SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ - શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ પણ પરાભવ પામે તેવું નથી' એવો નિશ્ચય કરીને તેણે નિશાની સહિત સર્વ હેવાલ સત્ય રીતે કહી આપ્યો. તેથી વિશ્વાસ પામીને તે સુભદ્ર શાંત થઈ વિચારવા લાગ્યો કે “લોકોત્તર ઘર્મમાં કુશળ એવી આ મારી ભાર્યાને ધન્ય છે કે જેણે “મારો સ્વામી પરસ્ત્રીના સંગથી નરકરૂપી સાગરમાં ન પડો’ એમ ઘારીને મને તેમાંથી ઉગાર્યો. મને અન્તઃકરણથી મારી ચિંતા ઘરાવનારી સુશીલ સ્ત્રી મળી છે. તેની સ્થિરતા અને ગાંભીર્ય વાણીના વિષયની બહાર છે. અર્થાત્ વાણીથી કહી શકાય તેવું નથી.” ઇત્યાદિ સ્ત્રીની પ્રશંસા કરીને તેની જ આજ્ઞાથી ગુરુ પાસે જઈ પરસ્ત્રીગમનનું સર્વથા પ્રત્યાખ્યાન કરીને કરેલા પાપની આલોચના કરી. પછી અનુક્રમે પોતાના પુત્રને ઘરનો કાર્યભાર સોંપીને ચારિત્ર તપાદિ વડે તે સ્ત્રીપુરુષ અલ્પકાળમાં જ ઇચ્છિત કાર્ય સાથી મોક્ષસુખને પામ્યા. “આ પ્રમાણે સાઘર્મિક વાત્સલ્યના ઘણા ભેદ છે, માટે ડાહ્યા પુરુષો લાભ દેખીને તેમાં પ્રવર્તે છે. આ સાતમા દર્શનાચારને પાલન કરનાર પુરુષોએ પોતાની સર્વ શક્તિથી સાઘર્મિકની નિરંતર અર્ચા કરવી, તથા તેનું બહુમાન કરવું.” વ્યાખ્યાન ૨૭૭ દર્શનાચારનો આઠમો ભેદ-પ્રભાવના હવે પ્રભાવના નામે આઠમા દર્શનાચાર વિષે કહે છે– अष्टौ प्रोक्ता निशीथादौ, शासनस्य प्रभावकाः । मार्गानुसारिण्या शक्त्या, त एवोद्भासयंति तत् ॥१॥ ભાવાર્થ-“નિશીથાદિક સૂત્રમાં શાસનના આઠ પ્રભાવક કહેલા છે, તેઓ જ માર્ગાનુસારી શક્તિએ કરીને શાસનને શોભાવે છે.” સૂત્રમાં જે આઠ પ્રભાવક કહેલા છે, તે નિશીથસૂત્રની ગાથા વડે બતાવે છે. अइसेसीडि धम्मकहि२ वाइ३ आयरिय खवग५ नेमित्ती । विजा रायगणसम्मओ अ तित्थपभाविंति ॥१॥ ભાવાર્થ-“૧. અતિશયિત ઋદ્ધિમાન, ૨. ઘર્મકથી, ૩. વાદી, ૪. આચાર્ય, ૫. તપસ્વી, ૬. નૈમિત્તિક, ૭. વિદ્યાવાન અને ૮. રાજસમૂહમાં સંમત એ આઠ તીર્થના પ્રભાવક હોય છે.” વિશેષાર્થ-(૧) જેને “અતિશય” એટલે બીજાઓથી પરમ ઉત્કૃષ્ટ “ઋદ્ધિ” એટલે તેજલેશ્યા વગેરે લબ્ધિઓ છે, તે અતિશયિત ઋદ્ધિ કહેવાય છે. તેને માટે કુંચિક નામના શ્રેષ્ઠીને શિક્ષા આપનાર મુનિપતિ મુનિનું અથવા ભાવી કાળે થનારા સુમંગલ મુનિનું દ્રષ્ટાંત જાણવું. તે શ્રી ભગવતીસૂત્રના પંદરમા શતકમાં કહેલું છે, ત્યાંથી સ્વયમેવ જાણી લેવું. (૨) “ઘર્મકથી” પ્રભાવક એટલે વ્યાખ્યાનની લબ્ધિ જેને હોય છે. શ્રી નંદિષેણ મુનિ વેશ્યાને ઘેર રહ્યા હતા, તોપણ હમેશાં દશ દશ જીવોને પ્રતિબોઘ પમાડતા હતા, તેવી રીતે બાર વર્ષ વ્યતીત થયાં, જેમાં તેંતાળીસ હજાર ને બસો જારપુરુષો કે જેઓ કામાતુર થઈને વેશ્યાને ઘેર આવતા હતા, તેઓને ઘર્મકથા વડે પ્રતિબોઘ પમાડીને શ્રી મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવા માટે મોકલ્યા હતા. “હું તો કર્મના વશથી પતિત થયો છું પણ બીજા દશ માણસને દરરોજ પ્રતિબોઘ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy