SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૮] ચારિત્રાચારનો પહેલો ભેદ-ઈર્યાસમિતિ સૂત્ર કારણે કરીને નિયમિત રીતે કરવી. તેમાં (૧) ‘‘આલંબન’’ તે જ્ઞાનાદિક જાણવું. ‘જ્ઞાન’ એટલે અને તેનો અર્થ એ બન્ને રૂપ આગમ, દર્શન અને ચારિત્ર. તે પ્રત્યેક જ્ઞાનાદિકને આશ્રય કરીને અથવા બે બેના સંયોગે કરીને` ગમન કરવાની અનુજ્ઞા આપી છે; પરંતુ જ્ઞાનાદિકના આલંબન વિના ગતિ (વિહાર–જવું આવવું) થઈ શકે નહીં. (૨) “કાળ” એટલે ગમનનું પ્રકરણ હોવાથી ગમનના વિષય માટે દિવસ જ જિનેશ્વરે કહેલો છે. (૩) ‘‘માર્ગ'' એટલે ઉન્માર્ગનો ત્યાગ કરીને લોકો પુષ્કળ ચાલતા હોય તેવો માર્ગ કહ્યો છે. (૪) અને “યત્ના” એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદે કરીને ચાર પ્રકારની છે. તેમાં ‘દ્રવ્યને આશ્રયીને યતના કરવી' એટલે યુગ પ્રમાણ પૃથ્વીમાં રહેલા જીવાદિક દ્રવ્યને નેત્રવડે જોવાં તે. ‘ક્ષેત્રથી યતના કરવી.' એટલે યુગ પ્રમાણ પૃથ્વીને જોઈને ચાલવું તે. ‘કાળથી યતના કરવી' એટલે જેટલો કાળ ગતિ કરવી તેટલા કાળ સુધી ઉપયોગ રાખવો તે. અને ‘ભાવથી યતના કરવી' એટલે ઉપયોગપૂર્વક ચાલવું તે. અર્થાત્ શબ્દાદિક ઇંદ્રિયોના વિષયને તથા પાંચ પ્રકારના સ્વાધ્યાયને પણ તજી દઈને ચાલવું તે. કેમકે તેમનો ત્યાગ નહીં કરવાથી ગતિના ઉપયોગનો ઘાત થાય છે. ગતિ વખતે બીજો કોઈ પણ વ્યાપાર યોગ્ય નથી. પાછળ તથા પડખે ઉપયોગ રાખવાથી અથવા અતિ દૂર જોવાથી માર્ગમાં વિદ્યમાન જંતુઓ પણ જોઈ શકાતા નથી. તેમજ અતિ સમીપ જોવાથી સન્મુખ આવતા પશુ અથવા ભીંત વગેરેનું આસ્ફાલન થવા સંભવ છે, માટે ઉપયોગપૂર્વક ગમન કરવું તે જ યોગ્ય છે. આવા પ્રકારની સમિતિપૂર્વક ગતિ કરનાર મુનિને કથંચિત્ પ્રાણીનો વધ થઈ જાય તો પણ પાપ લાગતું નથી. અહીં કેવળ ગતિ વખતે જ ઈર્યાસમિતિ રાખવી એમ નહીં, પણ બેઠાં બેઠાં પણ ઘણા ભાંગાવાળા શાસ્ત્રની આવૃત્તિ કરતી વખતે ભાંગાની રચના કરતાં જે હાથ વગેરેની ચેષ્ટા થાય છે તે પણ પરિસ્કંદરૂપ હોવાથી તેમાં પણ ઈર્યાસમિતિની જરૂર છે. આ સમિતિ વરદત્ત મુનિની જેમ પાળવી. તેનું દૃષ્ટાંત કહે છે— ઈર્યાસમિતિ ઉપર વરદત્ત ઋષિનું દૃષ્ટાંત કોઈ ગચ્છમાં વરદત્ત નામના ઋષિ નિરંતર ઈર્યાસમિતિમાં તત્પર હતા. એકદા શક્રેન્દ્ર પોતાની સભામાં તેમની ઈર્યાસમિતિની પ્રશંસા કરી. તે સાંભળીને એક મિથ્યાત્વી દેવે તે સત્ય નહીં માનતાં ઇન્દ્રને કહ્યું કે–‘જીવવાની ઇચ્છાવાળો તે મુનિ શી રીતે ઈર્યાસમિતિમાં તત્પર રહેશે? હું તેને સમિતિથી ભ્રષ્ટ કરીશ.’’ એમ કહીને તે દેવ મૃત્યુલોકમાં આવ્યો, ત્યાં તે મુનિના ચાલવાના રસ્તા પર તેણે માખી જેવડી દેડકીઓ વિકુર્તી. માર્ગમાં પગ મૂકવાની પણ જગ્યા ન મળે તેટલી બધી દેડકીઓ જોઈને તે મુનિ ઈર્યાસમિતિમાં અતિ સાવધાન થઈ ઊભા રહી ગયા. તેવામાં તે દેવતાએ માયાથી હાથીના ઉપદ્રવવાળું તુમુલ ચારે બાજુએ વિકુલ્યું. તેથી પણ તે સાધુ વિહ્વળ થયા નહીં, તેમજ ઉતાવળી ગતિ કે કૂદીને ચાલવાની ગતિ પણ સ્વીકારી નહીં. ત્યારે તે દેવના વિક્ર્વેલા માણસો દૂરથી સાધુને કહેવા લાગ્યા કે “હે ઋષિ! હાથીના રસ્તામાંથી એકદમ દૂર જતા રહો, દૂર જતા રહો.'' પણ તે મુનિ તો પોતાના સ્વભાવમાં જ સ્થિત રહ્યા. તેવામાં હાથીએ આવીને તે મુનિને પકડી આકાશમાં ઉછાળ્યા, નીચે પૃથ્વી પર પડતાં સાધુએ વિચાર્યું કે “મારો દેહ પ્રમાર્જન કર્યા વિનાની દેડકીઓથી વ્યાપ્ત પૃથ્વી પર પડશે, તેથી ઘણી દેડકીઓનો વિનાશ થઈ જશે.’' આ ૧ જ્ઞાન ને દર્શન અથવા જ્ઞાન ને ચારિત્ર અથવા દર્શન ને ચારિત્રના અવલંબન વડે. Jain Education International For Private & Personal Use Only ૨૯૧ www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy