SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [તંભ ૧૯ પ્રમાણે દેવતાએ પોતાની સર્વ પ્રકારની શક્તિ બતાવી,પણ મુનિ ઈર્યાસમિતિથી ભ્રષ્ટ થયા નહીં, એટલે પોતાના જ્ઞાનથી તેમજ ઇંદ્રના વાક્યથી મુનિના ભાવની નિશ્ચલતા જાણીને તે દેવતા પ્રગટ થયો અને પોતે કરેલો અપરાધ ખમાવ્યો. પછી સર્વ વૃતાંત કહી બતાવીને તે દેવ સમકિતરૂપી રત્ન પ્રાપ્ત કરી સ્વર્ગે ગયો. આ પ્રમાણે વરદત્ત ઋષિની જેમ ઈર્યાસમિતિ નામનો પહેલો ચારિત્રાચાર સર્વે મુનિએ પાળવો. જુઓ, તેનું શીલ જોઈને દેવતા પણ મિથ્યાવૃષ્ટિપણાનો ત્યાગ કરી સમ્યવૃષ્ટિ થયો.” વ્યાખ્યાન ૨૭૯ ચારિત્રાચારનો બીજો ભેદ-ભાષાસમિતિ હવે ભાષાસમિતિ નામના બીજા ચારિત્રાચાર વિષે કહે છે हितं यत्सर्वजीवानां, त्यक्तदोष मितं वचः । तद्धर्महेतोर्वक्तव्यं, भाषासमितिरित्यसौ ॥१॥ ભાવાર્થ-“જે સર્વ જીવોને હિતકારી અને દોષરહિત તેમજ મિત પ્રમાણસર–અલ્પ) વચન હોય તે ઘર્મને માટે બોલવું, તેનું નામ ભાષાસમિતિ કહેવાય છે.” અહીં “દોષરહિત જે વચન કહ્યું છે, તે દોષ ક્રોઘાદિક આઠ છે. તે વિષે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રના ચોવીશમા અધ્યયનમાં કહ્યું છે કે कोहे माणे अ मायाइ, लोभे अ उवउत्तया । हासे भये मोहरीए, विगहासु तहेव य॥१॥ एआइ अट्ठ ठाणाइं, परिवज्जित्तु संजए । असावजंमिअ काले, भासं भासिज्ज पनवं ॥२॥ ભાવાર્થ-“ક્રોઘ, માન, માયા, લોભ, હાસ્ય, ભય, મુખરતા અને વિકથા એ આઠ સ્થાન વર્જીને અસાવદ્ય એવા કાર્યમાં યથાયોગ્ય કાળે ભાષા બોલવાનું સાધુને માટે કહેલું છે.” વિશેષાર્થ-(૧) કોઈ પિતા પોતાના પુત્ર ઉપર અતિ ક્રોઘ કરીને તેને કહે કે “તું મારો પુત્ર નથી અથવા પાસે રહેનાર બીજા માણસોને કહે કે “આને બાંઘો, બાંઘો' તે ક્રોધ દોષ જાણવો, તેના પર અમરદત્ત મિત્રાનંદ વગેરેનાં દૃષ્ટાંતો છે. (૨) કોઈ માણસ મરીચિની જેમ અહંકારથી “જાતિ વગેરેથી મારા જેવો ઉચ્ચ કોઈ નથી” ઇત્યાદિ બોલે તે માન દોષ જાણવો. (૩) મલ્લિનાથ પ્રભુના પૂર્વ ભવની જેમ અથવા અભયકુમારને પકડી લાવવા માટે ચંડપ્રદ્યોત રાજાએ મોકલેલી વેશ્યાની જેમ જે અન્યને છેતરવા માટે કપટથી બોલે તે માયા દોષ જાણવો. (૪) ઘર્મબુદ્ધિ અને પાપબુદ્ધિ વગેરેની જેમ અન્યના ભાડાદિકને પોતાના કહેવા તે લોભ દોષ જાણવો. (૫) “જો મહાવિદેહક્ષેત્રમાં વિહરમાન તીર્થંકરો વિચરે છે, તો તે ઉપકારને માટે આ ભરતક્ષેત્રમાં કેમ આવતા નથી? અહીં ક્ષણવાર રહીને લોકના મનના સંદેહો દૂર કરીને પછી ચાલ્યા જાય તો બહુ સારું” એમ જે બોલવું તે હાસ્ય દોષ જાણવો. (૬) કાંઈ પણ કાર્ય કરીને કોઈના પૂછવાથી ભયને લીધે “મેં આ કાર્ય કર્યું નથી, કોઈ બીજાએ કર્યું હશે” એમ જે બોલવું તે ભય દોષ જાણવો. (૭) જેનું દ્રષ્ટાંત આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy