SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ વ્યાખ્યાન ૨૭૨] દર્શનાચારનો પાંચમો ભેદ-ઘર્મીજનની પ્રશંસા “તે લેપશ્રેષ્ઠી શ્રી જિનેશ્વરે દૂષણયુક્ત બતાવી આપેલા એકાંત પક્ષને છોડીને શુદ્ધ અધ્યાત્મ તથા વૈરાગ્યથી ભૂષિત થયો. પછી તે અમૂઢદ્રષ્ટિ થયો સતો મિથ્યાત્વીઓના સંગથી પણ કુવૃષ્ટિવાળો થયો નહીં, પણ ઊલટો સમકિતમાં વઘારે પ્રીતિવાળો થયો. વ્યાખ્યાન ૨૭૨ દર્શનાચારનો પાંચમો ભેદ-ધર્મજનની પ્રશંસા હવે પ્રશંસા નામના પાંચમા દર્શનાચાર વિષે કહે છે– धर्मोद्योतो महान् येन, विहितो जैनशासने । तस्योपबृंहणा कार्या, गुरुभिर्भाववृद्धये ॥१॥ ભાવાર્થ-“કોઈએ જૈનશાસનને વિષે મોટો ઘર્મનો ઉદ્યોત કર્યો હોય તો તેના ભાવની વૃદ્ધિને માટે ગુરુજનોએ તેની પ્રશંસા કરવી.” श्लाघिता एव तुष्यंति, सुरादयो नरादयः । સ્વાર્થ ય ર્વતિ, તો તોmોત્તડપ ઘ રા. ભાવાર્થ-“દેવતાદિક તથા મનુષ્યાદિકની જો શ્લાઘા કરી હોય તો તેઓ પ્રસન્ન થાય છે, અને લૌકિક તથા લોકોત્તર વિષયમાં પોતાનું ઇચ્છિત કાર્ય સાથી આપે છે.” લોકમાં પણ સારું કામ કરનારની પ્રશંસા કરવામાં આવે છે તો તે બહુ ગુણકારી થાય છે. પ્રાયઃ પ્રશંસા વડે જ લોકમાં અનેક કાર્યમાં નિર્વાહ થતો જોવામાં આવે છે. સેવક વગેરે પ્રશંસા કરવાથી જ પ્રાયઃ સારી રીતે મન દઈને કામ કરે છે. કર્ણ, ભોજ અને વિક્રમ વગેરેની જેમ રાજાદિક પ્રશંસાવાળી કવિતાઓ વગેરે સાંભળીને સંતોષ પામ્યા સતા સહસ્ત્ર અને લાખો રૂપિયા આપે છે તથા સુરપ્રિય યક્ષ વગેરેની જેમ દેવતાઓ પણ સ્તોત્ર સ્તુતિ વગેરેથી પ્રશંસા કરી હોય તો જ પ્રસન્ન થાય છે, તેવી જ રીતે લોકોત્તરમાં પણ તપ, સ્વાધ્યાય, કવિતા, દુષ્કર વિહાર, વાદીનો જય તથા પરીષહનું સહન કરવું વગેરે ઘર્મકાર્ય જેણે કર્યું હોય તેની યથાયોગ્ય પ્રશંસા ગુરુ વગેરેએ અવશ્ય કરવી. જે ગુરુઓ પ્રમાદથી અભુત ઘર્મક્રિયા કરનારની પ્રશંસા કરતા નથી તેઓનો ગચ્છ રુદ્રસૂરિની જેમ સિદાય છે. કહ્યું છે કે जो पुण पमायओ दप्पुओ अ, उववूहणे न वट्टिजा । नासिज्जइ अप्पाणं, मुणिजणं च सो रुद्दसूरिव्व ॥१॥ ભાવાર્થ-જેઓ પ્રમાદથી અથવા અહંકારથી બીજાનાં કરેલાં ઉત્કૃષ્ટ ઘર્મકાર્યની પ્રશંસા કરવામાં પ્રવૃત્તિ કરતા નથી તેઓ રુદ્રસૂરિની જેમ પોતાનો તથા પોતાના ગચ્છના મુનિજનોનો વિનાશ કરે છે.” શ્રી મહાવીરસ્વામીએ પણ સભા સમક્ષ શ્રી કામદેવ શ્રાવકની પ્રશંસા કરી હતી. તે વિષે સાતમા અંગમાં કહ્યું છે તે આ પ્રમાણે કામદેવ શ્રાવકની કથા ચંપા નગરીમાં કામદેવ નામે મોટો ગૃહસ્થ રહેતો હતો. તેને ભદ્રા નામની પત્ની હતી. તે મહાદની હોવાથી તેણે છ કોટી દ્રવ્ય પૃથ્વીમાં નિઘાનરૂપ કર્યું હતું, છ કોટી દ્રવ્ય વ્યાપારમાં રાખ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy