SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ આવા કાર્યને માટે તમે આટલો બધો ખેદ કેમ પામ્યા? મને પ્રથમથી જ કેમ કહ્યું નહીં? કેમકે તે મારી સખી મારે આધીન જ છે, તેને હું જલદી લાવી આપીશ.” પછી અન્ય દિવસે તેણે પોતાના પતિને કહ્યું કે “તે મારી સખીએ તમારી ઇચ્છા પૂર્ણ કરવાનું હર્ષથી અંગીકાર કર્યું છે, તેથી તે આજ સાંજે અહીં આવશે. પરંતુ તે અતિ લmળુ હોવાથી શયનગૃહમાં પ્રવેશ કરશે કે તરત જ દીવો બૂઝવી નાખશે.” સુભદ્ર બોલ્યો કે “ભલે તેમ કરે, તેમાં શી હરક્ત છે?” પછી તે સુભદ્રની સ્ત્રીએ વિચાર્યું કે “ખરેખર વિષયરૂપ મહા પ્રેતના આવેશવાળો જીવ દીનપણું ઘારણ કરવું, બગાસાં ખાવાં, નિઃશ્વાસ મૂકવો, તથા પરસ્ત્રી સંબંધી વિચારમાં જ તલ્લીન થવું વગેરે શું શું ચાપલ્ય કરતો નથી? અર્થાત્ સર્વ ચાપલ્ય કરે છે. અહો! અનંત સુખને આપનાર એવા વ્રતની પણ ઉપેક્ષા કરે છે. જ્યારે આવો સુજ્ઞ અને સુશીલ માણસ પણ વિષયમાં જ પરાધીન થઈ ગયો તો બીજાની શી વાત? માટે વિષયદશાને અને અન્યની આશાને ધિક્કાર છે; પરંતુ આ મારો સ્વામી ગ્રહણ કરેલા વ્રતનો ભંગ કરવાથી નરકાદિક દુઃખનું ભાજન થશે, માટે હું જ મારી સખીનું રૂપ ઘારણ કરીને તેનું વાંછિત પૂર્ણ કરું. જો કે તેમ કરવાથી ભાવથી તો તેના વ્રતનો ભંગ થશે, પણ દ્રવ્યથી ભંગ નહીં થાય. તો એક પક્ષનું પાલન કરવાથી પણ કોઈ વખત લજ્જવાન પુરુષને ગુણકારી થઈ શકે છે.” આ પ્રમાણે ભવિષ્યમાં વિવિધ પ્રકારના લાભ થવાનો વિચાર કરીને તેણે પોતાની સખી પાસેથી કાંઈ મિષ કરીને પોતાના પતિએ જોયેલાં તેનાં ઉત્તમ વસ્ત્રો તથા અલંકારો માગી લીઘાં. પછી ગુટિકાના પ્રયોગથી સખીના જેવો જ સ્વર તથા સ્વરૂપાદિ કરીને તે જ પ્રમાણે વસ્ત્ર તથા આભૂષણો ઘારણ કરી તે સખીની જેવા જ સુંદર વિલાસ (હાવ ભાવ વગેરે) કરતી તે સુભદ્રની જ પત્નીએ (પોતે જ) ઉત્તમ સુગંધી પુષ્પ, તાંબૂલ, ચંદન, અગરુ, કર્પર, કસ્તુરી વગેરે સમગ્ર ભોગની સામગ્રી વડે તથા નિર્મળ દીપક વડે અલંકૃત કરેલા સુંદર શયનગૃહમાં હર્ષથી પ્રવેશ કર્યો. તે વખતે ગંગા નદીના પુલિનની સ્પર્ધા કરનારા પલંગ પર ઉત્કંઠાથી વિકસ્વર દ્રષ્ટિ ઘારણ કરીને બેઠેલા સુભદ્ર નેત્ર અને મનની જાણે અમૃતમય દ્રષ્ટિને ઘારણ કરતી હોય તેવી તેને જોઈ. તરત જ તેણે દીપકને બૂઝવી દીધો. પછી તે પલંગ ઉપર ગઈ, અને વિવિધ પ્રકારની ગોષ્ઠી કરવા પૂર્વક આનંદથી તે સુભદ્રે તેની સાથે ક્રીડા કરી. પ્રાતઃકાળે તેના ગયા પછી સુભદ્રને વિચાર થયો કે– सयलसुरासुरपणमिय, चलणेहिं जिणेहिं जं हियं भणियं । तं परभवसंबलयं, अहह! मए हारियं सीलं ॥१॥ ભાવાર્થ-“સકલ સુર અને અસુરોએ જેના ચરણકમળને પ્રણામ કર્યો છે એવા જિનેશ્વરોએ જે હિતકારી કહ્યું છે તે પરભવમાં પાથેય સમાન શીલ મેં આજે ગુમાવ્યું.” मनस्यन्यद्वचस्यन्यत्, क्रियायामन्यदेव च । यस्यास्तामपि लोलाक्षी, साध्वीं वेत्ति ममत्ववान् ॥१॥ ભાવાર્થ-“જે સ્ત્રીના મનમાં કાંઈક હોય છે, વચનમાં કાંઈક હોય છે, અને ક્રિયામાં તેથી પણ કાંઈ બીજું જ હોય છે એવી ચપલ નેત્રવાળી સ્ત્રીને મમતાવાળો પુરુષ શ્રેષ્ઠ માને છે.” चर्माच्छादितमांसास्थि, विण्मूत्रपिठरीष्वपि । वनितासु प्रियत्वं यत्, तन्ममत्वविजूंभितम् ॥२॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy