SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [સ્તંભ ૧૯ ભાવાર્થ-“નિરુપાધિક ગુણ વડે કંદર્પના આચારનો બાઘ કરેલો હોવાથી તેનું શરીર સદાને માટે સુગંધી થયેલું છે એવા વિદ્વાનોને કસ્તુરી, માલતી, લવલી અને શ્વેતચંદન વગેરેના સુગંઘ હર્ષ આપતા નથી. અર્થાત્ કસ્તુરી, માલતીપુષ્પ અને ચંદનાદિ વડે ચર્ચિત કરેલા શરીરનો સુગંઘ જ્ઞાનીઓને હર્ષને માટે થતો નથી.” વળી જ્ઞાની પુરુષો સમ્યક ઉપયોગનો પણ ત્યાગ કરતા નથી. તે વિષે કહ્યું છે કે उपयोगमुपैति यच्चिरं, हरते यन्न विभावमारुतः । न ततः खलु शीलसौरभा-दपरस्मिन्निह युज्यते रतिः॥१॥ ભાવાર્થ-જે શીલરૂપી સુગંઘ નિરંતર ઉપયોગમાં આવે છે અને જેને ચિરકાળે પણ વિભાવરૂપી વાયુ હરણ કરી શકતો નથી, તે શીલરૂપી સુગંઘને તજીને બીજાને વિષે પ્રીતિ રાખવી યોગ્ય નથી. मधुरैर्न रसैरधीरता, क्वचनाध्यात्मसुधालिहां सताम् । નરસૈઃ સુનૈરિવાતિનાં, સરપદ્મપરાગમોનિનામ્ ારા ભાવાર્થ-“જેમ પ્રસરતા એવા પદ્મના પરાગનો સ્વાદ લેનારા ભ્રમરો રસ વિનાનાં પુષ્પોથી અધીર થતા નથી, તેમ અધ્યાત્મરૂપી અમૃતનું પાન કરનારા સપુરુષો પણ બીજા મધુર રસોથી અથીર થતા નથી. અર્થાત તેમનું મન અસ્થિર થતું નથી.” हृदि निर्वृतिमेव बिभ्रतां, न मुदे चंदनलेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा, सलिलस्नानकलापि निष्फला ॥३॥ ભાવાર્થ-“(મિથ્યાત્વ, અવિરતિ અને કષાય વગેરે મળનો ત્યાગ કરીને) હૃદયમાં નિવૃતિને જ ઘારણ કરનારા પુરુષોને ચંદનલેપ હર્ષ આપતો નથી. તેમજ (વૈરાગ્યથી જ) નિર્મળપણાને પામેલા તેઓને સદા જળસ્નાનનો વિધિ પણ નિષ્ફળ જ છે.” तदिमे विषयाः किलैहिका, न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोकसुखेऽपि निःस्पृहाः, परमानंदरसालसा अमी॥४॥ ભાવાર્થ-“વિરક્ત ચિત્તવાળાને આ લોકના વિષયો (વિષયસુખ) હર્ષને માટે થતા નથી. તેમજ તેઓ પરમાનંદના રસને પામેલા હોવાથી આળસુ થયા છે, તેથી પરલોકના સુખમાં પણ તેઓ સ્પૃહા રાખતા નથી.” विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः । न मदाय विरक्तचेतसां, मनुषं गोपनताः पलालवत् ॥५॥ ભાવાર્થ-“વિરક્ત ચિત્તવાળાને વિપુલમતિ ઋદ્ધિ, પુલાક લબ્ધિ, ચારણ લબ્ધિ તેમજ પ્રબલાશી વિષ વગેરે લબ્ધિઓ પણ ઘાન્યની સાથે પ્રાપ્ત થયેલા પલાળના ઘાસની જેમ આનુષંગિક હોવાથી મદ કરનાર થતી નથી.” हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसंगमंगति । पुरुषस्य दशेयमिष्यते, सहजानंदतरंगरंगिता॥६॥ ભાવાર્થ-“વિરક્ત પુરુષના હૃદયમાં મોક્ષ મેળવવાનો પણ લોભ હોતો નથી, તેમજ તેનું ૧. પાઠાંતર-માનુષક્રિોપરુસ્થાવત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy