SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ समानधार्मिकान् वीक्ष्य, वात्सल्यं स्नेहनिर्भरम । मात्रादिस्वजनादिभ्योऽप्यधिकं क्रियते मुदा ॥२॥ ભાવાર્થ-શ્રી જિનેશ્વર સમાન ઘર્મવાળાને સાઘર્મિક કહેલા છે. તે સાઘર્મિકનું દ્રવ્ય અને ભાવ એ બન્ને પ્રકારે વાત્સલ્ય કરવું તે વાત્સલ્ય નામનો સાતમો દર્શનાચાર કહેવાય છે (૧). સમાન ઘર્મવાળાને જોઈને માતા પિતા વગેરે સ્વજનો કરતાં પણ અધિક, ગાઢ સ્નેહપૂર્વક હર્ષથી તેમનું વાત્સલ્ય કરવું (૨) આ બે શ્લોકનું તાત્પર્ય એવું છે કે, સમાન ઘર્મવાળા તે સાઘર્મિક કહેવાય છે. તેમાં પ્રવચન અને લિંગ (વેષ) એ બન્ને વડે સાધુ સાધ્વી તથા કેવળ પ્રવચન વડે શ્રાવક શ્રાવિકા સાઘર્મિક કહેવાય છે. તેમાં સાધુ સાધ્વીએ આચાર્ય, ગ્લાન, પ્રાઘુર્ણિકા (પ્રાહુણામુનિ), તપસ્વી, બાલ, વૃદ્ધ, નવદીક્ષિત શિષ્ય વગેરેનું વિશેષ કરીને વાત્સલ્ય કરવું, તેમજ પુષ્ટાલંબનાદિ અપેક્ષાએ શ્રાવક શ્રાવિકાનું પણ સર્વ શક્તિ વડે દ્રવ્ય ભાવ બન્ને પ્રકારનું વાત્સલ્ય તેનો ઉપકારાદિ કરવા વડે કરવું અને શ્રાવકે શ્રાવક શ્રાવિકાનું કુમારપાળ રાજાની જેમ યોગ્ય વાત્સલ્ય કરવું. કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત શ્રી પાટણમાં પરમશ્રાદ્ધ શ્રી કુમારપાળ રાજા જ્યારે સ્નાત્રપૂજા તથા પૌષઘ વગેરે ઘર્મકાર્ય કરતા હતા ત્યારે એક હજાર ને આઠસો શ્રેષ્ઠીઓ તેની સહાયમાં રહેતા હતા. તેઓને રાજાએ સુખી કરેલા હતા. શ્રાવક પાસેથી દર વર્ષે આવતો બોતેર લાખ દ્રવ્યનો કર માફ કરેલો હતો, તેમજ નબળી સ્થિતિમાં આવી પડેલો કોઈ પણ સાઘર્મિક રાજાને ઘેર જતો તો તેને રાજા એક હજાર દીનાર આપતા હતા. એ પ્રમાણે કરવામાં કુલ મળીને એક વર્ષે એક કરોડ દ્રવ્યનો વ્યય થતો હતો, તેવી રીતે ચૌદ વર્ષમાં ચૌદ કરોડ દ્રવ્યનો વ્યય કર્યો. એકદા કોઈ મહેશ્વરી (મેસરી) વાણિયાએ દાણચોરી કરી, તે દાણ લેનાર અધિકારીના જાણવામાં આવ્યું, તેથી તે વણિકને દોરડાથી બાંધીને માર મારતાં રાજાની પાસે લઈ ગયા. તે વણિકને બીજો કોઈ જીવિતનો ઉપાય નહીં સૂઝવાથી અવસર જાણીને તેણે, શ્રાવકો જિનેશ્વરની પૂજા સમયે ઉદર, ઉરસ્થળ, કંઠ અને કપાળ એ ચાર સ્થાને જેવાં તિલકો કરે છે તેવાં કેસરમિશ્રિત ચંદનનાં ચાર તિલકો રાજા પાસે જતી વખત કરી લીધાં. પછી રાજસેવકોએ રાજા પ્રત્યે કહ્યું કે “હે પૃથ્વીપતિ! આ વણિકે આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને દાણચોરી કરી છે, તેને શો દંડ કરવો?” તે સાંભળીને રાજાએ ભયથી કંપતા એવા તે વણિકની સામું જોયું, તો તેના કપાળમાં તિલક જોઈને રાજાએ વિચાર્યું કે “ખરેખર આ તો શ્રી વીતરાગની ભક્તિ કરનારો શ્રાદ્ધ જણાય છે, અને શ્રાદ્ધનો કર લેવાનાં તો મારે પ્રત્યાખ્યાન છે, માટે આ નિરપરાધી છે.” એમ વિચારીને રાજાએ તેને બંધનથી મુક્ત કરાવ્યો. તે જોઈને રાજસેવકો બોલ્યા કે “હે સ્વામી! આ શ્રાવક નથી, આ તો અભક્ષાદિકનું ભક્ષણ કરનાર મહેશ્વરી ઘર્મમાં આસક્ત છે, પણ આજે કપટથી ઉત્તરાયણ તથા કપાળમાં તિલક વગેરે કરીને ખોટો શ્રાવકનો વેષ ઘારીને અહીં આવેલો છે.” રાજાએ કહ્યું કે “એ વણિક તર્જના કરવા યોગ્ય નથી. તે ઘન્ય અને કૃતપુણ્ય છે, નહીં તો તેના ભાલમાં તિલક જોઈને મારા મનમાં “આ શ્રી જિનેશ્વરનો ભક્ત છે' એમ કેમ આવત? માટે મેં તેને મુક્ત કર્યો છે, સુખેથી તેને પોતાને ઘેર જવા દો.” પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy