SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૮૨] ચારિત્રાચારના છેલ્લા ત્રણ ભેદ-ત્રણ ગુપ્તિ [૩૦૩ રાત્રિએ એક પગ માત્ર પૃથ્વી પર રાખીને ઊભા રહ્યા. તે જોઈને ઇંઢે સભામાં તે સાઘુની પ્રશંસા કરી. તે સાંભળીને કોઈ મિથ્યાવૃષ્ટિ દેવતાએ પરીક્ષા કરવા માટે ત્યાં આવીને સિંહરૂપે તે સાધુને ચપેટાથી પ્રહાર કર્યો. તે પ્રહારથી પડી જતાં સાઘુએ વારંવાર પ્રાણીની વિરાધનાનો સંભવ જાણીને મિથ્યા દુષ્કત આપ્યું. છેવટે થાકીને તે દેવતા પ્રગટ થયો અને સર્વ વૃત્તાંત કહી તેમને ખમાવીને સ્વર્ગે ગયો. બીજા સાધુઓએ પણ તે સાધુની પ્રશંસા કરી. આ દ્રષ્ટાંત સાંભળીને મુનિએ કાયમુતિ અવશ્ય ઘારણ કરવી. ઉપર કહેલી યુક્તિથી ત્રણે ગુતિનું મુનિએ પાલન કરવું. તે વિષે દ્રષ્ટાંત નીચે પ્રમાણે કોઈ એક નગરમાં એક સાધુ કોઈ શ્રાવકને ઘેર ભિક્ષા લેવા માટે ગયા. તેને તે શ્રાવકે નમન કરીને પૂછ્યું કે “હે પૂજ્ય! તમે ત્રણ ગુણિએ ગુમ છો?” તેના જવાબમાં મુનિએ કહ્યું કે “હું ત્રણ ગુણિએ ગુપ્ત નથી.” શ્રાવકે તેનું કારણ પૂછ્યું, એટલે મુનિએ કહ્યું કે “હું એક દિવસ કોઈને ઘેર ભિક્ષા માટે ગયો હતો, ત્યાં તેની સ્ત્રીની વેણી જોઈ, તેથી મને મારી સ્ત્રીનું સ્મરણ થયું, માટે મારે મનોગુપ્તિ નથી. એકદા ભિક્ષા માટે શ્રીદત્ત નામના ગૃહસ્થને ઘેર ગયો હતો. તેણે મને કેળાં યોગ્ય જાણી આપ્યાં. ત્યાંથી હું બીજે ઘેર ગયો. તે બીજા ઘરવાળા શ્રાવકે મને “આ કેળાં કોણે આપ્યાં?' એમ પૂછ્યું, એટલે મેં સત્ય વાત જણાવી. તે શ્રાવક પેલા કેળાં આપનારનો દ્વેષી હતો, તેથી તેણે જઈને રાજાએ કહ્યું કે “હે સ્વામી! આપની વાડીનાં કેળાં દરરોજ શ્રીદત્તને ઘેર જાય છે.' રાજાએ પૂછ્યું કે “તેં શી રીતે જાણ્યું?” તે બોલ્યો કે “તેણે મુનિને આપ્યાં, અને મેં તે મુનિના મુખથી સાંભળ્યું. તેવાં કેળાં આપની વાડી સિવાય બીજો કોઈ ઠેકાણે થતાં નથી.” તે સાંભળીને રાજાએ શ્રીદત્તને શિક્ષા કરી, તેથી મારે વાગૂતિ પણ નથી. કેમકે તે શ્રેષ્ઠીને દંડ કરાવવામાં હું કારણભૂત થયો. એકદા વિહાર કરતાં હું એક અરયમાં ગયો. ત્યાં થાકી જવાથી નિદ્રા પામ્યો. તે ઠેકાણે એક સાર્થ આવીને રહ્યો. રાત્રિએ સાર્થપતિએ સૌને કહ્યું કે “હે માણસો! પ્રાતઃકાલે અહીંથી વહેલાં ચાલવું છે, માટે વેળાસર ભોજનસામગ્રી તૈયાર કરી લો.” તે સાંભળીને સર્વ જનો રસોઈ કરવા લાગ્યા. તે વખતે અંઘકાર હોવાથી એક માણસે મારા મસ્તક પાસે એક બીજો પથ્થર મૂકીને ચૂલો કર્યો. પછી તેમાં અગ્નિ સળગાવ્યો. તે અગ્નિ લાગવાથી મેં મારું મસ્તક લઈ લીધું. તેથી મારે કાયગતિ પણ નથી. માટે હું ભિક્ષા યોગ્ય મુનિ નથી.” આ પ્રમાણેના તે મુનિના સત્ય ભાષણથી તે શ્રેષ્ઠી બહુ હર્ષ પામ્યો અને મુનિને પ્રતિલાભિત કર્યા. મુનિની અત્યંત પ્રશંસા કરવાથી તે શ્રેષ્ઠીએ અનુત્તર વિમાનનું સુખ ઉપાર્જન કર્યું. મુનિ પણ પોતાના આત્માને નિંદતા ચિરકાલ પર્યંત ચારિત્ર પાળીને અનુક્રમે સ્વર્ગે ગયા. I ઇતિ ત્રિગુતિ સ્વરૂપ છે પૂર્વે કહેલી પાંચ સમિતિઓ પ્રતિચાર (પ્રવૃત્તિ) રૂપ છે, અને ત્રણ ગુણિઓ તો પ્રતિચાર (પ્રવૃત્તિ) તથા અપ્રતિચાર (અપ્રવૃત્તિ) એ બન્ને રૂપ છે. પ્રતિચાર એટલે કાયાનો અથવા વાણીનો વ્યાપાર. તેથી ગુતિઓમાં સમિતિઓનો અંતર્ભાવ પણ થઈ જાય છે. તે એવી રીતે કે બીજી ભાષાસમિતિનો વાગૂમિમાં અંતર્ભાવ થાય છે. એષણા સમિતિ મનના ઉપયોગથી ઉત્પન્ન થાય છે. કેમકે જ્યારે સાધુ એષણા સમિતિમાં ઉપયોગવાળા હોય ત્યારે શ્રોત્રાદિક ઇંદ્રિયો વડે વહોરાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy