SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ હતું, અને છ કોટી દ્રવ્ય ઘર, ઘરવખરી અને વસ્ત્રાભૂષણાદિમાં રોક્યું હતું, તેને દશ દશ હજાર ગાયોવાળાં છ ગોકુળ હતાં. એકદા શ્રી મહાવીર સ્વામી પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રી જિનેશ્વરને વાંદવા માટે સર્વ લોક જતા હતા, તે જોઈને કામદેવ પણ ગયો. ત્યાં શ્રી વીરસ્વામીને પ્રણામ કરીને તેમની પાસે દેશના સાંભળી, તેથી કામદેવ પ્રતિબોઘ પામ્યો અને આનંદ શ્રાવકની જેમ તે જ વખતે શ્રાદ્ધઘર્મ ગ્રહણ કર્યો. પછી પોતાને ઘેર આવીને ઉલ્લાસપૂર્વક પોતાને ઘર્મ પ્રાપ્ત થયાનું વૃત્તાંત પોતાની પત્નીને કહ્યું. તે સાંભળીને તેણે પણ મોટી સમૃદ્ધિપૂર્વક પ્રભુ પાસે જઈને શિવનંદાની જેમ શ્રાવકઘર્મ ગ્રહણ કર્યો. - નિરંતર શ્રાવકઘર્મનું પ્રતિપાલન કરતાં તે કામદેવને ચૌદ વર્ષ વ્યતીત થયાં. પંદરમા વર્ષમાં એકદા મધ્યરાત્રિએ ઘર્મજાગરિકાએ જાગતાં કામદેવને વિચાર થયો કે-“ઘરનો સમગ્ર કાર્યભાર પુત્રો ઉપર નાંખીને હવે હું શ્રાવકની અગિયાર પ્રતિમા વહન કરું.” પછી પ્રાતઃકાળે ઊઠીને પોતાના પુત્રોને ઘરનો સર્વ કાર્યભાર સોંપી પોતે પૌષધશાળામાં રહી દર્ભના સંથારાપર બેસી શ્રી જિનેશ્વરનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ પ્રતિમા વહન કરવા લાગ્યો. એકદા રાત્રિએ કામદેવ ધ્યાનમાં બેઠો છે, તે વખતે સૌઘર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહીં રાખતો કોઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો અને દૈવીશક્તિથી ઘણાં ભયંકર રૂપો વિકર્વીને તેને ભય પમાડવા લાગ્યો. વળી તે બોલ્યો કે “જો તું ઘર્મને છોડી નહીં દે તો તીક્ષ્ણ ખર્ગના પ્રહારવડે તારું અકાળે જીવિત હરી લઈશ, જેથી તું આર્તધ્યાનથી પીડાઈને અનંત દુર્ગતિનું દુઃખ પામીશ.” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું પણ તે શ્રેષ્ઠી જરા પણ ભય ન પામ્યો, ત્યારે તે દેવે ક્રોઘથી તેના પર ખગના પ્રહાર કર્યા, તેથી પણ શ્રેષ્ઠી ક્ષોભ પામ્યો નહીં. ત્યારે તેણે એક ભયાનક હસ્તીનું રૂપ વિકુવ્યું અને બોલ્યો કે “હે દંભના સાગર! આ સૂંઢથી તને આકાશમાં ઉછાળીને જ્યારે પૃથ્વી પર પાડીશ ત્યારે ચારે પગોથી દાબીને ચૂર્ણ કરી નાખીશ.” એમ કહીને તે દેવતાએ પોતાની સર્વ શક્તિથી હસ્તિરૂપે તેને પરીષહ કર્યો. તેથી પણ તે શ્રેષ્ઠી જરા પણ ક્ષોભ પામ્યો નહીં, ત્યારે ફરીથી તેને ક્ષોભ પમાડવા માટે તેણે મહા ભયંકર અનેક ફણાવાળું સર્પનું રૂપ વિકુવ્યું અને બધી ફણાએ ફંફાડા મારતો સતો તે બોલ્યો કે “અરે અપ્રાર્થ્ય (મૃત્યુ) ની પ્રાર્થના કરનાર! શ્રી વિરઘૂર્તના ઘર્મને છોડીને મને પ્રણામ કર; નહીં તો હું એવો ડંશ મારીશ કે જેના વિષની વેદનાથી પીડાઈને તું દુર્ગતિ પામીશ.” આવાં વચનો બે ત્રણ વાર કહેવાથી પણ તે શ્રેષ્ઠી ક્ષોભ પામ્યો નહીં ત્યારે તે ભયંકર સર્પે તેના શરીર પર ત્રણ ભરડા દઈને તેના કંઠ ઉપર નિર્દયતાથી ડંશ દીઘો. તે વિષની વેદનાને પણ શ્રેષ્ઠીએ સમ્યક્ પ્રકારે સહન કરી, અને મનમાં શ્રી મહાવીર પરમાત્માનું સ્મરણ કરતો સતો અધિક અધિક શુભ ધ્યાન ધ્યાવવા લાગ્યો. દેવતાએ બીજી પણ અનેક રીતે પોતાની શક્તિ પ્રમાણે સર્વ વીર્ય ફોરવ્યું તો પણ તે શ્રેષ્ઠીના દ્રવ્યભાવની શક્તિનો અલ્પમાત્ર પણ નાશ કરવાને તે સમર્થ થયો નહીં. છેવટે તે દેવતા થાક્યો, એટલે શ્રેષ્ઠીને પ્રણામ કરીને બોલ્યો કે “હે શ્રાવક! તને ઘન્ય છે. માયારૂપી પૃથ્વીનું દારણ કરવામાં હળ સમાન એવા પરમ ઘીર શ્રી મહાવીરસ્વામીએ કહેલા ઘર્મમાર્ગમાં રસિક થયેલો તું સાચો છે. તારા આવા સુદ્રઢ સમકિતરૂપ આદર્શ(અરીસા)માં જોવાથી મારું પણ સમ્યગ્દર્શન સ્વરૂપે પ્રગટ થયું છે, અને અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે; તારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy