SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તંભ ૧૯ વ્યાખ્યાન ૨૭૧ દર્શનાચારનો ચોથો ભેદ–અમૂઢદૃષ્ટિત્વ હવે અમૂઢદૃષ્ટિ નામના ચોથા દર્શનાચાર વિષે કહે છે– मिथ्यादृशां तपः पूजा - विद्यामंत्रप्रभावनाम् । વૃદ્ધા મુઘતિ યો નૈવ, સોડમૂવૃષ્ટિ સંમતઃ ||શા ભાવાર્થ “મિથ્યાવૃષ્ટિઓનાં તપ, પૂજા, વિદ્યા અને મંત્રાદિકનો પ્રભાવ જોઈને જે માણસ તેમાં મોહ પામતો નથી તે અમૂઢદૃષ્ટિ કહેવાય છે.’’ આ ગાથાનો ભાવાર્થ લેપશ્રેષ્ઠીના દૃષ્ટાંતથી જાણી લેવો. લેપશ્રેષ્ઠીનું દૃષ્ટાંત રાજગૃહ નગરમાં લેપ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો, તે મિથ્યાત્વ ધર્મમાં આસક્ત હતો. તેનો ગુરુ શિવભૂતિ નામે હતો. તેના ઉપદેશથી તે શ્રેષ્ઠીએ વાવ, કૂવા, તળાવ તથા કુંડ વગેરે કરાવ્યાં હતાં. ત્યાં તે હમેશાં સ્નાન કરતો, યજ્ઞાદિ કરતો, વેદવાક્યના રહસ્યનું શ્રવણ કરતો તથા મિથ્યાત્વનાં જે ત્યાશી` આચરણો છે, તે સર્વ ધર્મબુદ્ધિથી કરતો હતો. જ્યારે તેના ગુરુ બીજા દેશથી આવતા ત્યારે તે મોટી ઋદ્ધિ વડે ચાર પાંચ યોજન સુધી તેની સન્મુખ જતો હતો. એકદા રાજગૃહ નગરના ઉપવનમાં શ્રી મહાવીરસ્વામી સમવસર્યા. તે વખતે તે લેપશ્રેષ્ઠી પોતાના મિત્ર જિનદત્ત શ્રાવકની પ્રેરણાથી ભગવાનને વાંદવા તથા આશ્ચર્ય જોવા ગયો. શ્રી ભગવાનનું સર્વત્ર અસ્ખલિત જ્ઞાન જાણીને લેપશ્રેષ્ઠીએ આ પ્રમાણેના પ્રશ્નો કર્યા કે ‘“હે ભગવાન! મારા ગુરુ અધ્યાત્મ સ્વરૂપનું વર્ણન કરે છે તે સત્ય છે કે અસત્ય?” પ્રભુએ કહ્યું–“હે શ્રેષ્ઠી! અધ્યાત્મ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે છે. તેમાંના પહેલા ત્રણ ભેદો ભાવઅધ્યાત્મના કારણરૂપ છે. જે પુરુષમાં ભાવ અધ્યાત્મ રહેલું હોય તેમનાં સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે, બીજા ત્રણ ભેદવાળાના સિદ્ધ થતાં નથી. કોઈ માણસ એમ કહે કે ‘હું અધ્યાત્મ જાણું છું અને તેનું સુખ અનુભવું છું' તે યોગ્ય નથી. કેમકે તે શબ્દ અધ્યાત્મને વિષે અઘ્યાત્મની ભજના જાણવી. અધ્યાત્મ એ કોઈ ઘટપટાદિકની જેવો મૂર્તિમાન પદાર્થ નથી, કે જેનો આપવા લેવામાં વ્યવહાર થઈ શકે. માટે તેવા શબ્દ અધ્યાત્મને વિષે અધ્યાત્મની ભજના જાણવી; એટલે અધ્યાત્મ હોય વા ન પણ હોય, પરંતુ અર્થ અધ્યાત્મને વિષે નિર્વિકલ્પ સ્વરૂપ (સત્ય અધ્યાત્મ) રહેલું છે, અને તેવા સત્ય અધ્યાત્મ વિના બીજું કોઈ તેવું આત્માને ઉપકારી નથી. અધ્યાત્મ જ્ઞાનના સ્વાદરૂપી સુખસાગરની પાસે ઇંદ્રનું તથા દોગુંદકાદિ દેવાદિકનું સુખ એક બિંદુ માત્ર પણ નથી. તર્કશાસ્ત્ર અને વૈરાગ્યશાસ્ત્ર વગેરેની યુક્તિઓને જાણનારા માણસો સત્ય અધ્યાત્મના જ્ઞાન વિના અનેક પ્રકારની શુષ્ક યુક્તિઓ કરે છે; પરંતુ તે સર્વ સંસારની વૃદ્ધિને માટે જ જાણવી.'' ૧ લૌકિક દેવ ગુરુ મિથ્યાત્વના ૮૩ ભેદ અર્થદીપિકામાં કહેલા છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy