SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨૭૦] દર્શનાચારનો ત્રીજો ભેદ-નિર્વિચિકિત્સા ૨૫૧ હશો, માટે પ્રથમ ભોજન કરી લો.” તે સાંભળીને મામા ભાણેજ જમવા બેઠા. એટલે મામી ચોળા વગેરે કુત્સિત અન્ન પીરસવા લાગી, ત્યારે ભાણેજ બોલ્યો કે “આવું ખરાબ અન્ન હું નહીં ખાઉં.” મામી બોલી કે “સારું ખાવાનું ક્યાંથી આપું?” ભાણેજ બોલ્યો કે “હે મામી! હું અહીં બેઠો બેઠો પેલી કોઠીમાં લાપસી પ્રત્યક્ષ જોઉં છું, તે તમે કેમ પીરસતા નથી? સ્વામીથી અધિક કોઈ નથી એમ નિશ્ચે જાણવું.” તે સાંભળીને મામી તો ચક્તિ જ થઈ ગઈ. પછી લાપસી પીરસીને તેણે વિચાર્યું કે “અહો! આ તો મોટું આશ્ચર્ય! મારું ગુહ્ય આણે શી રીતે જાણ્યું? ખરેખર આનામાં કોઈ ભૂત, પ્રેત, વ્યંતર કે ડાકિનીપણું હોવું જોઈએ, નહીં તો એ ગુપ્ત રાખેલું શી રીતે જાણી શકે?” પછી તે બન્ને જમીને સૂઈ ગયા. તે વખતે લાગ જોઈને પેલો જાર પુરુષ નીકળી ગયો. તે સર્વ દેવતા તો જાણતો હતો, તો પણ તેણે મૌન જ રાખ્યું. પછી ભાણેજે મામાને પૂછ્યું “આ તમારા શામલના લગ્ન કેમ કરતા નથી?” ત્યારે મામાએ કહ્યું કે “હે ભાણેજ! એ મનોરથ ઘન વિના શી રીતે પૂર્ણ થાય?” ભાણેજ બોલ્યો કે “હે મામા! ઊઠો. હું તમને પૃથ્વીમાં દાટેલું ઘન બતાવું.” એમ કહીને તે સ્ત્રીના દેખતાં તેણે પૃથ્વીમાં દાટેલું ઘન કાઢી આપ્યું. તે જોઈને તે સ્ત્રી વિલખી થઈ ગઈ અને મનમાં બોલી કે “મેં ચોરી કરીને જેટલું ઘન ગુપ્ત રાખ્યું હતું તે સર્વ આણે પ્રગટ કર્યું, માટે આ ખરેખર કોઈ ડાકિની જ છે, નણંદનો દીકરો નથી. એ વળી અહીં ક્યાંથી આવ્યો? તોપણ હવે તો એનો અનુનય સારી રીતે કરું, નહીં તો એ કોપ્યો તો મારી ગુપ્ત વાત પ્રગટ કરશે.” એમ વિચારીને તે અંદરથી કાલુષ્ય ભાવ રાખીને બહારથી મીઠી વાણીએ બોલી કે “હે ભાણેજ! તમારી બુદ્ધિને ઘન્ય છે. અમારું દરિદ્રપણું તમે નાશ પમાડ્યું.” પછી શુભ દિવસે શ્રેષ્ઠીએ પુત્રના વિવાહનો ઉત્સવ આરંભ્યો. તે વખતે પોતાના ઇષ્ટ જાર પતિને તે સ્ત્રીએ નિમંત્રણ કર્યું અને કહ્યું કે “તારે સ્ત્રીવેષ ધારણ કરીને બધી સ્ત્રીઓ સાથે જમવા આવવું.” તેથી લગ્નને દિવસે ભોજન વખતે તે જાર સ્ત્રીનો વેષ લઈને જમવા આવ્યો. તેને સ્ત્રીઓના મધ્યમાં બેઠેલો જોઈને ભાણેજ બોલ્યો કે “મામા! આજે તો હું પીરસવા માટે રહીશ.” મામાએ કહ્યું કે “બહુ સારું.” એટલે તે પીરસવા લાગ્યો. પીરસતાં પીરસતાં જ્યારે તે પેલા જાર પાસે ગયો, ત્યારે તેણે ધીમેથી કહ્યું કે “તું ગમાણમાં જર્જરિત થયો હતો તે જ કે?” ત્યારે તેણે “ના” કહી. એ પ્રમાણે બે ત્રણ વાર કહ્યું, ત્યારે બીજાઓએ ભાણેજને પૂછ્યું કે “તું વારંવાર એ મુગ્ધ બાળાને શું પૂછે છે?” ત્યારે ભાણેજ બોલ્યો કે “આ સ્ત્રીને હું પીરસવા જાઉં છું ત્યારે તે કાંઈ લેતી નથી, અને સર્વ પકવાનનો નિષેધ કરે છે.” ત્યારે હું તેને કહું છું કે “હે સ્ત્રી! જ્યારે તું જરા પણ જમતી નથી, ત્યારે સ્ત્રીઓની મધ્યે બેસવું તારે યોગ્ય નથી. તું થોડી ભૂખી જણાય છે.” આ પ્રમાણે બોલીને તે દેવતાએ તેને કાંઈ પણ પીરસ્યું નહીં, ત્યારે ભોગવતીને તેના વિષે ઘણો ઉચાટ થયો. પછી કાંઈ મિષ કરીને ભોગવતી ઊઠી, અને ગુપ્ત રીતે લાડવા લઈને તેના ભાણામાં પીરસી દીધા. તેમાંથી તે જારે થોડા ખાઘા, અને ચાર મોદક પોતાની કુક્ષિમાં સંતાડ્યા. પછી સર્વ સ્ત્રીઓ જમી ઊઠી, ત્યારે ભાણેજ બોલ્યો કે “દરેક સ્ત્રીઓ મારા મામાના માંડવાને અક્ષતથી વઘાવો.” તે સાંભળીને જ્યારે બધી સ્ત્રીઓએ માંગલિક માટે તે માંડવો વઘાવ્યો ત્યારે તે જાર સ્ત્રી માંડવો વઘાવવા આવી નહીં. તેથી ભાણેજ બોલ્યો કે “હે માતા! તમે કેમ વઘાવતા નથી? સ્ત્રીઓની પંક્તિમાં જમવા બેઠા અને હવે પંક્તિથી જુદા પડવું યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy