SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૯] ચારિત્રાચારનો બીજો ભેદ-ભાષાસમિતિ ૨૯૩ કહેવામાં આવશે એવી રજ સાધ્વીની જેમ મુખરતાથી (વાચાળપણાથી) વિચાર વિના પરના અવર્ણવાદ બોલવા તે મુખરતા દોષ જાણવો. (૮) સ્ત્રીઆદિકની કથામાં “અહો! આ સ્ત્રીનાં કટાક્ષવિક્ષેપ તથા લાવણ્યાદિક કેવાં સુંદર છે?” ઇત્યાદિ બોલવું અથવા ભુવનભાનુ કેવળીના જીવ રોહિણી સ્ત્રીની જેમ બોલવું તે વિકથા દોષ જાણવો. અહીં મુખરતા દોષ ઉપર સંપ્રદાયાગત ર સાથ્વીનું દ્રષ્ટાંત કહે છે સાધ્વીનું દૃષ્ટાંત શ્રી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીરસ્વામી એકદા દેશનામાં બોલ્યા કે “એક જ માત્ર કુવાક્ય બોલવાથી રજી નામની આર્યા મહા દુઃખ પામી.” તે સાંભળીને ગૌતમ ગણઘરે વિનંતિપૂર્વક પૂછ્યું કે “હે ભગવન્! તે રા સાથ્વી કોણ? અને તેણે વાણીમાત્રથી શું પાપ ઉપાર્જન કર્યું કે જેનો આ પ્રમાણેનો દારુણ વિપાક આપ વર્ણન કરો છો?” ભગવાન બોલ્યા કે “હે ગૌતમ! આ ભરતક્ષેત્રમાં પૂર્વે ભદ્ર નામે એક આચાર્ય હતા. તેના ગચ્છમાં પાંચસો સાધુઓ અને બારસો સાધ્વીઓ હતી. તેના ગચ્છમાં ત્રણ ઉકાળા આવેલું, આયામ (ઓસામણ) અને સૌવીર (કાંજી) એ ત્રણ જાતનું જ જળ વપરાતું હતું. ચોથી જાતનું પાણી પીવાતું નહોતું. એકદા રક્ત આર્યાના શરીરમાં પૂર્વ કર્મના અનુભાવથી કુષ્ઠ વ્યાધિ ઉત્પન્ન થયો, તે જોઈને બીજી સાધ્વીઓએ તેને પૂછ્યું કે “હે દુષ્કર સંયમ પાળનારી! આ તને શું થયું?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજૂ બોલી કે “આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ વરજીએ' એમ સર્વ સાધ્વીઓનાં હૃદયમાં વિચાર થઈ ગયો. તેમાંની એક સાધ્વીએ વિચાર્યું કે “જો કદાપિ મારું શરીર હમણાં જ આ મહાવ્યાદિથી નાશ પામે, તો પણ હું તો પ્રાક જળ તજીશ નહીં. ઉકાળેલું જળ વાપરવાનો અનાદિ અનંત ઘર્મ કૃપાળુ જિનેશ્વરોએ કહેલો છે તે મિથ્યા નથી. આનું શરીર તો પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મથી વિનષ્ટ થયું છે. અહો! તે નહીં વિચારતાં આ ર8 અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું અને મહા ઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન બોલી?” ઇત્યાદિ શુભ ધ્યાન કરતાં વિશેષ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરત જ દેવોએ કેવલીનો મહિમા કર્યો. પછી ઘર્મદેશનાને અંતે રજીએ કેવલીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ઠાદિક વ્યાધિનું પાત્ર થઈ?” કેવલીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપિત્તનો દોષ છતાં તે સ્નિગ્ધ આહાર કંઠ સુઘી ખાઘો. તે આહાર કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી તેં આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મોહના વશથી સચિત્ત જળથી ધોઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહીં; તેથી તારી જેમ બીજાઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું, તેમાં પ્રાસુક જળનો દોષ કિંચિત્ પણ નથી.” તે સાંભળીને રજૂએ પૂછ્યું કે “હે ભગવન્! જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત્ત લઉં, તો મારું શરીર સારું થાય કે નહીં?” કેવળીએ કહ્યું કે “જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સારું થાય.” સજ્જ બોલી કે “તમે જ આપો. તમારા જેવો બીજો કોણ મહાત્મા છે?” કેવળીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે પણ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે? તો પણ હું તો તને પ્રાયશ્ચિત્ત આપું. પરંતુ તેનું કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી કે જેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy