SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૯ વ્યવહાર નયમાં જ વિમૂઢ–તેમાં જ મગ્ન રહેતા જીવો આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તે અહિંસાદિકને જ હેતુ માને છે. તેથી તેઓનું ચિત્ત બાહ્ય ક્રિયા કરવામાં જ રક્ત રહે છે, એટલે તેઓ તેના ગૂઢ તત્ત્વને જોઈ શકતા નથી. નિશ્ચય પક્ષવાળા તો શુભાશુભના કારણરૂપ તે હિંસાદિકને હેતુ રૂપે કોઈ વાર અંગીકાર કરે છે, અને કોઈ વખત અંગીકાર નથી પણ કરતા. કેમકે જેટલા આસ્ત્રવો કહેલા છે તેટલા જ પરિસ્ત્રવો કહેલા છે, અર્થાત જેટલા બાઘક કારણો છે, તે સર્વે કોઈ વખત સાઘકપણે–સંવરપણે પરિણામ પામે છે અને કદાપિ અન્યથા પણ પરિણામ પામે છે; તેથી બાહ્ય હેતુમાં કોઈ પણ જાતનો નિયમ છે જ નહીં. પણ નિશ્ચ આત્મા પોતે જ ભાવના વિચિત્રપણાથી આસ્રવ સંવરરૂપ છે. વ્યવહારકુશળ પુરુષો શાસ્ત્ર તથા ગુરુના વિનયને અને આવશ્યકાદિક ક્રિયાઓને સંવરના અંગ રૂપ કહે છે. વળી તેઓ પ્રશસ્ત રાગવાળા ચારિત્રાદિક ગુણોને વિષે પણ શુભ આમ્રવનો આરોપ કરે છે અને તેના ફળમાં ભેદ કહે છે. આ પ્રમાણે અશુદ્ધ નયને આઘારે આસ્રવ અને સંવરનો ભેદ છે, પણ તે બન્ને સંસારનું કારણ હોવાથી શુદ્ધ નયમાં તેવો ભેદ નથી, શુદ્ધ નયે તો સંસારી ને સિદ્ધ બન્ને સરખા છે. કર્મનો નાશ એ નિર્જરા કહેવાય છે તે પણ આત્મા નથી, કર્મનો પર્યાય છે, પણ જે ભાવે કરીને કર્મ નિર્જરાય છે, તે ભાવવસ્ત આત્મા જ છે. જે શુદ્ધ જ્ઞાનથી યુક્ત છે, આત્માની શક્તિથી ઉત્પન્ન થયેલું છે અને ચિત્તવૃત્તિનો નિરોઘ કરનાર છે તે તપ કહેવાય છે. તેના બાર ભેદ છે. જેમાં કષાયોનો નિરોધ થતો હોય અને જેમાં આત્મતત્ત્વનું અને જિનેશ્વરનું ધ્યાન થતું હોય તે તપ શુદ્ધ જાણવું; બાકી સર્વ લંઘન (લાંઘણ) જાણવું; કેમકે ભૂખે રહેવું તથા દેહને કૃશ કરવો, એ કાંઈ તપનું લક્ષણ નથી, પણ તિતિક્ષા (પરીષહ સહન કરવો તે), બ્રહ્મચર્ય, ગુતિ, સમિતિ વગેરે સ્થાનનું જે જ્ઞાન તે તપના શરીરરૂપ છે. “કર્મને તપાવનારું જે જ્ઞાન તે જ તપ છે' એમ જે પુરુષ જાણતો નથી તે અંતઃકરણ જેનું હણાયેલું છે એવો પુરુષ, વિપુળ નિર્જરા શી રીતે પામે? મુનિવરો જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહે છે, અને તેવા તપથી જ નિકાચિત કર્મનો પણ ક્ષય થઈ શકે છે. કેમકે સમ્યક્ત પ્રાપ્ત થાય તે વખતે અપૂર્વકરણ અને શુદ્ધ શ્રેણિ પ્રાપ્ત થાય છે, તે વખતે અવશ્ય પૂર્વ કર્મનો સ્થિતિ ક્ષય થાય છે. તેથી કરીને જ્ઞાનમય શુદ્ધ તપસ્વી જ ભાવ નિર્જરા કરે છે; શુદ્ધ નિશ્ચય નયથી જોતાં તો સદા શુદ્ધ એવા તપસ્વીને તે ભાવ નિર્જરા પણ કાંઈ જ નથી, સહેલી છે. કર્મ અને આત્માનો સંશ્લેશ (તાદાભ્ય) થવો એ દ્રવ્યબંઘ કહેવાય છે. તે દ્રવ્યબંઘના ચાર પ્રકાર છે, અને તે બંઘના હેતુરૂપ આત્માના અધ્યવસાયને ભાવબંઘ કહેવાય છે. જેમ સર્પ પોતાના દેહથી જ પોતાના દેહને વીંટે છે, તે જ પ્રમાણે તે તે ભાવથી પરિણામ પામેલો આત્મા પોતાના આત્માએ કરીને જ આત્માને બાંધે છે. જેમ શંખનો વર્ણ શ્વેત છતાં નેત્રવ્યાધિના દોષથી તે શંખ પીળો માલૂમ પડે છે, તે જ પ્રમાણે શાસ્ત્રનું જ્ઞાન છતાં મિથ્થાબુદ્ધિના સંસ્કારથી જીવને બંઘની બુદ્ધિ થાય છે. જે પુરુષો સાંભળીને, માનીને તથા વારંવાર સ્મરણ કરીને તત્ત્વનો સાક્ષાત્ અનુભવ કરે છે તેઓને બંઘની બુદ્ધિ રહેતી નથી, તેમનો આત્મા બંઘરહિત પ્રકાશ પામે છે. કર્મદ્રવ્યનો જે ક્ષય થવો તે દ્રવ્યમોક્ષ કહેવાય છે. તે આત્માનું લક્ષણ નથી; અને તે કર્મદ્રવ્યનો ક્ષય કરવામાં હેતુભૂત જે રત્નત્રયીમય આત્મા તે ભાવમોક્ષ કહેવાય છે. તે આત્માનું લક્ષણ છે. - ૧ નેત્રમાં કમળા નામનો રોગ થાય છે ત્યારે સર્વ વસ્તુ પીળી લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy