SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ સ્તિંભ ૧૯ शय्योत्पाटनगेहमार्जनपयःपावित्र्यचुल्लीक्रियास्थालक्षालनधान्यपेषणभिदा गोदोहतन्मन्थनैः पाकैस्तत्परिवेषणैः समुदितैर्भाडादिशौचक्रिया- । कार्यैर्भर्तृननांदृदेवृविनयैः कष्टं वधूर्जीवति ॥१॥ ભાવાર્થ-“શય્યા ઉપાડવી, ઘરમાં વાસીદું વાળવું, પાણી ગાળવું, ચૂલો સાફ કરવા, વાસણ ઘોવાં, અનાજ દળવું પીળવું વગેરે, ગાય દોહવી, છાશ કરવી, રસોઈ કરવી, પીરસવું, સર્વ વાસણો માંજવાં આદિ શૌચક્રિયા કરવી; પતિ, નણંદ અને દિયરનો વિનય કરવો વગેરે ક્રિયા કરવાથી વહુ ઘણાં દુઃખે જીવે છે, અર્થાત્ વહુનું જીવતર બહુ દુઃખી છે.” પણ કુળવધૂએ પોતાના અને કુળના ગારવા માટે બધું કરવું જ રહ્યું. હું તો પતિના ચિત્તને અનુસરીને સર્વ કામ સારી રીતે કરીશ.” તે સાંભળીને તિલકશ્રી બોલી કે “હે સખી! હું તો મેં કહ્યું તેથી સર્વ ઊલટું જ કરીશ.” આ પ્રમાણે તે બાળાઓની વાતો સાંભળીને રાજા પોતાના મહેલમાં ગયો. પછી બીજે દિવસે, વાત ઉપરથી સ્વચ્છંદી જાણીને તિલકશ્રીને તે પરણ્યો અને સ્ત્રીચરિત્રની પરીક્ષા કરવા માટે તેને એક સ્તંભવાળા પ્રાસાદમાં રાખી, અને તેને ભોજન વગેરે સાઘેલા વેતાલ મારફત મોકલવા લાગ્યો, અર્થાત્ પુરુષપ્રવેશ તદ્દન બંઘ કર્યો. એકદા તે એકરૂંભી સૌઘ (મહેલ) નીચે કામાનંદ નામનો કોઈ સાર્થવાહ ઊતર્યો, તેને જોઈને તિલકશ્રી કામાતુર થઈ. તે સાર્થવાહ પણ તેને જોઈને કામાતુર થયો. પછી તિલકશ્રી રાણીના સંકેતથી કોઈ દૂર જગ્યાએથી સુરંગ ખોદાવીને તે રસ્તે, રાજા ન હોય ત્યારે, સાર્થવાહ તેની પાસે જવા લાગ્યો, અને બન્ને સુખેથી ભોગ ભોગવવા લાગ્યાં. એકદા રાજા સભામાં બેઠો હતો, તે વખતે એક ઘનનાથ નામના યોગીને ભિક્ષા માટે ચૌટામાં ભમતાં ભમતાં “સબ જગ ભીના એક જ કોરી” એ પદ વારંવાર બોલતો સાંભળ્યો. તે સાંભળી રાજાએ વિચાર્યું કે “ખરેખર આ જોગી એક પોતાની જ સ્ત્રીને સતી માનતો સતો આમ બોલે છે એમ જણાય છે, તેથી તેની ચર્યા મારે જોવી જોઈએ.” એમ વિચારીને સાયંકાળે જ્યારે તે જોગી ભિક્ષા માગીને પોતાના સ્થાન તરફ જતો હતો, ત્યારે રાજા મક્ષિકાનું રૂપ લઈને તેની પાછળ ચાલ્યો. યોગીએ પણ ગામમાંથી પુષ્પ, તાંબુલ, પકવાન્ન વગેરે લઈને ગામ બહાર જઈ એક સિદ્ધ વડની નીચે રહેલી મોટી શિલા ઉપાડી, અને તેની નીચે ભોંયરું હતું તેમાં તે પેઠો. તેની પાછળ રાજા પણ મક્ષિકારૂપે પેઠો. પછી યોગીએ પોતાની જટામાંથી એક મૃદંગ (માદળિયું) કાઢીને તેમાં રહેલી ભસ્મમાંથી એક યુવતી સ્ત્રી પ્રગટ કરી, તેની સાથે યથેચ્છ ક્રીડા કરીને તે યોગી સૂઈ ગયો. પછી તે યુવતીએ પણ પોતાના કંઠમાંથી મૃદંગ કાઢ્યું અને તેમાંની ભસ્મ વડે એક યુવાન પુરુષ પ્રગટ કર્યો અને તેની સાથે આખી રાત્રી ક્રીડા કરી. પછી યોગીને જાગવાનો વખત થયો, ત્યારે તે યુવતીએ તે પુરુષને પાછો ભસ્મરૂપ બનાવી મૃદંગમાં નાંખી કંઠે બાંધી લીઘો. યોગીએ પણ જાગૃત થઈને તે સ્ત્રીને ભસ્મરૂપ બનાવી મૃદંગમાં નાંખી. તે સર્વ ચરિત્ર જોઈને રાજા ચકિત થઈ ગયો. પછી પ્રાતઃકાળે રાજા પોપટનું રૂપ કરીને તિલકશ્રી રાણીના મહેલમાં ગયો. તેને રાણીએ પાંજરામાં નાખી કામાનંદને બોલાવવા માટે સાંકળ ખખડાવી; તેથી કામાનંદ તરત જ સુરંગમાર્ગે ત્યાં આવ્યો. તેની સાથે રાણી વિલાસ કરવા લાગી. તે ચરિત્ર જોઈને “તે પંડિતનું પદ સત્ય છે” એમ માનતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy