ કરવા પ્રાર્થના કરી. મુનિ બોલ્યા કે “હે રાજા! રાજ્ય તો છેવટે નરકગતિ આપે છે, તેથી તે મુનિઓને સર્વથા ત્યાજ્ય છે. મુનિને ચારિત્ર સિવાય બીજા કોઈ રાજ્યનો ખપ નથી.’’ તે સાંભળીને રાજા હર્ષ પામ્યો. પછી મુનિને નમીને તે પોતાને સ્થાને ગયો, અને એક પ્રાસાદ કરાવીને તેમાં સિંહાસન ઉપર મુનિની પાદુકા સ્થાપન કરી. અન્યદા મુનિએ માર્ગમાં સન્મુખ આવતા શબને જોઈને કોઈ માણસને પૂછ્યું કે, ‘અરે! આ શું છે?' તે માણસ બોલ્યો કે ધન નામના શ્રેષ્ઠીના પુત્રને સર્પ ડસ્યો હતો તે આજ છ માસે મૃત્યુ પામ્યો છે.’’ તે સાંભળીને મુનિ બોલ્યા કે ‘“અહો! આ જીવતા માણસને કેમ બાળવા લઈ જાઓ છો?’' તે મુનિના વચનને કોઈએ શ્રેષ્ઠી પાસે જઈને કહ્યું, એટલે ઘન શ્રેષ્ઠી મુનિ પાસે આવી નમસ્કાર કરીને બોલ્યો કે “હે મુનિ! મારા પુત્રને જીવિતદાન આપવા વડે કૃપા કરો.’ મુનિએ તે શબ ઉપર પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરીને પ્રાસુક જળ છાંટ્યું, તેથી તે બેઠો થયો. વળી એકદા તે મુનિએ એવો અભિગ્રહ લીઘો કે– नव प्रसुत वाघिणि विकराल, नयर मांही बीहावे बाळ; asi वीस जो पणमी दीये, तो खिम ऋषि पारणं करे. ६ “જો વનમાં તરતની પ્રસવેલી વાઘણ ગામમાં આવીને મને વીશ વડાં આપે તો મારે પારણું કરવું.’ આ અભિગ્રહને ઘણા દિવસ વ્યતીત થયા. પછી એકદા ઋષિના તપના પ્રભાવથી તરતની પ્રસવેલી કોઈ વાઘણ નગરમાં પેઠી, તેને જોઈને વડાંના વેપારીઓ વડાં મૂકીને નાઠા; એટલે વાઘણે તેમાંથી વીશ વડાં લઈને મુનિને આપ્યાં. પછી યશોભદ્ર ગુરુને વાંદવા માટે ઉત્સુક થયેલા મુનિએ અભિગ્રહ કર્યો કે—‘પાટણ પહોંચી ગુરુને વાંદ્યા પહેલાં મારે અન્ન કે જળ કાંઈ પણ લેવું નહીં.’’ એવો અભિગ્રહ કરીને તે મુનિ પાટણ આવ્યા અને ગુરુને વંદના કરી. ફરીથી મુનિએ અભિગ્રહ લીધો કે વૃદ્ધ સ્ત્રીએ વશ કરેલો રાજાનો મદોન્મત્ત હાથી જો ખીચડી, ખારેક, ખડહડી, ખાજા ને ખાંડ એ પાંચ ખકારવાળી ચીજ આપે તો મારે પારણું કરવું.” પછી એક માસ ગયો, ત્યારે શાસનદેવતાએ વૃદ્ધ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરીને રાજાનો હસ્તી વશ કર્યો, અને મુનિને પારણું કરાવ્યું. ઇત્યાદિ પ્રકારે તે મુનિએ જુદા જુદા અભિગ્રહો વડે ચોરાશી પારણાં પૂર્ણ કર્યા. પછી અનશન કરીને તે મુનિ સ્વર્ગે ગયા. વ્યાખ્યાન ૨૮૪ તપાચારનો પહેલો ભેદ–અનશન હવે તપસ્યા કરવાના હેતુઓ કહે છે– Jain Education International तन्निर्जराप्रयोजनम् । चित्तोत्साहेन सबुद्ध्या, तपनीयं तपः शुभम् ॥१॥ निर्दोषं निर्निदानाढ्यं, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy