SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૪ [તંભ ૧૮ નથી.” તે સાંભળીને તે પણ મંડપ વઘાવવા લાગી, એટલે તેની કુક્ષિમાંથી સંતાડેલા મોદક નીચે સરી પડ્યા. તેથી તે શરમાઈને એકદમ જતો રહ્યો. પછી મામાએ ભાણેજને પૂછ્યું કે આ મોદક ક્યાંથી આવ્યા?” તે બોલ્યો કે “તમારા પુત્રવિવાહના ઉત્સવમાં માંડવાએ મોદકની વૃષ્ટિ કરી.” મામો બોલ્યો કે “હે ભાણેજ! તું આવો જ્ઞાની ક્યાંથી થયો?” તે બોલ્યો કે “સર્વ વાત એકાંતે કહીશ.” પછી વિવાહનું કામ સર્વ પૂર્ણ થયું, ત્યારે તેણે પોતાનું દેવસ્વરૂપે પ્રગટ કરીને શ્રેષ્ઠીને સર્વ વૃત્તાંત કહ્યો. પછી શ્રેષ્ઠીની સ્ત્રીને દેવતાએ કહ્યું કે “હે સ્ત્રી! તારો પતિ કે પરમાત્માની ભક્તિમાં તત્પર છે? તેવી તું પણ થા. તું નારપતિ સાથે હમેશાં ક્રીડા કરે છે, તે વગેરે હું સર્વ જાણું છું. પરંતુ ત્રણ ભુવનના અદ્વિતીય શરણરૂપ શ્રી વીતરાગના ભક્તની તું ભાર્યા છે તેથી આજ સુધી મેં તારી ઉપેક્ષા કરી છે. માટે હવેથી તું સમગ્ર દંભ છોડીને ઘર્મકાર્યમાં પ્રવૃત્તિ કર. મનુષ્યો પૂર્વે અનંતી વાર ભોગ ભોગવ્યા છતાં પણ અજ્ઞાન તથા ભ્રમને લીધે ઘારે છે કે “મેં હજુ કોઈ પણ વખત ભોગ ભોગવ્યા જ નથી.” એમ હોવાથી મૂર્ખ માણસોની કામભોગ સંબંધી તૃષ્ણા કોઈ પણ વખતે શાંત થતી નથી. તેઓને વૈરાગ્ય થવો તે પણ અતિ દુર્લભ જ છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું છે કે सौम्यत्वमिव सिंहानां, पन्नगानामिव क्षमा ।। विषयेषु प्रवृत्तानां, वैराग्यं खलु दुर्लभम् ॥१॥ ભાવાર્થ-“જેમ સિંહોને સૌમ્યપણું દુર્લભ છે અને સર્પોને ક્ષમા દુર્લભ છે, તેમ વિષયમાં પ્રવૃત્ત થયેલા જીવોને વૈરાગ્ય દુર્લભ છે.” તેથી તે સ્ત્રી! આત્માને વિષે વૈરાગ્ય ઘારણ કરીને અનેક ભવમાં ઉપાર્જન કરેલા પાપકર્મનો ક્ષય કરવા માટે અને અનાદિ કાળની ભ્રાંતિના નાશને માટે સર્વથા દ્રવ્ય અને ભાવથી દંભનો ત્યાગ કરીને અનેક ઉત્તમ અને શુભ કાર્યોને વિષે ઉદ્યમ કર. દંભ એ સર્વ પાપનું મૂળ છે, તથા અનેક સદ્ગણોનો નાશ કરનાર છે. કહ્યું છે કે सुत्यजं रसलांपट्यं, सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामभोगाश्च, दुस्त्यजं दंभसेवनम् ॥१॥ ભાવાર્થ-જિલ્લાના રસની લોલુપતા તજી શકાય છે, શરીર પરનાં અલંકારને મોહ તજી શકાય છે, તેમજ કામભોગ પણ તજી શકાય છે, પરંતુ દંભનું સેવન તજવું એ ઘણું જ મુશ્કેલ છે.” किं व्रतेन तपोभिर्वा, दंभश्चेन्न निराकृतः । किमादर्शन किं दीपैर्यद्यांध्यं न दृशोर्गतम् ॥२॥ ભાવાર્થ-“જો દંભનો ત્યાગ કર્યો નહીં તો વ્રત અને તપ કરવાથી શું? કેમકે જો નેત્રની અંઘતા ગઈ નથી તો આદર્શ અને દીપનું શું પ્રયોજન છે? કાંઈ જ નથી.” अहो मोहस्य माहात्म्यं, दीक्षां भागवतीमपि । दंभेन यद् विलुपंति कजलेनैव रूपकम् ॥३॥ ભાવાર્થ-“અહો! મોહનું માહાસ્ય કેવું છે! કે જેથી દંભ વડે કરીને કાજળ વડે શરીરના રૂપની જેમ ભગવાન સંબંધી દીક્ષાનો પણ પ્રાણી લોપ કરે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy