SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ર૭૪] દર્શનાચારનો છઠ્ઠો ભેદ-સ્થિરીકરણ ૨૭૩ પોપટરૂપી રાજા ઊડીને પોતાને સ્થાને ગયો. પછી પોપટનું રૂપ બદલીને રાજાને સ્વરૂપે સભામાં બેઠો, એટલામાં પેલા યોગીને તે જ પ્રમાણે બોલતાં રાજાએ જોયો, એટલે તેને બોલાવી ભોજન માટે નિમંત્રણ આપીને રાજા યોગી સહિત તિલકશ્રીને ઘેર ગયો. ત્યાં તેણે ભોજન માટે છ આસન (પાટલા) નંખાવ્યાં. પછી યોગીને રાજાએ કહ્યું કે “હે યોગી! તારી સ્ત્રીને પ્રગટ કર, નહીં તો આ અસિથી તારો શિરચ્છેદ કરીશ.” તે સાંભળીને ભયભીત થયેલા યોગીએ ભસ્મમાંથી સ્ત્રીને પ્રગટ કરી. તે સ્ત્રીને પણ રાજાએ તેવી જ ઘમકી આપી એટલે તેણે પણ પોતાનો પુરુષ પ્રગટ કર્યો. પછી રાજાએ સાંકળ ખખડાવી કામાનંદને પણ બોલાવ્યો એટલે છયે જણ જમવા બેઠા. ભોજન કર્યા પછી યોગીએ તે યુવતી પેલા યુવાન પુરુષને આપી અને પોતે સત્ય યોગી થયો. રાજાએ પણ તિલકશ્રી કામાનંદને આપી ને પેલા પંડિતનો મણિમુક્તાફળ વગેરેથી સારો સત્કાર કર્યો. विक्रमप्रियतमापि यदेकस्तंभसौधमुषिता कुलटाभूत् । स्त्रीजनस्तदुचितोऽप्यतियत्नात् स्वरतिं न विजहात्यतिलोलः॥४॥ ભાવાર્થ–“એક સ્તંભવાળા સૌઘ (મહેલ) ઉપર રહેલી વિક્રમ રાજાની પ્રિયતમા પણ કુલટા થઈ; તો સ્ત્રીઓને અતિ પ્રયત્નથી કબજે રાખી હોય, તો પણ તે અતિ ચપળ સ્ત્રીઓ પોતાની પરપુરુષ પ્રત્યેની પ્રીતિ કદાપિ છોડતી નથી.” આ પ્રમાણે પરશાસ્ત્રનું દ્રશંત કહીને શ્રી હેમચંદ્ર ગુરુએ કુમારપાળ રાજાને કહ્યું કે “આ સ્ત્રીચરિત્ર વિશે તમે પણ આગ્રહ છોડી દો.” તોપણ રાજાએ આગ્રહ છોડ્યો નહીં, ત્યારે ગુરુએ કહ્યું કે “જો તમારો સંદેહ દૂર થતો ન હોય તો આજે સાયંકાળે વસુદત્ત નામે બ્રાહ્મણ મરી જશે. તેની પાછળ બળી મરવા માટે ઉત્સુક થયેલી તેની સ્ત્રીનું ચરિત્ર મહાદેવના દેરામાં જઈને જોજો.” એમ કહીને ગુરુએ તેને જવા માટે ઘણો નિષેઘ કર્યો, તો પણ હઠથી રાજા રાત્રે મહાદેવના દેરામાં ગયો; અને રાત્રે મૃતકની દાહક્રિયા થતી ન હોવાથી તે સ્ત્રી મૃત પતિનું મસ્તક પોતાના ઉત્સંગમાં રાખીને બેઠી હતી, તેનું ચરિત્ર જોવા માટે તે કોઈક ગુપ્ત સ્થાને ઊભો રહ્યો. પછી તે કુલટા સ્ત્રી મઘુર સ્વરથી ગાયન કરતા કોઈ પુરુષના ઉપર મોહ પામીને તેની સાથે વિલાસ કરવા લાગી. રાજા તેનું આવું અત્યંત અયોગ્ય ચરિત્ર જોઈને ગુરુને ઘન્યવાદ આપતો પાછલી રાતે ઘેર ગયો. સૂર્યોદય થયો ત્યારે તે સ્ત્રી ચિતા રચાવીને પતિ સાથે બળી મરવા તૈયાર થઈ. તે વખતે રાજાએ આવી તેને ઉપદેશ આપ્યો કે “હે સુભગે! આવું અજ્ઞાની માણસનું આચરણ તું કેમ કરે છે? એક કવિએ કહ્યું છે કે कोइ कंत' कारण काष्ठ भक्षण करे, मिलशुं कंतने धाय; ए मेळो कदिए नवि संभवे, मेलो ठाम न थाय. કદાચ આવા સતી થવાના આચરણથી ચિંતિત સફળ થતું હોય, તો દીવામાં પડતા પતંગિયાનાં પણ ચિંતિત પૂર્ણ થવા જોઈએ; પણ પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મને અનુસાર તે દંપતી ઉચ્ચ નીચ ગતિને પ્રાપ્ત થાય છે, તેમને પરસ્પર સંખ્યાતા કે અસંખ્યાતા યોજનાનું અંતર પડી જાય છે, અને ભિન્ન નામ, ભિન્ન દેશ, ભિન્ન સ્થાન તથા ભિન્ન જાતિમાં ઉત્પન્ન થયેલા તે દંપતીનું પરસ્પર મેળાપ રૂપ ઇર્ણિત કદાપિ સિદ્ધ થતું નથી, તો શા માટે ફોગટ દેહને બાળી નાંખે છે? ૧ કાંત-પતિ. Jain Educati[ભાગ ૪૧૮) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy