SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૩] તપાચાર ૩૦૫ પોતાના ગામમાં આવ્યો. તેનું વૃત્તાંત સાંભળવાથી લોકોને તેના પર કરુણા ઉત્પન્ન થઈ, તેથી તેને પાંચ રૂપિયા ઉઘરાણું કરીને અપાવ્યા. તેથી ફરીને તેલનું કુડલું ભરીને જતાં તે જ રીતે પડ્યો અને કુડલું ભાંગી ગયું. પછી વૈરાગ્ય પામીને શ્રી યશોભદ્ર ગુરુ પાસે જઈ વૈરાગ્યમય દેશના સાંભળીને તેણે દીક્ષા લીધી. ગુરુએ ગ્રહણસેવના એ બન્ને પ્રકારની શિક્ષા શીખવી. અનુક્રમે તે ગીતાર્થ થયા. પછી તેણે ગુરુને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભુ! મેં વૈરાગ્યથી દીક્ષા લીધી છે, માટે હું મન, વચન, કાયાની શુદ્ધિથી તેની પ્રતિપાલન કરવા ઇચ્છું છું, તેથી જો આપની આજ્ઞા હોય તો જે સ્થાને ઘણા ઉપદ્રવ થવાનો સંભવ હોય તેવા સ્થાને જઈને હું કાયોત્સર્ગે રહું.” ગુરુએ લાભ જોઈને માલવા દેશમાં જવાનું કહ્યું. એટલે તે સર્વ ગચ્છને તથા સંઘને ખમાવીને માલવા દેશમાં ગયા; ત્યાં થામણોદ ગામની પાસે સરોવરની પાળ ઉપર કાયોત્સર્ગ કરીને ઊભા રહ્યા. તેવામાં તે ગામના બ્રાહ્મણપુત્રો ક્રીડા કરવા માટે ત્યાં આવ્યા. તેઓએ સાઘુને જોઈને વિચાર્યું કે “આ આપણા ગામમાં અરિષ્ટ (ઉપદ્રવ) આવ્યું.” એમ વિચારીને યષ્ટિ મુષ્ટિ વગેરેના પ્રહારથી તેમને ઉપદ્રવ કરવા લાગ્યા. મુનિએ સર્વ ઉપસર્ગ સહન કર્યા. પણ તે સરોવરના અધિષ્ઠાયક દેવતાએ ધ્યાનસ્થ મુનિને નિશ્ચલ જોઈને સર્વ બ્રાહ્મણપુત્રોને મયૂરબંઘને બાંધી લીઘા. તેથી તે સર્વે મુખથી રુધિર વમન કરતા પૃથ્વી પર પડ્યા. તેમના માતાપિતાઓ તે વાત સાંભળી દુઃખિત થઈને સાધુ પાસે આવી બોલ્યા કે “હે ભગવન્! તમે તો કૃપાળુ મુનિ છો, માટે આ બાળકોને બંઘનથી મુક્ત કરો.” તો પણ મુનિએ ધ્યાન મૂક્યું નહીં ત્યારે તે દેવતા એક બાળકના શરીરમાં પ્રવેશ કરીને તેમના માતાપિતા પ્રત્યે બોલ્યો કે “આ મુનિએ કાંઈ પણ કર્યું નથી, પરંતુ જે કર્યું છે તે મેં જ કર્યું છે, તેથી જો આ મુનિનું ચરણોદક આ બાળકોને છાંટશો તો તેઓ બંઘનમુક્ત થશે, બીજી રીતે થશે નહીં.” તે સાંભળીને તેઓએ તેમ કર્યું, એટલે તે બાળક સજ્જ થયા. પછી તે માતાપિતાઓએ પોતપોતાને ઘેરથી દ્રવ્ય લાવીને સાધુને ભેટ કર્યું, અને “આ ગ્રહણ કરો, આ ગ્રહણ કરો' એમ બોલવા લાગ્યા. સાઘુએ કહ્યું કે “હે લોકો! મારે દ્રવ્યનું કાંઈ પણ પ્રયોજન નથી, તેથી આ દ્રવ્ય તમે જીર્ણોદ્ધારમાં વાપરો.” તેથી સર્વ માણસોએ તે મુનિની નિસ્પૃહતા જોઈને તેનું ક્ષેમર્ષિ એવું નામ પ્રસિદ્ધ કર્યું. ત્યાં સર્વ લોકોને અતિ ભક્ત થયેલા જાણીને મુનિ ગિરિકંબલ નામના પર્વત પર જઈને વિવિધ પ્રકારનાં તપ કરવા લાગ્યા. તે વખતે માલવા દેશમાં ઘારાનગરીમાં સિંઘલ નામે રાજા રાજ્ય કરતો હતો. ક્ષેમષિ મુનિએ વિવિઘ પ્રકારનાં તપ કરતાં પારણાને માટે એવા અભિગ્રહો કર્યા કે કકારવાળી સાત ચીજ જેવી કે કુર, કંસાર, કાંગ, કોદ્રવ, કરંબ, કેર અને કર્પટ તે મળે તો પારણું કરવું. વળી કોઈ વખત પાંચ ખકારવાળી ચીજ જેવી કે ખારેક, ખુડહડી, ખજૂર, ખાજાં અને ખાંડ. વળી કોઈ વખત ગકારવાળી સાત ચીજ જેવી કે ગર્લ્ડ (ઘઉ), ગોળ, ગુંદ, ગૂંદવડાં, ગુણા, ગોળ અને ગોરસ. તેવી જ રીતે બીજા વર્ણવાળી વસ્તુ વડે કરીને પારણાના અભિગ્રહો લેતા હતા. તે સર્વ અભિગ્રહો તપના પ્રભાવથી પૂર્ણ થયા પછી “આ અભિગ્રહો તો કાંઈ પણ દુષ્કર નથી” એમ જાણીને ઉગ્ર અભિગ્રહો લેવા માંડ્યા. તે આ પ્રમાણે-“જો કોઈ મિથ્યાત્વી રાજા રાજ્યથી ભ્રષ્ટ થયેલો, મધ્યાહ્ન સમયે, કંદોઈની દુકાને, પલાંઠી વાળીને બેઠેલો, રાજાના પત્તિપણાને પામેલો, પોતાના કાળા કેશને વિખેરતો તીક્ષ્ણ ભાગ ૪-૨૦ Jain Education For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy