SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ ભાલાના અગ્ર ભાગ વડે એકવીશ માંડા લઈને મને આપશે ત્યારે હું પારણું કરીશ, અન્યથા નહીં કરું.’' તે વિષે એક કવિત છે— हाय रावल कन्हडो, केशि गलंतइ मण दुम्मणो । भल्लई इगवीश मंडा देइ, तओ खिम ऋषि पारणं करेइ ॥ १ ॥ આ અભિગ્રહમાં તે મુનિએ ત્રણ માસ ને આઠ દિવસ અતિક્રમણ કર્યા. અન્યથા મધ્યાહ્નકાળે કૃષ્ણ નામનો પત્તિ તેવી જ રીતે કંદોઈની દુકાને બેઠેલો, તેણે ભિક્ષા માટે નીકળેલા મુનિને બોલાવીને કહ્યું કે “હે ભિક્ષુ! અહીં આવો, તમારી આશા પૂર્ણ કરું.'' તે સાંભળીને મુનિ તેની પાસે ગયા, એટલે કૃષ્ણે ભાલાના અગ્ર ભાગે માંડા લઈને મુનિને આપવા માંડ્યા. મુનિએ તેને તે માંડા ગણવાનું કહ્યું, ત્યારે કૃષ્ણ બોલ્યો કે “એમાં શું ગણવું છે? તમારા ભાગ્યમાં હશે તેટલા હશે.’’ મુનિએ કહ્યું કે “મારે એકવીસ માંડાનો અભિગ્રહ છે, માટે ગણો.’’ તે સાંભળી કૃષ્ણે ગણ્યા તો બરાબર એકવીશ થયા. તેથી અત્યંત આશ્ચર્ય પામીને તેણે મુનિને કહ્યું કે “હે મુનિ! તમે તો જ્ઞાની જણાઓ છો, માટે મારું આયુષ્ય કેટલું છે તે કહો. મને મારા પિત્રાઈઓએ મારા મોટા રાજ્યથી ભ્રષ્ટ કર્યો છે, તેમને જીતવા માટે અહીં સિંધુલ રાજાની સેવા કરું છું.’’ તે સાંભળીને મુનિ બોલ્યા કે ‘“તારું આયુષ્ય માત્ર છ માસનું બાકી છે.'' તે સાંભળીને કૃષ્ણે તત્કાળ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દીક્ષા લીધી, અને છ માસ તપ કરીને તે કૃષ્ણર્ષિ સ્વર્ગે ગયા. વળી ક્ષેમર્ષિ મુનિએ બીજો અભિગ્રહ લીધો કે खंभ उम्मूलिय गयवर धाइ, मुनिवर देखी प्रसन्नो थाइ । मोदक पंचक सूंडीहिं देइ, तओ खिम ऋषि पारणं करेइ ॥२॥ ભાવાર્થ—“આલાન સ્તંભનું ઉન્મૂલન કરીને દોડેલો હાથી મુનિવરને દેખીને પ્રસન્ન થાય અને પોતાની સૂંઢ વડે પાંચ લાડવા આપે તો ક્ષેમર્ષિ પારણું કરે.’’ આવો અભિગ્રહ લઈને પાંચ માસ ને અઢાર દિવસ નિર્ગમન કર્યા, ત્યારે એક દિવસે કોઈ મત્ત થયેલો પટ્ટહસ્તી ઘરોને પાડતો કંદોઈની દુકાન પાસે આવ્યો. ત્યાંથી સૂંઢ વડે પાંચ મોદક લઈ ઋષિને આપીને તેણે પારણું કરાવ્યું. મુનિના પ્રભાવથી હસ્તી શાંત થયો, એટલે તેને મહાવતોએ લઈ જઈને આલાનસ્તંભે બાંધ્યો. વળી મુનિએ અભિગ્રહ લીઘો કે— राडी गोरी बंभण रंडी, सासुसिओ कली करे पयंडि । बिहु गाम विचे गुलसि पोली देइ, तो खिमऋषि पारणं करेइ ॥३॥ ‘સાસુથી પીડા પામેલી વૃદ્ઘ (મોટી) વહુ રોતી રોતી, ત્રણ ઉપવાસવાળી, કાષ્ઠ લેવા આવેલા દરિદ્રી માણસે ઘી ગોળ મિશ્રિત માંડા જેને આપ્યા છે એવી તે માંડા મને આપશે ત્યારે પારણું કરીશ. 93 પછી મુનિ પારણા માટે ગિરિપરથી ઊતરતા હતા, તેવામાં કોઈ ગામમાંથી સાસુવડે પીડા પામેલી કોઈ બ્રાહ્મણી પિતાના ઘર તરફ જતી હતી. તે માર્ગથી અજાણી હતી. તેથી આડે રસ્તે તે ૧ આ કવિતામાં ને ઉપલી હકીકતમાં અભિગ્રહમાં ફેર છે, આમાં તો એમ કહ્યું છે કે “નાહવા બેઠેલો રાજાનો સેવક કેશ ગળતેં (પાણી ઝમતે) દુર્મનવાળા મનથી ભાલા વડે એકવીશ માંડાં આપે તો ક્ષેમર્ષિ પારણું કરે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy