SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ પછી તે પ્રાસાદની પ્રતિષ્ઠા કરવા માટે શ્રી સંઘ સહિત હેમચંદ્રાચાર્યને બોલાવીને મોટા ઉત્સવપૂર્વક સંવત ૧૨૧૧ ની સાલમાં (શનિવારને દિવસે) સુવર્ણના દંડ, કળશ અને ધ્વજાની પ્રતિષ્ઠા કરીને તેને પ્રાસાદ ઉપર સ્થાપન કર્યા. ત્યાં દેવપૂજાને માટે ચોવીશ ઉદ્યાન તથા ચોવીશ ગામ આપીને તળેટીમાં બાહડપુર નામે ગામ વસાવ્યું. તે ગામમાં ત્રિભુવનપાળવિહાર નામનો પ્રાસાદ કરાવીને તેમાં શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્થાપન કર્યું. તે મંત્રીના આવા લોકોત્તર ચિરત્રથી પ્રસન્ન થઈને શ્રી હેમચંદ્રાચાર્ય બોલ્યા કે– ૨૬૮ जगद्धर्माधारः स गुरुतरतीर्थाधिकरणस्तदप्यर्हन्मूलं स पुनरधुना तत्प्रतिनिधिः । तदावासश्चैत्यं सचिव ! भवनोद्धृत्य तदिदं समं स्वेनोद्द भुवनमपि मन्येऽहमखिलम् ॥ १॥ ભાવાર્થ—જગતના ધર્મનો આધાર અને મોટા મોટા તીર્થોનું અધિકરણ અર્હભૂલક છે. સાંપ્રત કાળમાં તે અરિહંતને બદલે તેની પ્રતિમા છે, તે પ્રતિમાના આવાસરૂપ ચૈત્યનો તેં ઉદ્ધાર કર્યો, તેથી હું માનું છું કે હે સચિવ! તેં તારા આત્મા સહિત આખા ભુવનનો ઉદ્ધાર કર્યો.’’ એ પ્રમાણે સકળ સંઘે સ્તુતિ કરાયેલા વાગ્ભટ (બાહડ) મંત્રી પાટણમાં આવ્યા, અને રાજાને પ્રસન્ન કર્યા. હવે આમ્રભટે (અંબડે) પણ પિતાના શ્રેયને માટે શ્રી ભૃગુપુર (ભરુચ)માં શકુનિકાવિહાર નામનો પ્રાસાદ કરાવવાનો આરંભ કર્યો. તેને માટે ખાડો ખોદતાં નર્મદા નદી પાસે હોવાથી તેનું પાણી અકસ્માત્ તેમાં ભરાઈ ગયું; તેથી સર્વ કારીગરો તેમાં ડૂબી ગયાં. તે હકીકત સાંભળતાં અનુકંપાના સવિશેષપણાથી આમ્રભટે પોતાના આત્માની નિંદા કરતા સતા સ્ત્રીપુત્ર સહિત તેમાં ઝંપાપાત કર્યો. એ પ્રમાણે પડ્યા છતાં પણ તેનાં અંગને કાંઈ પણ નુકસાન થયું નહીં. આવું તેનું નિઃસીમ સત્ત્વ જોઈને પ્રસન્ન થયેલી રૂપ કોઈ દેવીએ તેને બોલાવ્યો; એટલે તેણે તેને પૂછ્યું કે ‘‘તમે કોણ છો?’’ તે બોલી કે “હું આ ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવી છું. તારા સત્ત્વની પરીક્ષા કરવા માટે આ સર્વ મેં કર્યું છે. હે વી૨! તું ખરેખર પ્રશંસા કરવાને યોગ્ય છે, વીર પુરુષોમાં અગ્રણી છે. તારું સત્ત્વ અતિ ઉત્કૃષ્ટ છે, નહીં તો બીજા માણસો છતાં થોડા માણસનું મરણ થવાથી તારી જેમ આ પ્રમાણે મરવાને કોણ તૈયાર થાય? આ તારા સર્વે કારીગરો અક્ષતાંગ જ છે, તેના વિષે તું ચિંતા કરીશ નહીં. હવે તારું ધારેલું કાર્ય પૂર્ણ કર.'' ઇત્યાદિ કહીને દેવી અંતર્ધાન થઈ. મંત્રી કુટુંબ અને કારીગરો સહિત બહાર નીકળ્યો. પછી દેવીને યોગ્ય બળિદાન આપીને અઢાર હાથ ઊંચો શ્રી મુનિસુવ્રત સ્વામીનો પ્રાસાદ કરાવ્યો, તથા શકુનિકા, મુનિ અને ન્યગ્રોધ(વડ)ની લેપ્યુમય મૂર્તિઓ કરાવી. આ શકુનિકાવિહારનો ઉદ્ધાર સંવત ૧૨૨૦ ની સાલમાં અંબડે હર્ષપૂર્વક કરાવ્યો. પછી પ્રતિષ્ઠાને માટે રાજાને, હેમાચાર્યને તથા સકળ સંઘને બોલાવીને શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરી. પૂર્વે શ્રી મલ્લિકાર્જુનને જીતીને અંબડ મંત્રી તેનો દ્રવ્યકોશ લાવ્યો હતો, તે કુમારપાળ રાજાએ તેને જ આપ્યો હતો, તેમાંથી બત્રીશ ઘડી સુવર્ણ વડે કળશ, સુવર્ણદંડ તથા પટ્ટકુળમય ધ્વજા ૧ અર્હતુ જેનું મૂળ કારણ છે તેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy