SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ વ્યાખ્યાન ૨૭૪] દર્શનાચારનો છઠ્ઠો ભેદ-સ્થિરીકરણ કુમારપાળ રાજાનો પ્રબંધ શ્રી હેમચંદ્રસૂરિ કુમારપાળ રાજાના બત્રીશ દાંતની શુદ્ધિ માટે પોતે રચેલી જિનસ્તુતિ રૂપ બત્રીશીનો નિરંતર પ્રાતઃકાળે તેને પાઠ કરાવતા હતા, અને પોતે કરેલું બાર પ્રકાશવાળું યોગશાસ્ત્ર કુમારપાળ રાજાને ભણાવતા હતા. તેમાં ગૃહસ્થોના ચોથા વ્રતના અધિકારમાં એક એવો શ્લોક આવ્યો કે प्राप्तुं पारमपारस्य, पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां, स्त्रीचरित्रस्य नो पुनः॥१॥ ભાવાર્થ-“અપાર એવા પારાવાર (સમુદ્ર) નો પાર પામવા માટે શક્તિમાન થઈ શકાય છે પણ વક્ર સ્વભાવવાળી સ્ત્રીઓના સ્ત્રીચરિત્રનો પાર પામી શકાતો નથી.” આ શ્લોકનો અર્થ ભણીને રાજાએ ગુરુને કહ્યું કે “હે ભગવન્! કવિઓનો વિહાર અગમ્ય છે. તેઓ મેરુને કાંકરા બરાબર અને કાંકરાને મેરુ બરાબર કરે છે તે વાત સત્ય લાગે છે. કહ્યું છે કે कविजन किमही न छेडीए, जो होय हयडे सान । मेरु टाळी कर्कर करे, कर्कर मेरु समान ॥१॥ તે પ્રમાણે આપે પણ સ્વભાવથી જ ભીરુ એવી અબળાઓના ચરિત્રમાં આટલી બધી દુરવબોઘતા જણાવી, તે સર્વથા કવિજનની કવિકળાની કુશળતા જ જણાય છે. આ પ્રમાણે રાજાનો કદાગ્રહ જોઈને ગુરુએ કહ્યું કે “હે રાજન્! એમાં કવિજનની ચતુરાઈ નથી, પણ સાક્ષાત્ સત્ય વાત છે, તે વિષે ઘણા પ્રાચીન આચાર્યોનું પ્રમાણ છે. પૂર્વે પણ તેવા બહુ બનાવો બનેલા છે તે સાંભળોઃ ઉજ્જયિની નગરીમાં પરકાય પ્રવેશ વગેરે અનેક વિદ્યાથી શોભતો વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. એકદા તે સભામાં બેઠો હતો, તે વખતે કોઈ પંડિત આવીને એક શ્લોક બોલ્યો કે अश्वप्लुतं माधवगर्जितं च, स्त्रीणां चरित्रं पुरुषस्य भाग्यं । अवर्षणं चापि च वर्षणं च, दैवो न जानाति कुतो मनुष्यः ॥ ભાવાર્થ-“ઘોડાનો અવાજ, વૈશાખની ગર્જના, સ્ત્રીનું ચરિત્ર, પુરુષનું ભાગ્ય, સુકાળ અને દુષ્કાળ, આ બાબતોમાં દેવ પણ કંઈ જાણી શકતા નથી, તો માણસનું શું ગજું? તે સાંભળીને વિદ્વાન એવો તે રાજા બોલ્યો કે “હે પંડિત! બીજી સર્વ વાત તો સત્ય લાગે છે, પણ સ્ત્રીચરિત્ર ન જાણી શકાય એમ કહ્યું તે વિષે તો મારી શ્રદ્ધા થતી નથી.” પંડિતે કહ્યું કે “હે રાજ! તે પદ તો પૂરેપૂરું સત્ય જ છે.” રાજાએ કહ્યું કે “તે પદની પરીક્ષા કર્યા પછી તમને હું દાન આપીશ.” એમ કહીને તે પંડિતને રાજાએ રજા આપી. પછી રાત્રે રાજા નિશાચર્યા જોવા માટે ગામમાં નીકળ્યો. ફરતાં ફરતાં એક મહેલની નીચે જતાં કનકશ્રી અને તિલકશ્રી નામની બે બાળાઓને વાતો કરતી તેણે સાંભળી. તેમાં તિલકશ્રીએ કનકશ્રીને પૂછ્યું કે “તું પરણીને પતિને ઘેર જઈશ, ત્યારે શું કરીશ?” તે બોલી કે– ૧ વિતરાગ સ્તવના ૨૦ પ્રકાશ ને યોગશાસ્ત્રના ૧૨ પ્રકાશ મળી કુલ ૩૨ પ્રકાશનો કુમારપાળ નિરંતર પ્રાતઃકાળે પાઠ કરતા હતા એમ કહેવાય છે. ૨ રાત્રીએ થતી ગામની હકીકત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy