SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૩] ઘર્મીજનની પ્રશંસા ૨૬૭ તમારી પૂંજીનો શતાંશ પણ આપ્યો નથી, માટે તે તમારાથી અધિક છે.” તે સાંભળી તે ગૃહસ્થો હર્ષ તથા લ પામ્યા. પછી મંત્રીએ ભીમને પાંચસો રૂપિયા અને ત્રણ પટ્ટકુળ (વસ્ત્ર) આપવા માંડ્યાં. પણ ભીમે એક કોડીના લાભથી કોટી ઘન ગુમાવવા જેવું માનીને તે લીવું નહીં અને પોતાને ઘેર ગયો. તેની સ્ત્રી પિશાચણી જેવી હતી, તેથી તેની પાસે વાત કરતાં ભય પામ્યો; તો પણ સર્વ વૃત્તાંત ધીરે ધીરે કહ્યો. તે સાંભળીને પુણ્યના ઉદયથી સ્ત્રીએ કહ્યું કે “તીર્થના ઉદ્ધારમાં ભાગ લીઘો તે સારું કર્યું, અને મંત્રી પાસેથી કાંઈ લીધું નહીં તે તો ઘણું જ સારું કર્યું.” પછી તે સ્ત્રી પુરુષ ગાયને બાંધવા માટે ખીલો નાખતા હતા, ત્યાં પૃથ્વી ખોદતાં તેમાંથી ચાર હજાર સુવર્ણ દ્રવ્યનો કળશ નીકળ્યો. તે જોઈ “અહો! કેવો પુણ્યનો ઉદય છે! આ કળશ પણ પુણ્યકર્મમાં જ આપીએ તો ઠીક.” એમ વિચારીને પોતાની સ્ત્રીની સંમતિથી કળશ લઈને ભીમ મંત્રી પાસે આવ્યો. મંત્રીને તે કળશ સંબંધી વૃત્તાંત કહીને તીર્થોદ્ધારને માટે તે આપવા લાગ્યો. મંત્રીએ લેવાની ના કહી પણ ભીમ બલાત્કારે આપવા લાગ્યો. એમ ખેંચતાણ કરતાં રાત્રી પડી. રાત્રીએ કપર્દી યક્ષે આવીને ભીમને કહ્યું કે-“હે ભીમ! તે એક રૂપિયાના પુષ્પ લઈને આદીશ્વરની પૂજા કરી, તેનાથી પ્રસન્ન થઈને મેં તને નિધિ આપ્યો છે, માટે તે તું સ્વેચ્છાથી ભોગવ.” એમ કહીને યક્ષ અંતર્ધાન થયો. પ્રાતઃકાળે ભીમે મંત્રીને વાત કરી, પછી સુવર્ણ તથા રત્નનાં પુષ્પોથી આદીશ્વરની પૂજા કરીને તે કળશ લઈ ભીમ પોતાને ઘેર આવ્યો અને ગૃહસ્થની જેમ પુણ્યમાર્ગમાં પ્રવૃત્ત થયો. અહીં મંત્રીએ શુભ મુહૂર્ત કાષ્ઠનું ચૈત્ય દૂર કરાવી સુવર્ણની વાસ્તુમૂર્તિ વિધિપૂર્વક પૃથ્વીમાં સ્થાપન કરી, તેની ઉપર મોટી શિલા મૂકી ખાતમુહૂર્ત કર્યું. પછી ચૈત્યનું કામ શરૂ કર્યું. તે પાષાણમય પ્રાસાદ બે વર્ષે સંપૂર્ણ થયો. તે પૂર્ણ થવાના સમાચાર આપનારને મંત્રીએ વઘામણીમાં બત્રીશ સુવર્ણની જિહા આપી. તે સંબંધી હર્ષોત્સવ ચાલતો હતો. તેવામાં બીજા માણસે આવીને કહ્યું કે “હે મંત્રી! કોઈ પણ કારણથી પ્રાસાદ ફાટી ગયો.” તે સાંભળીને મંત્રીએ તેને બમણી વઘામણી આપી. તે જોઈને પાસે બેઠેલા માણસોએ તેનું કારણ પૂછ્યું; ત્યારે મંત્રી બોલ્યો કે “મારા જીવતાં પ્રાસાદ ફાટ્યો તે ઠીક થયું, કેમકે હું ફરીથી બીજી વાર કરાવીશ.” પછી મંત્રીએ સૂત્રધારો (સલાટો)ને બોલાવીને પ્રાસાદ ફાટવાનું કારણ પૂછ્યું. ત્યારે તેઓ બોલ્યા કે “હે મંત્રીરાજ! ભમતીવાળા પ્રાસાદની ભમતીમાં પવન પેઠો, તે નીકળી શક્યો નહીં, એટલે તેના જોરથી પ્રાસાદ ફાટ્યો છે, અને જો ભમતી વિનાનો પ્રાસાદ કરીએ છીએ તો કરાવનારને સંતાન ન થાય એવો લેખ છે.” તે સાંભળીને મંત્રીએ વિચાર્યું કે ___ संतानः सुस्थिरः कस्य? स च भावी भवे भवे । सांप्रतं धर्मसंतान, एवास्तु मम वास्तवः॥१॥ ભાવાર્થ-“કોની સંતતિ અચળ રહી છે? તે તો દરેક ભવમાં થયા જ કરે છે. હાલ તો મારે વાસ્તવિક એવી ઘર્મ સંતતિ જ હો.” એમ વિચારીને મંત્રીએ ભમતીની બન્ને ભીંતોની વચમાં મજબૂત શિલાઓ મુકાવી દીધી. તે પ્રાસાદ ત્રણ વર્ષ પૂર્ણ થયો. આ જીર્ણોદ્ધાર કરાવતાં મંત્રીને બે કરોડ ને સત્તાણું લાખ દ્રવ્યનો ખર્ચ કારીગરોને આપવામાં થયો હતો એમ પૂર્વપુરુષો કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy