SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ અહો! મર્ત્યતા તૌલ્ય-મસ્ય મેપિ ગુઃ પુનઃ । યોરમંતર રત્નો—પયોરિવ હા! વિત્।ાશા ભાવાર્થ-અહો! મનુષ્યજાતિથી તો મારું તથા આ મંત્રીનું તુલ્યપણું છે, પણ ગુણથી તો અમારા બેમાં રત્ન તથા પાષાણની જેમ અહો! કેટલું બધું અંતર છે?’’ ભીમવણિક એમ વિચારતો હતો તેટલામાં દ્વારપાળો ત્યાં આવી ગળે હાથ દઈને તેને કાઢી મૂકવા લાગ્યા. તે મંત્રીએ જોયું, એટલે તેને પોતાની પાસે બોલાવીને પૂછ્યું. ભીમે ઘી વેચવાથી થયેલા લાભ વડે પ્રભુની પૂજા કર્યાનું વૃત્તાંત કહ્યું ત્યારે મંત્રી બોલ્યો કે– ૨૬૬ [સ્તંભ ૧૯ धन्यस्त्वं निर्धनोऽप्येवं, यज्जिनेन्द्रमपूजयः । ધર્મબંધુત્ત્વમસિ મે, તતઃ સાધર્મિત્વતઃ ॥શા ભાવાર્થ—“તને ધન્ય છે કે તેં નિર્ધન છતાં પણ આ પ્રમાણે જિનેશ્વરની પૂજા કરી, તેથી સાધર્મિકપણાથી તું મારો ધર્મબંધુ છે.’ આ પ્રમાણે સર્વ ગૃહસ્થોની સમક્ષ તે ભીમની પ્રશંસા કરીને તેને ઘણા આગ્રહથી પોતાના અર્ધ આસન પર બેસાડ્યો. તે વખતે ભીમને વિચાર થયો કે “અહો! જિનેશ્વરના ધર્મનો મહિમા કેવો છે અને જિનેશ્વરની પૂજાની લીલા પણ કેવી છે કે જેથી હું દ્રિશિરોમણિ છતાં આવું સન્માન પામ્યો.’’ તે વખતે મોટા લક્ષાધિપતિ ગૃહસ્થોએ મંત્રીને કહ્યું કે– प्रभविष्णुस्त्वमेकोऽपि, तीर्थोद्धारेऽसि धीसख । बंधूनिव तथाऽप्यस्मान्, पुण्येऽस्मिन् योक्तुमर्हसि ॥ १ ॥ ભાવાર્થ-“હે મંત્રીશ્વર! આ તીર્થનો ઉદ્ધાર કરવામાં તમે એકલા પણ સમર્થ છો, તો પણ આ પુણ્યમાં બંધુની જેમ અમને પણ જોડવાને તમે યોગ્ય છો; અર્થાત્ અમને પણ આ જીર્ણોદ્ધારના કાર્યમાં લાભ આપો. पित्रादयोऽपि वच्यंते, कदाऽपि क्वापि धार्मिकैः । न तु साधर्मिका धर्म - स्नेहपाशनियंत्रणात् ॥२॥ ભાવાર્થ-ધાર્મિક પુરુષો કોઈ વખત કોઈ પ્રસંગે પિતા વગેરેને પણ છેતરે છે, પરંતુ ધર્મસ્નેહરૂપી પાશથી બંધાયેલા હોવાથી સાધર્મિકને કદી પણ છેતરતા નથી.' તેથી અમારું ધન પણ આ તીર્થના ઉદ્ઘા૨માં વાપરીને અમને કૃતાર્થ કરો.’ આ પ્રમાણે કહીને તે ગૃહસ્થો સુવર્ણાદિ દ્રવ્ય આપવા લાગ્યા, એટલે મંત્રીએ ચોપડામાં તેઓનાં નામ લખવા માંડ્યાં. તે જોઈ ભીમે વિચાર્યું કે ‘“મારી પાસે સાત રૂપિયા છે, તે જો તીર્થમાં ઉપયોગી થાય તો હું કૃતાર્થ થાઉં, પરંતુ આટલી થોડી રકમ શી રીતે આપી શકાય?’’ ભીમ આ પ્રમાણે વિચારતો હતો, તેવામાં મંત્રીએ તેના આકાર ઉપરથી જાણીને તેને કહ્યું કે “હે સાધર્મિક બંધુ! તમારી પણ ઇચ્છા હોય તો કાંઈક આપો, આ તીર્થના ઉદ્ઘારમાં ભાગ દેવો તે મોટા પુણ્યથી જ બને છે.” મંત્રીએ આ પ્રમાણે કહેવાથી ભીમે પોતાના સાતે રૂપિયા આપી દીધા, તે લઈને ઉચિતપણામાં પ્રવીણ મંત્રીએ તેનું નામ સર્વ ગૃહસ્થોનાં નામની ઉપર લખ્યું. તે જોઈને ગૃહસ્થોએ તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે મંત્રી બોલ્યા કે “આણે તો પોતાનું સર્વસ્વ આપ્યું છે, અને તમે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy