SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૯ પાન વગેરે સદોષ તથા અલ્પ મૂલ્યવાળી વસ્તુઓથી ભક્તિ કરી હતી, પણ હવે તો ઘણા મૂલ્યવાળા અને નિર્દોષ કાલાતિપાતાદિક દોષરહિત ઘી વગેરેથી બનેલા પક્વાન્નો ગ્રહણ કરો; કેમકે મારા ગુરુએ અનુકંપાદાન આપવાનો નિષેઘ કર્યો નથી, તેથી હું મહાદાની થયો છું. પણ તમારે મહાત્મા (જિનેશ્વર) ના ઘર્મની હીલના કરવી નહીં.” તે સાંભળીને શિષ્ય ગુરુ પાસે આવ્યો, અને શ્રેષ્ઠીએ કહેલું સર્વ વૃત્તાંત કહીને બોલ્યો કે “શ્રેષ્ઠીની વાણીનો વિવેક તો પહેલાંના કરતાં પણ અધિક છે. તેનું ચાતુર્ય આશ્ચર્યકારી છે.” પછી શિવભૂતિ જાતે શ્રેષ્ઠીને ઘેર ગયો અને તેને કહ્યું કે “હે શ્રેષ્ઠી! ક્યા ઘૂર્ત તને છેતર્યો છે કે જેથી મારા આવતાં તું ઊભો પણ થયો નહીં? તે તે યોગ્ય કર્યું નથી. મારુ સામર્થ્ય તેં હજી જોયું નથી. પણ મારા ભક્તોને પ્રત્યક્ષ રીતે સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું છે, અને બીજાઓ નરકવાસી થયા છે, તે તું તારાં નેત્રોથી જ જો.” એમ કહીને તે શિવભૂતિએ વિદ્યાના બળથી સ્વર્ગનરકાદિ સર્વ બતાવ્યું. તે જોઈને શ્રેષ્ઠીએ વિચાર્યું કે “ખરેખર આ ઇંદ્રજાળ જ છે, સ્વર્ગમાં જવું કે નરકમાં પડવું, એ તો પોતપોતાનાં કરેલાં કર્મને આઘારે જ બને છે, પરંતુ શ્રી વિતરાગ પરમાત્માનું કેવું શૈર્ય છે! કે જેની પાસે અનંત લબ્ધિઓ છતાં પણ તે લેશ માત્ર માન કે અહંકારાદિ ઘરાવતા નથી.” એમ વિચારીને તેણે તાપસને કહ્યું કે “વિપુલદ્ધિ, પુલાક લબ્ધિ તથા ચારણ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થયા છતાં પણ જો મમતાનો ત્યાગ થયો ન હોય તો તે સર્વ અયોગ્ય જ છે; કેમકે નિષ્કારણ વિશ્વવત્સલ એવા શ્રી જિનેશ્વરે કહ્યું છે કે विषयैः किं परित्यक्तै-र्जागर्ति ममता यदि । त्यागात् कंचुकमात्रस्य, भुजंगो न हि निर्विषः॥१॥ ભાવાર્થ-જો મમતા જાગૃત હોય, તો વિષયમાત્રનો ત્યાગ કરવાથી શું ફળ? કેમકે માત્ર કંચુક (કાંચળી) નો ત્યાગ કરવાથી સર્પ કાંઈ વિષરહિત થઈ જતો નથી. कष्टेन हि गुणग्रामं, प्रकटीकुरुते मुनिः । | મમતાક્ષસી સર્વ, અક્ષયત્વેજોડયા રા ભાવાર્થ-મુનિ મહા પ્રયત્નથી ગુણસમૂહને પ્રગટ કરે છે, તે સર્વને મમતારૂપી રાક્ષસી ક્રિીડામાત્રમાં જ ભક્ષણ કરી જાય છે. વળી હે તાપસ! કામરુ દેશની સ્ત્રીઓની જેમ જીવરૂપી ભર્તારને પશુરૂપ બનાવીને રાગરૂપી વિદ્યા તથા ઔષધિના બળથી મમતારૂપી સ્ત્રીઓ ક્રીડા કરે છે; માટે હે તપોધન! તમે મમતાના સંગથી અધ્યાત્મનો એક લેશ પણ જાણતા નથી, અને સ્નાનાદિકને ઘર્મ માની તે કરો છો, કરાવો છો અને તેનું અનુમોદન કરો છો, તેથી તમે દુઃખી થશો; માટે હવે અઢાર પાપસ્થાનરહિત એવા વિરતિઘર્મમાં તમે પ્રવૃત્ત થાઓ. આ મનુષ્યજન્મને સંસારરૂપી ખાડામાં ફોગટ શા માટે નાંખી દો છો?” આ પ્રમાણેનાં તે શ્રેષ્ઠીનાં વચનો સાંભળીને શિવભૂતિ તાપસ તેને દૃઢ જૈનઘર્મી જાણી પોતાના આશ્રમે પાછો ગયો. લેપશ્રેષ્ઠી સર્વ પ્રકારનાં ગૃહકાર્ય કરતો હતો, તો પણ જ્ઞાનઘર્મને કદાપિ પણ તજતો નહોતો, સર્વત્ર સામેલ રાખતો હતો. એમ વર્તતાં તેણે પોતાના સમગ્ર કુટુંબને ઘર્મના આચારવાળું કર્યું. પછી પોતાને દીક્ષા પાળવામાં સમર્થ જાણીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે સર્વ કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામીને મોક્ષપદ મેળવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy