SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૩] તપાચાર ૩૦૭ વનમાં આવી. ત્યાં કોઈ દરિદ્ર પુરુષ પાસેથી ઘી ગોળ મિશ્ર માંડા તેને મળ્યા. તેવામાં તે મુનિને જોઈને “આઠગણું પુણ્ય થશે' એમ વિચારીને તે મુનિને તેણે માંડાથી પ્રતિલાભિત કર્યા. પછી તે દાનની પ્રશંસા કરતી તે બ્રાહ્મણી પોતાના પિતાને ઘેર ગઈ. વળી મુનિએ અભિગ્રહ કર્યો કે कालो कंबल धवलो संढ, नाकिं तुट पुछिहिं बंड । । सिंग करी गुड भेलो देइ, तो खिम ऋषि पारणं करेइ ॥४॥ “કાળી ખાંઘવાળો, નાક પૂછ વિનાનો (નાક તૂટેલો અને બાંડો) બળદ શીંગડા વડે ગોળ આપે તો પારણું કરવું, નહીં તો ન કરવું.” અન્યદા મુનિ પારણા માટે ઘારા નગરીમાં ગયા. ત્યાં ઉપર કહ્યા તેવા જ બળદે કોઈ વણિકની દુકાનમાંથી શીંગડા વડે ગોળ લઈને મુનિને પારણું કરાવ્યું. તે ચમત્કાર જોઈને તે વણિકે વિચાર્યું કે “અહો! આ પશુ સામાન્ય નથી કે જેણે આવા મુનિને પારણું કરાવ્યું. મેં મૂર્ખાએ તો મનુષ્યજન્મ વૃથા ગુમાવ્યો.” પછી તેણે શ્રાવક થઈને બચેલો ગોળ વેચી શ્રી પાર્શ્વનાથ સ્વામીનું ચૈત્ય કરાવ્યું, અને યશોભદ્ર ગુરુ પાસે જઈ ચારિત્ર લઈને સ્વર્ગે ગયો. ત્યારથી તે ચૈત્ય ગુડપિંડ નામનું તીર્થ થયું. વળી વસંત ઋતુમાં મુનિએ અભિગ્રહ કર્યો કે ह्रासहछेहकि भद्द विमासी, कोटि संकल बद्धओ पासि । जइ अंबरस मंडं देइ, तओ खिम ऋषि पारणं करेइ॥५॥ જો સાંકળથી બાંધેલો કોઈ વાંદરો નગરમાં આવીને કેરીનો રસ આપે તો પારણું કરીશ.” અન્યદા કોઈ વખત ઉષ્ણ તુમાં કોઈ શ્રેષ્ઠીએ વૃતના કુંભમાં આમ્ર રસ નાંખ્યો હતો, તે લઈને કોઈ કપિ નાઠો. રસ્તામાં તે મુનિને જતાં જોઈને તેણે તે રસ મુનિને આપ્યો. તે જોઈને “અહો!મોટું આશ્ચર્ય” એમ પરસ્પર બોલતા ઘણા લોકો જૈન ઘર્મી થયા. અન્યદા અવધિજ્ઞાનવડે જોઈને કૃષ્ણર્ષિદેવ સ્વર્ગમાંથી તે મુનિ પાસે આવી નમસ્કાર કરીને બોલ્યો કે “હે પ્રભુ! શાસનની ઉન્નતિને માટે સંઘિલ રાજાના હાથીઓની રોગશાંતિ માટે તમે તમારું ચરણોદક આપજો.” એમ કહીને તે અદ્રશ્ય થયો. તે વખતે સંઘિલ રાજાના ચૌદસો હસ્તીઓ વ્યાધિગ્રસ્ત થયા હતા. વૈદ્યોએ અનેક ઉપાય કર્યા, તોપણ તે નીરોગી થયા નહીં. તેથી તેઓએ ઉપચાર કરવો બંધ કર્યો. રાજા અતિ શોકાતુર થયો. પછી મંત્રીના કહેવાથી રાજાએ ઉદ્ઘોષણા કરાવી કે “જે કોઈ આ હસ્તીઓના રોગની શાંતિ કરશે તેને રાજા અર્થે રાજ્ય આપશે.” તે વખતે આકાશવાણી થઈ કે “ગિરિકંબલ પર્વત ઉપર ક્ષેમર્ષિ તપ કરે છે. તેના પાદશૌચના જળથી હસ્તીઓ નીરોગી થશે.” તે સાંભળીને રાજસેવકોએ મુનિ પાસે જઈને પાદશૌચનું જળ માગ્યું એટલે મુનિએ કહ્યું કે, “હે માણસો!એક પટ્ટહસ્તી સિવાય બીજા સર્વ હસ્તીઓને આ જળ પાવવું, એટલે તેઓ નીરોગી થશે, અને પટ્ટહસ્તીને જૈન ધર્મી સિવાય કોઈ બીજાના પાંદોદકથી નીરોગી કરજો.” પછી તે રાજસેવકોએ આવીને તે પ્રમાણે બીજા સર્વ હસ્તીઓને નીરોગી કર્યા. પટ્ટહસ્તીને અન્યદર્શનીનું પાદોદક લાવીને પાયું, તેથી તે પટ્ટહસ્તી મૃત્યુ પામ્યો. પછી રાજાએ મુનિ પાસે જઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy