SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૯ ભેદનો જ સંબંઘ ઘરાવે છે અર્થાત જીવનું સ્વરૂપ પૃથક સમજવા માટે જ છે, ઘર્માસ્તિકાય વગેરે અજીવ પદાર્થો ગમનાદિક ક્રિયામાં જીવને સહાયભૂત હોવાથી તે સર્વે પદાર્થો આત્માને જ ઉપકારી છે. જેમ રત્નની કાંતિ, નિર્મળતા અને શક્તિ રત્નથી જુદાં નથી. તેમજ આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી લક્ષણો પણ આત્માથી ભિન્ન નથી. માત્ર “આત્માનાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ લક્ષણ તથા ગુણો છે” એ વાક્યમાં ‘આત્મા’ શબ્દને છઠ્ઠી વિભક્તિ છે અને જ્ઞાનાદિકને પહેલી વિભક્તિ છે, તેથી વ્યવહારદ્રષ્ટિથી ભિન્નતા ગણાય છે, પણ નિશ્ચયથી તો અભિન્ન જ છે. તેનો ભેદ માનવાથી આત્મા અનાત્મા થઈ જાય, અને જ્ઞાનાદિક ગુણો પણ જડ થઈ જાય, માટે નિશ્ચય નયને આઘારે ચૈતન્ય લક્ષણવાળો એક આત્મા જ મહાસત્તાવાળો સામાન્યથી જાણવો, પણ વ્યવહારનયને આઘારે તો એકેંદ્રિયાદિકના ભેદથી અનેક પ્રકારે આત્મા માનવામાં આવે છે; તે નિશ્ચય નવમાં ઘટતું નથી. તે સર્વ નામકર્મથી કરેલો ભેદ ઉપાધિજન્ય જાણવો. વળી આત્મા કર્મની સાથે એક જ ક્ષેત્રમાં રહ્યો તો પણ કર્મરૂપપણાને પામતો નથી; કેમકે તે આત્મા ઘર્માસ્તિકાયની જેમ અભવ્ય સ્વભાવવાળો છે, અર્થાત્ આત્માનો સ્વભાવ બદલાતો નથી. જેમ ઉષ્ણ અગ્નિના સંયોગથી “ઘી ઉષ્ણ થયું' એવો ભ્રમ થાય છે, તેમ મૂર્તિમાન કર્મના યોગથી આત્માને વિષે મૂર્ણપણાનો ભ્રમ થાય છે, કેમકે આત્મા દ્રષ્ટિથી જોઈ શકાતો નથી, હૃદયથી ગ્રહણ કરી શકાતો નથી, અને વાણીથી વર્ણવી શકાતો નથી, તથા જેનું સ્વરૂપ સ્વયં પ્રકાશ છે, એવો આત્મા મૂર્તિમાન શી રીતે કહી શકાય? મનોવર્ગણા, ભાષા વર્ગણા અને કાર્પણ વર્ગણાના પુદ્ગળો આત્માની સમીપે હોય છે અને ઘનાદિકના પુગળો આત્માથી દૂર હોય છે, પરંતુ તે સર્વે પુગળો આત્માથી એકસરખા ભિન્ન જાણવા. આ રીતે જેમ આત્મા પાંચે અજીવ દ્રવ્યથી ભિન્ન છે, તેમ બીજા નયની અપેક્ષાએ આત્માનું અજીવપણું પણ માનેલું છે. સિદ્ધના જીવો દશ દ્રવ્યપ્રાણરૂપ જીવથી રહિત છે અને જ્ઞાનાદિક ભાવપ્રાણથી યુક્ત છે, માટે તે અજીવ કહેવાય છે. વળી તે આત્મા પુદ્ ગળાત્મક પુણ્ય પાપથી પણ રહિત છે. અહીં કોઈ શંકા કરે કે “પુણ્યકર્મ શુભ છે, તો તે શુભ કાર્ય જીવોને સંસારમાં કેમ નાખે છે? અર્થાત્ તેના વડે પણ જન્મ મરણાદિ કેમ થાય છે?” તેનું સમાઘાન કરે છે કે “જેમ કોઈને લોઢાની બેડીનું બંધન હોય અને કોઈને સુવર્ણની બેડીનું બંઘન હોય, તે બન્નેને પરતંત્રપણું તો સમાન હોવાથી તેના બંઘનરૂપ ફળમાં કાંઈ પણ ભેદ નથી; તેમ સર્વ પુણ્યફળ પણ કર્મોદય કરનાર હોવાથી દુઃખરૂપ જ છે, પરંતુ મૂઢ પુરુષોને શુભ કર્મના ઉદયથી દુઃખનો પ્રતિકાર થાય છે તેથી તેને સુખરૂપ ભાસે છે. સેતુક નામના વિપ્રે પોતાના પોષણને માટે પુષ્ટ કરેલા મોટા બકરાની જેમ નરેશ તથા દેવેન્દ્રના સુખ પણ પરિણામે દારુણ પરિપાકવાળા છે અર્થાત્ પરિણામે દુઃખદાયી છે. લોહીનું પાન કરવાથી સુખ માનતી જળોની જેમ વિષયોથી સુખ માનનારા મનુષ્યો પરિણામે માઠી દશાને પામે છે. જેમ તીવ્ર અગ્નિના સંયોગથી તપેલા લોઢા ઉપર નાંખેલું જળબિંદુ તત્કાળ સુકાઈ જાય છે, તેમ નિરંતર ઉત્સુકતાથી તપેલ ઇંદ્રિયોને સુખનો લેશ પણ ક્યાંથી હોય? અર્થાત્ ઉત્સુકતારૂપ અગ્નિથી ઇંદ્રિયો નિરંતર તૃપ્ત રહે છે. ત્યાં જળબિંદુ જેવા સુખની સ્થિતિ કેમ રહી શકે? જેમ કોઈ માણસ પોતાના એક ખંઘ ઉપર ભાર ઉપાડે છે, ત્યાં ભાર લાગવાથી તે બીજા ખંઘ ઉપર મૂકે છે, પણ તત્ત્વથી તેને ભાર ઉપાડવાનો ઓછો થતો નથી; તેમ દુઃખનો ત્યાગ થવાથી કાંઈક ઇંદ્રિયોને સુખનો અનુભવ થયો, પણ ફરીને તે દુઃખ પ્રાપ્ત થવાનું હોવાથી–દુઃખના સંસ્કાર ગયેલા ન હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy