SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ વ્યાખ્યાન ૨૭૮ ચારિત્રાચારનો પહેલો ભેદ–ઈર્યાસમિતિ હવે આઠ પ્રકારના ચારિત્રાચાર કહે છે– याश्च चारित्रपुत्रस्य, मातरोऽष्टौ प्रकीर्तिताः । ता एव चरणाचाराः, समुपास्या मुमुक्षुभिः॥१॥ ભાવાર્થ-“ચારિત્રરૂપ પુત્રની જે આઠ માતાઓ કહેલી છે, તે આઠે પ્રકારના ચારિત્રાચાર છે, તેને મુમુક્ષુ પુરુષોએ સેવવા.” ચરણ(વ્રત)નું આચરણ કરવું, તે ચારિત્રાચાર કહેવાય છે. તે ચારિત્રાચાર પાંચ પ્રકારની સમિતિ અને ત્રણ પ્રકારની ગુણિએ કરીને આઠ પ્રકારનો છે. કહ્યું છે કે पणिहाणजोगजुत्तो, पंचहिं समिइहिं तिहिं गुत्तिहिं । एस चरित्तायारो, अट्टविहो होइ नायब्वो ॥४॥ ભાવાર્થ-“પાંચ સમિતિ અને ત્રણ ગુણિએ કરીને પ્રણિઘાન યોગથી યુક્ત થયેલો આ ચારિત્રાચાર આઠ પ્રકારનો છે, એમ જાણવું.” પ્રથમ સમિતિરૂપ પાંચ પ્રકારના ચારિત્રાચારમાંથી ઈર્યાસમિતિ નામના પહેલા પ્રકારનું વર્ણન નીચે પ્રમાણે છે युगमात्रावलोकिन्या, दृष्ट्या सूर्यांशुभासिते । पथि यत्नेन गन्तव्यं इतीर्यासमितिर्भवेत् ॥१॥ ભાવાર્થ-“ગાડાની ધૂંસરી પ્રમાણ આગળના ભાગમાં જોનારી દ્રષ્ટિથી સૂર્યનાં કિરણોથી પ્રકાશમાન એવા રસ્તા ઉપર યત્નપૂર્વક જે ચાલવું તે ઈર્યાસમિતિ કહેવાય છે.” આ શ્લોકમાં “યતનાપૂર્વક ચાલવું' એમ કહ્યું છે તેમાં એમ સમજવું કે “મુખ્ય વૃત્તિએ તો સાધુએ નિરવદ્ય સ્થાનમાં રહીને સ્વાધ્યાય વગેરે ઘર્મકૃત્ય જ કરવા.” અહીં કોઈને શંકા થાય કે “મુનિને જ્યારે નિરવદ્ય સ્થાનમાં રહીને ઘર્મકૃત્ય જ કરવાનું છે, ત્યારે સાઘુઓને નિરંતર નવકલ્પી વિહાર કરવાનો ભગવાને શા માટે ઉપદેશ કર્યો છે? તેનો જવાબ આપે છે કે “નવકલ્પી વિહાર કરવાનું જે ભગવાને કહ્યું છે તે પણ ઘણા ગુણનો હેતુ હોવાથી ઘર્મની વૃદ્ધિને માટે જ કહ્યું છે; તેમાં પણ રાત્રે ચક્ષનો વિષય નહીં હોવાથી અતિ પુષ્ટ આલંબન (કારણ) વિના ચાલવા હાલવાની આજ્ઞા આપી નથી. દિવસે પણ છ જીવ નિકાયની વિરાઘના ટાળવાને માટે ઘણા લોકો વડે ચાલેલા માર્ગે વિહાર કરવો, પણ આડે માર્ગે ચાલવું નહીં; તેમાં પણ પોતાના પગથી આરંભીને આગળ ચાર હાથ સુઘી (યુગ પ્રમાણ) ક્ષેત્ર (પૃથ્વી)ને જોઈને કાચી માટી, જળ, વનસ્પતિ અને બીજ વગેરે સ્થાવર અને કુંથવા, કીડી વગેરે ત્રસ જંતુની રક્ષા માટે પગલે પગલે સારી રીતે જોઈને ચાલવું. “ફર ” ઈર્યા એટલે ગતિ અને તેની જે સમિતિ એટલે સમ્યક્ પ્રકારે જિનપ્રવચનને અનુસારે રૂત: એટલે આત્માની પ્રવૃત્તિરૂપ ચેષ્ટા કરવી તે “ઈર્ષા સમિતિ” શબ્દનો અર્થ છે. આગળ જે ત્રણ ગુતિ કહેવામાં આવશે, તે પ્રવૃત્તિની નિવૃત્તિરૂપ હોવાથી તેમાં અને સમિતિમાં કાંઈક ભેદ છે એમ જાણવું. હવે ગતિ કરવી તે પણ આલંબન, કાળ, માર્ગ અને યતના એ ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy