SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૫] સ્થિરીકરણ ૨૭૯ તત્ત્વથી તો તેનું દુ:ખ ગયું જ નથી. ઇંદ્રિયોના સર્વે ભોગ ક્રોધાયમાન થયેલા સર્પના ફણાભોગ જેવા છે, તેથી તે ભોગથી ઉદ્ભવેલ અખિલ સુખ વિલાસનાં ચિહ્નરૂપ છતાં પણ વિવેકી માણસને તો ભયનું જ કારણ છે. આ પ્રમાણે પુણ્ય તથા પાપ તેના ફળ થકી ભિન્ન નથી, એકરૂપ છે એમ સિદ્ધ થયું, અને નિશ્ચયથી ચિદાનંદસ્વરૂપ આત્મા તે પુણ્ય પાપથી ભિન્ન છે એ પણ સિદ્ધ થયું. જેમ વાદળાનું આવરણ નાશ પામવાથી સૂર્યનો ઉષ્ણ ઉદ્યોત પ્રકાશે છે, તેમ કર્મના આવરણનો નાશ થવાથી આત્માનું ચિદાનંદસ્વરૂપ તુરીય (ચોથી) દશામાં સ્પષ્ટ પ્રકાશમાન થાય છે. અર્થાત્ તે આત્મસ્વરૂપ અયોગી ગુણસ્થાને સર્વ કર્મનો ક્ષય થવાથી ઉજાગરતા નામની તુરીય દશામાં પ્રાપ્ત થાય છે. વળી કર્મનો બંઘ રાગદ્વેષથી થાય છે, જેમ ચમકપાષાણના સન્નિધિપણાથી લોઢું પોતાની ક્રિયા કરે છે, અર્થાત્ તે પાષાણ લોઢાને ખેંચે છે, એટલે લોહ આવીને તેને મળી જાય છે; તેમ આત્માની પાસે રાગ દ્વેષ રહ્યા હોય તો સર્વ પ્રકારનાં કર્મ આકર્ષણ પામીને આત્માની સાથે મળી જાય છે. જેમ રક્ત તથા કૃષ્ણ પુષ્યનાં સંસર્ગથી શુદ્ધ સ્ફટિક મણિ રક્ત તથા કૃષ્ણ થઈ જાય છે, તેમ પુણ્ય તથા પાપના સંસર્ગથી આત્મા પણ રાગી તથા દ્વેષી થાય છે. પરમાત્માના પુણ્ય તથા પાપ રહિત શુદ્ધ સ્વરૂપનું ચિંતન કરવું, તે જ તેનું ધ્યાન, તે જ તેની સ્તુતિ અને તે જ તેની ભક્તિ કહેલી છે. ભગવંતના શરીરના રૂપ લાવણ્યનું વર્ણન અને સમવસરણમાં રહેલા ત્રણ કિલ્લા, છત્ર, ચામર અને ધ્વજા વગેરે પ્રાતિહાર્યાદિકનું વર્ણન જે વીતરાગ જિનેન્દ્રના સંબંઘમાં કરેલું છે તે વાસ્તવિક તેમના ગુણનું વર્ણન નથી, તે તો માત્ર વ્યવહારથી સ્તુતિ કરેલી છે; પરંતુ શ્રી જિનેન્દ્રમાં રહેલા જ્ઞાનાદિ રત્નત્રયનું જે વર્ણન કરવું, તે જ તેમની વાસ્તવિક સ્તુતિ છે. તત્ત્વથી નિર્વિકલ્પ તથા પુણ્ય પાપ રહિત એવા આત્મતત્ત્વનું નિરંતર ધ્યાન કરવું, તે શુદ્ધ નયની સ્થિતિ છે. આસ્રવ અને સંવર તે આત્મવિજ્ઞાનનું લક્ષણ નથી, અર્થાત્ આસ્રવ અને સંવર કાંઈ આત્માને હોતા નથી. કર્મ પુગલને ગ્રહણ કરવા તે આસ્રવ કહેવાય છે, અને તે પુગલોનો નિરોઘ કરવો તે સંવર કહેવાય છે. આત્મા જે જે ભાવે કરીને કર્મયુગલોને ગ્રહણ કરે છે તે તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ રૂપ આસ્રવ કહેવાય છે; અને બાર ભાવના, દશ પ્રકારનો યતિઘર્મ, પાંચ પ્રકારના ચારિત્ર તથા બાવીશ પરીષહ સહન કરવા વગેરે જે આસ્રવનો નાશ કરનારા ભાવો છે તે આત્માને સંબંધે ભાવસંવર કહેવાય છે. આસવનો નિરોધ કરનાર સંવરના સત્તાવન ભેદ છે આમ્રવનો રોઘ કરનાર જે ક્રિયા તે પણ આત્મા નથી, કેમકે આત્મા તો પોતાના ભિન્ન આશયે કરીને અન્યની અપેક્ષા રાખતો નથી, તે તો સર્વદા પોતે જ સમર્થ છે. હિંસા અહિંસાદિક જે પરપ્રાણીના પર્યાયો છે તે નિમિત્ત માત્ર જ છે, પણ આત્મફળના હેતુ નથી. અર્થાત્ પરજીવનું હિંસન કરવું તે હિંસા અને તેનું રક્ષણ કરવું તે અહિંસા કહેવાય છે. ઇત્યાદિ હિંસા અહિંસાદિક પરપ્રાણીના પર્યાયો છે. તેથી પરજીવની હિંસા અહિંસા કરવાના સમયે તેમાં પરની અપેક્ષા આવે છે માટે તે આત્માના ચિટૂપને પ્રગટ કરવામાં કારણભૂત નથી. આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં તો આત્મા પોતે જ સમર્થ છે, અન્યની અપેક્ષા કરવી તે તેનો ઘર્મ નથી, પરંતુ તે હિંસા અહિંસાદિક નિમિત્તભૂત છે તેથી તેનો સર્વથા નિષેઘ કર્યો નથી.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy