SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ અવિનાશી પરમાત્માનું ધ્યાન કરવામાં મનને જોડ.’’ આ પ્રમાણે રાજાએ તેને ઘણી સમજાવી પણ સ્ત્રીએ માન્યું નહીં, ત્યારે રાજાએ તેના કર્ણમાં રાત્રીએ બનેલું ચરિત્ર કહીને ઉપાલંભપૂર્વક કહ્યું કે “હવે સતી થવા તૈયાર થઈ છે?’’ તે સાંભળીને તે સ્ત્રી રાજાને દૂર કરીને સર્વ લોકની સમક્ષ બોલી કે ‘‘હે લોકો! આ કુમારપાળ રાજા પરમ ધાર્મિક છે એમ સૌ કહે છે તે મિથ્યા છે; કેમકે મારા કર્ણમાં તેણે એમ કહ્યું કે ‘હે સુંદરી! તું અગ્નિમાં પ્રવેશ કર નહીં, મારા અંતઃપુરમાં તું રહે. હું તને પટ્ટરાણી કરીશ.' પરંતુ હે રાજા! મારે તો ભોગસુખની કિંચિત્ પણ ઇચ્છા નથી. હું બાલ્યાવસ્થાથી જ પતિવ્રતા હોવાથી એવું અયોગ્ય કામ કરીશ નહીં. તું રાજા થઈને આવું અશ્રાવ્ય વચન કેમ બોલે છે? આટલું બધું સુખ પામ્યા છતાં પણ હજુ તને તૃપ્તિ થઈ નથી? હું તો સીતાદિક સતીઓના જેવી સતીવ્રતવાળી છું.’’ આ પ્રમાણે ગાઢ સ્વરે પૌરજન સમક્ષ બોલીને તેણે ચિતામાં પ્રવેશ કર્યો. પછી રાજા ‘ધિક્ ધિક્’ના શબ્દોથી લોકો વડે નિંદા પામીને, મેશથી લિપ્ત થયા હોય તેમ મુખ ઢાંકીને અને હૃદયમાં વજ્રથી હણાયો હોય તેમ પીડા પામીને નગરમાં પ્રવેશ કરી પોતાના મહેલમાં પેઠો. “અગ્નિમાં પ્રવેશ કરવાને તૈયાર થયેલી સતીને રાજાએ ઘણા અયોગ્ય વચન કહ્યાં’’ એ પ્રમાણે સ્થાને સ્થાને લોકોએ વાત કરવા માંડી, અને તે વાત જળમાં તેલના બિંદુની જેમ આખા શહેરમાં પ્રસરી. આ વૃત્તાંત ગુરુનાં સાંભળવામાં આવ્યું. તેથી રાજમહેલમાં જઈને ગુરુએ રાજાને કહ્યું કે “હે રાજા! સ્ત્રીચરિત્ર જોયું?“ રાજાએ કહ્યું કે “હે ભગવન્! આપની આજ્ઞા ભંગ કરી, તેનું ફળ મને મળ્યું. હવે કલંકિત થયેલા આ પ્રાણનું શું કામ છે? માટે હું અનશન કરીને મારા પ્રાણનો ત્યાગ કરીશ.’’ ગુરુ બોલ્યા કે “હે રાજન! આમ ખેદ કેમ કરો છો? તમે જન્મથી આરંભીને પરસ્ત્રીના બંધુ છો. હવેથી શ્રી પરમાત્માના વચનને અનુસારે પોતાની કુમતિ કલ્પનાનો ત્યાગ કરીને શાસ્ત્રમાં જે જે વાક્યો કહ્યા હોય તે સર્વ પર દૃઢ શ્રદ્ધા રાખો. એક નાનું સરખું વાક્ય સાંભળીને તમે આવી અસ્થિરતા બતાવી તો પછી સૂક્ષ્મ પદાર્થોના સ્વરૂપમાં તમારું મન કેમ સ્થિર થશે?’' રાજાએ કહ્યું કે ‘‘સ્વામી! મારો અપરાધ ક્ષમા કરો, પણ આ કલંક તો મારા મનમાં બહુ ખૂંચે છે; માટે તે કોઈ પ્રકારે દૂર થાય તેમ કરો.’' ત્યારે ગુરુ બોલ્યા કે “તે મહાદેવના દેરાનો એક પંગુ દ્વારપાળ છે, તે આ વૃત્તાંત જાણે છે.’' એમ કહીને સર્વ લોકોની સમક્ષ તે પંગુને બોલાવીને ગુરુએ તેને રાત્રે થયેલું સ્ત્રીચરિત્ર પૂછ્યું, એટલે તેણે યથાર્થ વાત કહી સંભળાવી. તે સાંભળીને લોકોએ તે સ્વૈરિણી સ્ત્રીની ધિક્કારપૂર્વક નિંદા કરીને રાજાની પ્રશંસા કરી. યોગશાસ્ત્રમાં કહેલું સ્ત્રીના ચરિત્ર સંબંધી વાક્ય સાંભળીને કુમારપાળ રાજાએ ‘આ તો કવિની ચતુરાઈ છે' એમ કહી અશ્રદ્ધા કરી, તેને હેમચંદ્રસૂરિએ સ્ત્રીચરિત્ર બતાવી સ્થિર કર્યો, એ આ વ્યાખ્યાનનું તાત્પર્ય છે.’’ હજુ સ્થિરીકરણ વિષે જ કહે છે– Jain Education International 2300 વ્યાખ્યાન ૨૭૫ સ્થિરીકરણ सदनुष्ठानसम्यक्त्वमनोशुद्धादयो ગુળાઃ | तेषां तत्त्वार्थमाख्याय धर्मे क्ष्मापः स्थिरीकृतः ॥ १ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy