SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ તારી શુદ્ધિ થાય, કેમ કે તેં પૂર્વે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે ‘પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડ્યું.' આવા મહા પાપી વાક્ય બોલીને તેં સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે, તેવા વચનથી તેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે, તેથી તારે કુષ્ઠ, ભગંદર, જળોદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિરોધ, અર્શ, ગંડમાળ વગેરે અનેક વ્યાધિવાળા દેહવડે અનંતા ભવોમાં દીર્ઘ કાળ સુધી નિરંતર દારિદ્રચ, દુઃખ, દૌર્ગત્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ અને ઉદ્વેગનું ભાજન થવાનું છે.’’ આ પ્રમાણે કેવલીનું વચન સાંભળીને બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ! જેઓ ભાષાસમિતિ વડે શુદ્ધ એવું વાક્ય બોલે છે તે કેવલજ્ઞાન પામે છે, અને જે ભાષાસમિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બોલી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રા આર્યાની જેમ કુગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખસમૂહને પામે છે. – વ્યાખ્યાન ૨૦૦ ચારિત્રાચારનો ત્રીજો ભેદ–એષણાસમિતિ હવે એષણા સમિતિ નામના ત્રીજા ચારિત્રાચાર વિષે કહે છે– सप्तचत्वारिंशता यद्दोषैरशनमुज्झितम् । भोक्तव्यं धर्मयात्रायै, सैषणासमितिर्भवेत् ॥ १॥ ભાવાર્થ—જે સુડતાળીશ દોષરહિત અશન (આહા૨) ઘર્મયાત્રાને (સંયમના નિર્વાહને) માટે વાપરવું તે એષણા સમિતિ કહેવાય છે.’’ તેનો ભાવાર્થ નીચેના દૃષ્ટાંતથી જાણી લેવો. ધનશમાં સાધુનું દૃષ્ટાંત અવંતિ નગરીમાં ધનમિત્ર નામે એક વણિક રહેતો હતો. તે એકદા ગુરુ પાસે ધર્મોપદેશ સાંભળીને અતિ વૈરાગ્યમગ્ન થયો, તેથી ધનશર્મા નામના પોતાના પુત્ર સહિત તેણે દીક્ષા લીધી. અનુક્રમે તે બન્ને શાસ્ત્રમાં નિપુણ થયા. એક દિવસ બીજા સાધુઓની સાથે તે બન્ને મધ્યાહ્ન સમયે એલગપુરના માર્ગે ચાલ્યા. તે વખતે ભયંકર ગ્રીષ્મ ઋતુના સૂર્યના કિરણો પડવાથી તાપ પામેલો તે બાળ સાઘુ તૃષાથી પીડાઈને ઘીરે ધીરે ચાલવા લાગ્યો, તેથી બીજા સાધુઓ તો આગળ ચાલવા માંડ્યા, પણ ધનમિત્ર સાધુ તો પુત્રના પ્રેમરૂપી પાશથી નિયંત્રિત હોવાથી પાછળ રહ્યા; તેવામાં માર્ગે એક નદી આવી. તે જોઈને પિતાએ પુત્રને કહ્યું કે ‘“હે વત્સ! તારી ચેષ્ટાથી હું ધારું છું કે તું તૃષાથી પરાભવ પામ્યો છે. પણ મારી પાસે પ્રાસુક જળ નથી તેથી શું કરું? યોગ્ય ક્ષેત્ર અને યોગ્ય કાળ વિનાનું જળ મુનિઓને તો કલ્પતું નથી. તો હવે આ નદીનું જળ પીને તું તારી તૃષાનું નિવારણ કર. કેમકે બુદ્ધિમાન પુરુષોએ નિષેધ કરેલું કાર્ય પણ આપત્તિમાં કરવું પડે છે. તે વિષે કહ્યું છે કે— Jain Education International निषिद्धमप्याचरणीयमापदि क्रिया सती नावति यत्र सर्वथा । घनाम्बुना राजपथेऽतिपिच्छले, क्वचिद्बुधैरप्यपथेन गम्यते || १ || ભાવાર્થ-નિષિદ્ધ કાર્ય પણ આપત્તિમાં કરવું જોઈએ. કેમકે સત્ ક્રિયા સર્વ પ્રકારે સર્વત્ર " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy