SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૬] દર્શનાચારનો સાતમો ભેદ-સાઘર્મીવાત્સલ્ય ૨૮૧ જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્રે કરીને આત્મા એકત્વને પામે છે, ત્યારે સર્વ કર્મો જાણે કોપ પામ્યા હોય તેમ તત્કાળ તેનાથી દૂર જતાં રહે છે. આથી કરીને ભિન્ન લિંગ ઘારણ કરનારાઓ પણ ભાવલિંગથી મોક્ષ પામે છે, એ સિદ્ધ થાય છે. તેથી મનસ્વી પુરુષે કદાગ્રહ મૂકીને તે ભાવલિંગની ભાવના કરવી. આ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે આત્માને બદ્ધ અને મુક્તની વ્યવસ્થા અશુદ્ધ નયને આધારે જ ઘટે છે, પણ શુદ્ધનયને આધારે તો આત્માને બંધ કે મોક્ષ કાંઈ પણ ઘટતું નથી. આ પ્રમાણે અન્વય અને વ્યતિરેકથી આત્મતત્ત્વનો નિશ્ચય કરેલો છે. એ જ પ્રમાણે પંડિત નવે તત્ત્વોથી આત્મતત્ત્વનો નિશ્ચય કરવો. આ સૂક્ષ્મનયને આશ્રય કરનારું ગુહ્યાતિગુહ્ય તત્ત્વ કોઈ અલ્પ બુદ્ધિવાળાને આપવું નહીં. કેમકે અલ્પ બુદ્ધિવાળાને આ તત્ત્વ વિડંબના કરનારું જ થાય છે, અર્થાત્ તેઓ અધ્યાત્મ તત્ત્વને દૂષણ જ પમાડે છે. જેમ ક્ષુધાતુર થયેલા દુર્બળ માણસને ચક્રવર્તીનું ભોજન અહિત કરનારું થાય છે, તેમ અલ્પ બુદ્ધિવાળા માણસને આ અધ્યાત્મ તત્ત્વ અહિત કરનારું જ થાય છે. જેમ અશુદ્ધ મંત્રનો પાઠ કરવાથી સર્પનો મણિ લેવાની ઇચ્છા ઊલટી અનર્થ કરનાર થાય છે, તેમ લેશ માત્ર જ્ઞાનથી દુર્વિદગ્ધ થયેલા કુપંડિતોને આ અધ્યાત્મ તત્ત્વ અનર્થકારી જ છે. કેમકે તેઓ પરમાર્થથી વસ્તુતત્વ જાણી શકતા નથી. વળી હે ભવ્ય કુમારપાળ રાજા! સર્વ નયો પોતાના એકાંત પક્ષનો જ આધાર રાખીને સ્યાદ્વાદને દૂષિત કરે છે, પણ જિનેન્દ્રની વાણી તો સર્વ નયમય છે. કહ્યું છે કે बौद्धानां ऋजुसूत्रतो मतमभूद्वेदांतिनां संग्रहात् सांख्यानां तत एव नैगमनयाद् योगश्च वैशेषिकः । शब्दब्रह्मविदोऽपि शब्दनयतः सर्वेर्नयैर्गुम्फिता जैनी दृष्टिरितीह सारतरता प्रत्यक्षमुद्वीक्ष्यते ॥१॥ ભાવાર્થ-બૌદ્ધનો મત ઋજુસૂત્ર નયથી થયેલો છે. વેદાંતીઓનો મત સંગ્રહ નયથી થયેલો છે, સાંખનો યોગરૂપી મત નૈગમ નયથી થયેલો છે, વૈશેષિક એટલે નૈયાયિકનો મત પણ તે નૈગમ નયથી જ થયેલો છે, અને શબ્દબ્રહ્મજ્ઞાનીનો મત શબ્દ નયથી થયેલો છે; પણ જિનેંદ્રની દ્રષ્ટિ તો સર્વ નયથી ગુંફિત થયેલી છે, તેથી તેમાં અત્યંત સારતા પ્રત્યક્ષ જ જણાય છે.” આ પ્રમાણે ગુરુના મુખકમળથી આસ વાક્યો સાંભળીને કુમારપાળ રાજા નિઃશંક થયા અને જૈન ઘર્મમાં દ્રઢ અનુરાગી થયા. સર્વ તત્ત્વથી ભિન્ન અને આત્મતત્ત્વમાં લીન થયેલું એવું ગુરુએ કહેલું અધ્યાત્મ તત્ત્વનું રહસ્ય સાંભળીને પરમાર્હત્ કુમારપાળ રાજા સંકલ્પવિકલ્પથી રહિત જ્ઞાનવ્યાસ થઈ ઘર્મને વિષે સ્થિર થયા.” વ્યાખ્યાન ૨૭૬. દર્શનાચારનો સાતમો ભેદ-સાધમવાત્સલ્ય હવે સાઘર્મીવાત્સલ્ય નામના સાતમા દર્શનાચાર વિષે કહે છે जिनैः समानधर्माणः, साधर्मिका उदाहृताः । द्विधाऽपि तेषां वात्सल्यं, कार्यं तदिति सप्तमः॥१॥ ૧. દુષ્ટ પંડિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy